________________
૪૮૨
અને સંગીતકળાઓના સંસ્કારો પણ માલતીબહેનને સાંપડ્યા.
માલતીબહેને પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં, માધ્યમિક શિક્ષણ ભાવનગર ઉપરાંત વડોદરામાં અને કોલેજ શિક્ષણ રાજકોટ, ભૂજ તથા ભાવનગર ખાતે મેળવ્યું. ઇ.સ. ૧૯૬૨માં તેઓએ એમ. એ.ની ઉપાધિ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. આચાર્યશ્રી તખ઼સિંહજી પરમારના માર્ગદર્શનમાં તેમણે મધ્યકાલીન કવિ ગિરધરકૃત રામાયણનો અન્ય રામકાવ્યોના સંદર્ભમાં તુલનાત્મક તથા ૨સલક્ષી અભ્યાસ કરી ઇ.સ. ૧૯૯૦માં પી. એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. રામાયણ વિષયક અભ્યાસગ્રંથમાં ડૉ. માલતીબહેનનો આ સંશોધનગ્રંથ મહત્ત્વના ઉમેરણરૂપ છે.
ડૉ. માલતીબહેન ભાવનગરની સુપ્રસિદ્ધ શામળદાસ કોલેજમાં ઇ.સ. ૧૯૬૩માં ગુજરાતી વિભાગમાં જોડાયાં અને જૂન ૨૦૦૨માં વયમર્યાદાને કારણે ગુજરાતી વિભાગના અધ્યક્ષ પદેથી નિવૃત્ત થયાં.
તીવ્ર વિદ્યાપીપાસા ધરાવતાં ડૉ. માલતીબહેનને સ્વાભાવિક રીતે જ ‘આજીવન વિદ્યાર્થી' તરીકે ઓળખાવી શકાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અને ભાષાશાસ્ત્ર - એ માલતીબહેનનાં મનપસંદગીનાં અભ્યાસક્ષેત્રો. લોકસાહિત્ય પ્રત્યેની રુચિને લીધે તેમણે ‘લાલપરી અને બીજી વાતો' એ રસભર કિશોરકથાઓનું સંપાદન કર્યું છે. —સંપાદક
વિજયરાય વૈધ
વિજયરાય કલ્યાણરાય વૈદ્યનો જન્મ ૭-૪-૧૮૯૭ના રોજ થયો હતો. પિતાની ઇચ્છા તો તેમને ધંધામાં પલોટવાની હતી, પણ તેઓ ભણ્યા અને અંગ્રેજી તથા સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. કારકિર્દીની શરૂઆત એક સહકારી બેંકમાં કેશિયરથી કરી. પછી વિવિધ સાપ્તાહિકના તંત્રી અને દૈનિકના સહતંત્રી બન્યા. તેમનું સ્વપ્ન હતું સાહિત્યિક સામયિકનું અને તેથી ‘કૌમુદી'નો પ્રારંભ કર્યો. ‘કૌમુદી’નું પ્રાગટ્ય ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના ગણી શકાય. તેમાં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિશ્વનાથ ભટ્ટ વગેરે નવોદિતોને સાંકળી વિવેચનની નવી હવા ઊભી કરી. ૧૧ વર્ષ આ સામયિક ચલાવ્યું અને આર્થિક સંકડામણને કારણે તે અન્યને સોંપાયું, પણ એ જ વર્ષે તેમણે ‘માનસી’ શરૂ કર્યું જે અનેક મુશ્કેલીઓ છતાં ઇ. સ. ૧૯૬૦ સુધી ચલાવ્યું. પછી હાર કબૂલ્યા વગર એક ફરમાનું ‘રોહિણી’ શરૂ કર્યું. પછી ‘સાહિત્યપ્રિયનો સાથી' જેવા અનિયતકાલીન પ્રકાશનો શરૂ કર્યાં. આ છે તેમનો સાહિત્યિક પત્રકારત્વનો ભેખ, જે તેમની સાહિત્યપ્રેમી તરીકે અનેરી મુદ્રા ઉપસાવે છે. વચ્ચે ઇ. સ. ૧૯૩૭ થી ૧૯૫૨ સુધી સુરતની એમ.ટી.બી. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી. એ દરમિયાન આર્થિક સંકડામણ ન રહી પણ નાદુરસ્ત તબિયતને કારણે એ નોકરી છોડી.
બૃહદ્ ગુજરાત
તેમની વિદ્વત્તાને કારણે તેમને ગલિયારા પારિતોષિક (૧૯૨૯), રણજીતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૦) અને ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘સાહિત્ય સંત સુવર્ણચંદ્રક’ (૧૯૫૨) અને ‘નર્મદ સુવર્ણચંદ્રક' (૧૯૬૨) પ્રાપ્ત થયા છે.
તેમના વિવેચન ગ્રંથો છે, ‘જૂઈ અને કેતકી’, ‘લીલા સૂકાં
Jain Education Intemational
પાન', 'નીલમ અને પોખરાજ', ‘ગત શતકનું સાહિત્ય', ‘પારસના સ્પર્શે’, ‘કૌમુદીમનન’, ‘મોતી અને પરવાળાં’, ‘હીરા અને પન્ના’ વગેરે. આ ગ્રંથોમાં તેમણે સૈદ્ધાંતિક, સમીક્ષાત્મક અને અવલોકનાત્મક લેખો દ્વારા વિવેચનક્ષેત્રે નવી ભાત પાડી છે. તેમના વિવેચન ગ્રંથોનાં શીર્ષકો રત્નમાલા જેવા છે. તેમનું વિવેચન કાર્ય બહુધા પત્રકારિત્વને અનુષંગે ખીલ્યું હતું. આ સામયિકો હતા ‘ચેતન', ‘ગુજરાત', ‘કૌમુદી’, ‘માનસી' અને ‘રોહિણી’. એમ કહી શકાય કે રંગદર્શી વિવેચનોથી અને અપૂર્વ તેમજ અનુકરણીય રહેલા વિવેચનપત્રકારિત્વથી તેઓ ગુજરાતી સાહિત્યનું એક યશોજ્જવળ પ્રકરણ લખી ગયા છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી યોગ્ય જ નોંધ લખે છે કે, ‘‘વિજયરાયની અથાક મહેનત અને પ્રેરણાથી સાહિત્ય અને વિવેચનનો ‘કૌમુદી’ દ્વારા એક પ્રવાહ શરૂ થયો જેને મહદ્ અંશે રોમેન્ટિક કહી શકાય.’’ વિશ્વનાથ ભટ્ટ તેમને સાક્ષરી પત્રકારિત્વ તરીકે મૂલવતાં, ‘આધુનિક વિવેચનકલાના આઘદષ્ટા' તરીકે સ્થાપે છે અને નોંધે છે કે ‘ગુજરાતના વિવેચનમાં કેવળ શુષ્ક શાસ્ત્રીયતા, લૂખા ગ્રંથપરીક્ષણ, કે નીરસ મતદર્શનને સ્થાને સંગીન વિદ્વત્તા છતાં રસાળ ને મોહક શૈલીનું તત્ત્વ ઊમેરી એને વાડ્મયના જેવું મનોરમ બનાવ્યું તે સૌથી પહેલું વિજયરાયે જ. એમની શૈલીમાં પાંડિત્યોચિત શિષ્ટતા ને ગૌરવ છે, તે સાથે એ પાંડિત્યને શુષ્કતામાં સરી પડતું અટકાવે એવાં ચેતન ને દીપ્તિ પણ છે.’’
તેમના વિવેચનમાંથી બાલાવબોધી વિવેચનને સ્થાને કેમ અને કેવા કેવા ઉન્મેષો પ્રગટાવી શકાય તેના ઉત્તમ નમૂનાઓ મળે છે. તેમના અભિપ્રાયો, વિશેષણો, વિધાનો હૃદયંગમ અને ચિરંજીવ છે. વિવેચન શાસ્ત્ર તો ખરું પણ તે સહૃદયતા, રસ અને ઊર્મિનો વિષય પણ છે તેની પ્રતીતિ તેમની આ નવીન શૈલી અને
For Private & Personal Use Only
www.jainelibrary.org