________________
૫૦ જે
બૃહદ્ ગુજરાત
સંસ્થાઓએ ચીજવસ્તુથી માંડીને નાણાં અને સેવાનો જે ધોધ વહાવ્યો, તન મન વિસારે મૂકી અનેકોએ જે સેવા આપી છે તે સૌ જીવનની સાર્થકતાને પામી ગયા છે. આવી પ્રવૃત્તિઓથી જ હંમેશા નિજાનંદમાં રહ્યો છું અને માનું છું કે આ નિજાનંદ એ જ મુક્તિ છે, એ જ મોક્ષ છે અને એ જ જીવનની ફલશ્રુતિ છે.
વિવિધક્ષેત્રની પ્રતિભાઓને શબ્દોનાં ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરવા પ્રયાસ કર્યો છે, સંક્ષિપ્ત જીવનરેખાઓને શબ્દદેહ આપી સૌરભ પ્રસરાવતી પુષ્પ પાંખડીઓ વિવિધ વિભાગોમાં રજૂ કરી છે. જીવનના પાછલા વર્ષોની ચિંતનયાત્રામાં જે જે સારું લાગ્યું તેનો નિષ્કર્ષ આ ગ્રંથમાં કંડારેલ છે. જે આવનારી નવી પેઢીના જીવનપટને સળંગપણે પ્રગતિને પંથે દોરશે એવી અભિલાષા છે. પ્લેનેટેરિયમ તૈયાર કરવાની આગવી સૂઝવાળા ભાસ્કરાચાર્ય અનકચંદ્ર ભાયાવાળા ખગોળવિદ્યાના પારગામી પુરુષ હતા, મારે આંગણે તેઓ ઘણી વખત પધારેલા. આવા સાક્ષરો, સંશોધકો અને તજજ્ઞોની વર્ષોની સિદ્ધિઓનો આ પરિપાક છે. આ પરિચયકોશ જ્ઞાનકોશનું જ એક ઉમદા પગરણ છે. આપણી ભૂમિની ગરિમાનું, આપણી સંજીવની અને કુળ પરંપરાનું શાબ્દિક આલેખન છે. રસજ્ઞોના જીવનના સંદર્ભગ્રંથ જેવું છે. આપણા જીવનનું પ્રેરક અને ધારક બળ છે. આપણી સત્ત્વશીલ વિચારધારાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
માનવીની અંદરની અખિલાઈને જાણવા, માણવા માટે આ પરિચયકોશની ચરિત્રાત્મક વિગતો અર્થપૂર્ણ, ગાંભીર્યયુક્ત, અસાધારણ પ્રભાવથી સદાકાળ અખલિતપણે પૂર્ણ પ્રકાશપુંજ પાથરીને આત્મોન્નતિનાં સોપાન તરીકે સદા સર્વદા પ્રેરક બની રહેશે. સેવા, સગુણો, સંયમ અને સમર્પણની હકીકતોનો રસથાળ આ વિશિષ્ટ મૂલ્યવાન નજરાણું વિશાળ જનસમુહ સુધી લઈ આવવાનું અમારું આ સાહસ આપ સૌના મીઠા આવકારનું ઉપવન બનશે. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સીમાડા સુધી પહોંચનાર ગુજરાતની વિભૂતિઓ વિરલ હોવા છતાં એ સૌની વિરલતા, ઘેર્યતા જ ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ માટેની શક્યતાઓને ઉજાગર કરે છે. વન્ય ગુર્જરભૂમિ ! ગુજરાતના સંગીતરત્નો અને કલાધરો
મહાગુજરાતે સર્વ ક્ષેત્રની જેમ જ સુરસ્વામીઓ અને કલાગુરુઓ પણ પ્રગટાવ્યા. પંદરમી શતાબ્દીમાં અને તે પછીના કાળમાં શાસ્ત્રીય ઢબે પદો અનાર નરસિંહ મહેતા પણ સંગીતનિપુણ હતા. મલ્હાર રાગ ગાનાર વડનગરની નાગરબહેનો તાના અને રિરિનીની આ જન્મભામે છે. જામનગરના પંડિત દત્યરામ વ્યાસ અજોડ ધ્રુપદ ધમારનો ગાયકીના ઉત્તમ કલાકાર, કુશળ પખવાજવાદક અને તાલશાસ્ત્રી તરીકે પ્રખ્યાત હતા. સોળમી શતાબ્દીમાં બૈજુ નામના મહાન સંગીતકારને ગુજરાતના રાજગાયક તરીકેનું સ્થાન મળેલું. સૌરાષ્ટ્રમાં મહારાજા ભાવસિંહજીના સમયમાં સંગીતકળાને સારો એવો રાજ્યાશ્રય મળેલો. સંગીતશાસ્ત્રી સ્વ. ડાહ્યાલાલ શિવરામ નાયકે “શ્રી સંગીત કલાધર” નામનો એક સુંદર ગ્રંથ પણ પ્રગટ કરેલ. શ્રીમત્તા ચંદ્રપ્રભા એક ઉત્તમ ગાયિકા હતાં અને ભાવનગર રાજ્યના રાજગાયિકા હતો.
ગુજરાતના સર્વોત્તમ સંગીત માર્તડ પદ્મશ્રી ઓમકારનાથજી હાફર, . યશવંતરાય પુરોહિત, જગદીપ વિરાણી, રસિકભાઈ અને બાબુભાઈ અંધારયા, દયારામ લસુખરામ શેક, પં. વિષ્ણુ-દિગમ્બર અને આશ્રમ ભજનાવલીનું વિશિષ્ટ પ્રદાન આપનારા નારાયણરાવ ખેર અ.પણા પરિવવંતા સંગીતરત્નો છે. શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ, અવિનાશ વ્યાસ, અને અંજલી મેઢ પણ આપણું ગૌરવ છે. ભરતનાટ્યમ નૃત્યના શાસ્ત્રપૂત જ્ઞાતા, ઉદયશંકરની પ્રેરણા પામેલા નૃત્યાચાર્ય ધરમશીભાઈ શાહ કથ્થક મણિપુર વગેરે નૃત્યશૈલીના પ્રેરક આચાર્ય છે. તેમણે ગણમાન્ય સંગીતજ્ઞોનો પરિચય આ ગ્રંથમાં વિશિષ્ટ રીતે રજૂ કર્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org