________________
પ્રતિભા દર્શન
* ૫૩
સ્કુલ ટેક્સબુક બોર્ડના ચેરમેન તરીકે ને શિક્ષણતંત્રને વિશેષ સ્વાયત્ત બનાવી તેની કાયાપલટમાં ફાળો આપ્યો. ગુજરાતમાં આજે અનેક કોલેજો છે. યુનિવર્સિટીઓ છે. કોલેજે કોલેજે ઉત્તમ વિદ્યાર્થી, ઉત્તમ અધ્યાપક, ઉત્તમ આચાર્ય પાકે, ગુજરાતની અને દેશની કાયાપલટ કરવામાં યોગદાન આપે એવી અપેક્ષા રહે છે.
અલિયાબાડામાં ડોલરરાય માંકડ તથા ગુજરાત યુનિવર્સિટીના પ્રજ્ઞાકુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલ, તે સિવાય ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં મગનભાઈ દેસાઈની સમર્થ સેવાઓ સદેવ પુણ્યસ્મૃતિ બની રહેશે. ભાઈલાલભાઈ પટેલનું પણ એવું જ નોંધપાત્ર પ્રદાન હતું. ભારતના સૌથી મોટા શિક્ષણશાસ્ત્રી નિઃસંદેહ ગાંધીજી જ ગણાવી શકાય. ગૂજરાત વિદ્યાપીઠ માટે શ્રી મોરારજી દેસાઈ અને ગુજ. યુનિ.ના પ્રારંભમાં દાદાસાહેબ માવલંકર વગેરે નામો સ્મરણીય છે. બંગાળી તથા હિંદીમાંથી ગુજરાતીમાં ભાષાંતર માટે અનુવાદકક્ષેત્રે નગીનદાસ પારેખ તથા ભોળાભાઈ પટેલનું પ્રદાન પણ અનન્ય છે. એ જ રીતે મરાઠી ઉત્તમ નવલકથા તથા અન્ય સાહિત્યને ગુજરાતીમાં ઊતારનાર ગોપાળરાવ વિકાસને કેમ ભૂલાય? બાલશિક્ષણમાં જુગતરામ દવે, વીરસુતભાઈ મહેતા–માંગરોળ, અન્નપૂર્ણાબેન મહેતા–વેડછી આ સૌની સેવાઓ નોંધપાત્ર છે.
નારી ચેતનાને જાગૃત કરી પ્રકાશપુંજ બનીને આગળ આવનારમાં નારીશક્તિનાં દર્શન કરાવનારા સિંધિયાસ્ટીમ નેવીગેશન કું.નું સફળ સંચાલન કરનાર સુમતિ મોરારજી, ઇન્ડિયન મરચન્ટ ચેમ્બર્સના અધ્યક્ષપદ સુધી પહોંચનાર સરયૂબહેન દફતરી કે અનાથ બાળકોનાં છત્રસમાં અરુણાબેન દેસાઈ ગુજરાતનું ગૌરવ છે. સ્ત્રી શિક્ષણ અને મહિલાઓના વિકાસમાં લેડી વિદ્યાગૌરી નીલકંઠ, પુષ્પાબેન મહેતા, શારદાબેન મહેતા, હંસાબેન મહેતા,
જ્યાબેન દાણી, ભાનુબેન પારેખ, મંજુલાબેન દવે, લીલાબેન કપાસી વગેરેએ રૂઢીચુસ્ત પરંપરાને તોડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. એટલું જ નહિં પણ સ્ત્રી શિક્ષણનો વ્યાપ વધારવા તેના અથાક પ્રયત્નો પ્રેરક નિવડ્યા છે.
બાલસાહિત્યના ભિષ્મપિતામહ જીવરામ જોષી તથા રમણલાલ સોની કે જેમણે બાલસાહિત્યમાં સંખ્યાબંધ પુસ્તકોનું સુંદર સર્જન કર્યું છે. તેમના નામ નોંધપાત્ર છે. ઉપરાંત ગુજરાતના શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારાઓમાં અનંતરાય રાવળ, આર. કે. અમીન, કરસનદાસ માણેક, કમળાશંકર ત્રિવેદી, કૌશિકરાય મહેતા, ધીરૂભાઈ ઠાકર, યશવંત શુક્લ, ઈશ્વરલાલ દવે, મનસુખલાલ ઝવેરી, ઉપેન્દ્રભાઈ પંડ્યા, છોટુભાઈ સુથાર, હરિપ્રસાદ શાસ્ત્રી, જયંત કોઠારી, હરિવલ્લભ ભાયાણી વગેરે ગણી શકાય. શિક્ષણક્ષેત્રમાં ત્રંબકભાઈ મંકોડીનું નામ પણ અગ્રસ્થાને છે. દ્વારકાના ઈશ્વરભાઈ પરમારના “શિક્ષણના સિતારા” પુસ્તકમાં તેમના વિષે એક આખું પ્રકરણ છે.
શિક્ષણજગતની મશાલ જીંદગીભર હાથમાં ધરી નરસૈયાની જેમ હાથના કર્મયોગને પણ બળી જવા દઈ કેળવણી ક્ષેત્રે નામી અનામી ઘણા આચાર્યો, શિક્ષકો થયા જેમાં મનસુખલાલ જોબનપુત્રા-માંગરોળ, દેવજીભાઈ મોઢા-પોરબંદર, સી.ટી. દવે, શિવપ્રસાદ બુચ, વિષ્ણુપ્રસાદ અંજારિયા, જાદવજીભાઈ સવાણી, રાસબિહારી દેસાઈ, વલ્લભીપુરની શિક્ષણસંસ્થાઓને વિકસાવનાર સંસ્કૃતના પંડિત આચાર્ય શ્રી જે. સી. દવે સાહેબ આ સૌ સ્મરણવંદનાના અધિકારી બને છે. ગુજરાતનું ગુણગર્વિલું મહાજન : | ગુજરાતીઓની સમાધાનપ્રિય વૃત્તિને કારણે હંમેશા એક લાંબા સમયથી મહાજનો ખીલ્યા, પાંગર્યા, વિરાટવૃક્ષરૂપે વિકસેલી આ વ્યવહારકુશળ મહાજન સંસ્થાઓ જ ગુજરાતનું સાચું સાંસ્કૃતિક બળ બની રહ્યું છે. અને મહાજનની ગુણવંત પ્રતિભાઓ જ કેટલીક સિદ્ધિઓ હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે. ઘણી વખત રાજસત્તા લાંબા ગાળે, મોટા ખર્ચે અને મને સંતોષે તેવા ન કરી શકી હોય તેવાં કાર્યો આ મહાજનપરંપરાના સમૃદ્ધિવાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org