________________
પ્રતિભા દર્શન
જે ૪૦
સુધી પ્રભાવ પાથરતાં હોય છે. એમની વાણીના એક એક વિધાનો સામાન્ય જનસમાજના કાયમી પથદર્શક બની રહેતા હોય છે. દરેક પ્રજાના કવિઓ અને સંતો-મહંતો તથા એમની વાણી જગતની સંસ્કૃતિની ધારક છે. પાછળનાં પાનાઓ પર આલેખાયેલાં ચરિત્રો એ વાતની સાખ પૂરશે. એમનાં જીવનની એક એક ઘટના કે એમણે વહાવેલી વાણીની એક એક પંક્તિ અનેકોનાં હૃદયમાં સોંસરવી ઊતરીને લોકોની સવૃત્તિને ઉજાગર કરવામાં કામિયાબ થાય છે. એ સ્વયંભૂ પ્રતિભાનું ફળ હોય છે. અને શિક્ષણના, સમાજના, સત્તાના કે સંપત્તિના કોઈ લેબલ એને લાગ્યા હોતા નથી. એ તો ફણગો ફૂટે એમ પ્રગટે છે અને ફૂલીફાલીને સમગ્ર વિશ્વને મહેકાવે છે. એવી વિભૂતિઓના જીવનપ્રસંગો અને અનુભવવાણી માનવીની સવૃત્તિને પાળે છે, પોષે છે અને વિકસાવે છે. એટલે તો એ સંસ્કૃતિના આધારસ્તંભો છે. સાતેક વર્ષની મહેનતને અંતે “લોકસંસ્કૃતિના આધારસ્તંભો” નામનો ગ્રંથ કેશુભાઈ બારોટ ૨૦૦૦ની સાલમાં જૂનાગઢથી પ્રગટ કર્યો જે પ્રકાશન ખૂબ જ આવકાર પામ્યું. એ ગ્રંથના કેટલાક પરિચયો આ ગ્રંથમાં જ “લોકસંસ્કૃતિના મશાલચીઓ” નામની લેખમાળા દ્વારા પ્રસ્તુત છે. પ્રખર સંશોધનકાર અને સંસ્કૃતિના ઘડવૈયા શ્રી કેશુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુમુખી પ્રતિભાસંપન્ન વિભૂતિઓ
માનવી “સ્વ” મટીને “સર્વ’ બને છે ત્યારે માનવી વ્યક્તિ મટીને વિભૂતિ બને છે. એ જ રીતે પ્રતિભા શબ્દ પણ ઘણો ઊંચો છે. અને વજનદાર પણ છે. પ્રતિભા શબ્દ ઊંડી વિચારણા અને ઘેરું રહસ્ય માંગી લે છે. વ્યક્તિત્વ સૌમાં સારું-નરસું રહેવાનું જ, પણ નવાં નવાં આયોજનો અને ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના એ જ પ્રતિભા, સંવર ભાવમાં પણ એક અનોખી મસ્તી માણતા ભાવિકજનો એ જ આ પ્રતિભાઓ.
મહાત્મા ગાંધીએ જેમને પોતાના આધ્યાત્મિક ગુરુપદે સ્થાપ્યા હતા તે શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાંડદર્શનવેત્તા તરીકે ખ્યાત બન્યા. દાર્શનિકક્ષેત્રે વિભૂતિઓનું પ્રદાન યાદ કરીએ તો તેમાં પં. સુખલાલજી, કિશોરલાલ મશરૂવાળા, આનંદશંકર ધ્રુવ આવા કેટલાક દાર્શનિકોનો શ્રી રાજુલ દવેએ આ ગ્રંથમાં જ સુંદર પરિચય કરાવ્યો છે.
માનવીનું જાજરમાન વ્યક્તિત્વ અને તેની વિરાટ પ્રતિભા ભલે બહારથી કોઈને ક્યારેક પ્રભાવિત કરી જતા હોય, પણ એ ક્યારેક કોઈના હૃદય સુધી ન પહોંચી શકતાં હોય તો એ પ્રતિભાનું ક્યારેય કોઈ મૂલ્ય હોતું નથી. કોઈનાં દુ:ખસંતાપ જોયા-સાંભળ્યા પછી પણ જેનું હૈયું દ્રવી ન ઊઠે તો એને પ્રતિભા કહેવામાં જોખમ છે. અંદરની ચિનગારીથી જ ક્રિયાશીલ બની શકાય છે. ચેતનાને ઊર્ધ્વગામી કર્યા વગર કે જીવનધર્મને આચરણમાં મૂક્યા વગર પ્રતિભાનું વ્યક્તિત્વ હંમેશાં અધૂરું જ રહેવાનું.
સાધના તપસ્યાનો માર્ગ અપનાવીને સાક્ષીભાવમાં પહોંચેલા નરસિંહ, મીરાં, સૂરદાસ જેવી પ્રતિભાઓમાં શ્રદ્ધા, સાદગી, સેવા, સમર્પણ, સદાચાર, સરળતા જેવા ગુણો જ્યાં ઘુઘવાટા કરતા હોય તેવી પ્રતિભાઓના સાંનિધ્યે જ આપણું ધ્યાન કેન્દ્રિત થઈને મનને લીન બનાવી રાખે છે. આવા જીવાત્માઓનું સૌંદર્ય સર્વત્ર પ્રસરેલું હોય છે, પણ ભીતરનાં નેત્રો ઉઘાડ્યા સિવાય એ સૌદર્યનું પાન પામી ન શકાય.
આધુનિક માનવે ધર્મક્રિયાઓમાં ભલે ટોચની પ્રગતિ કરી હોય, પણ તેની આંતરિક પરિણતી કેટલી વિકસી, તેના આંતરજગતમાં કેટલી ભીનાશ પ્રસરી તેના પરથી જ પ્રતિભાની પરખ થાય છે. પ્રતિભાનું વ્યક્તિત્વ શ્રીફળ જેવું: બહારથી ભલે કઠણ દેખાય પણ અંદરથી શીતળતા અને મધુરતા પામવાનું જ આપણું લક્ષ્યકેન્દ્ર છે. હૃદયને સ્પર્શવું જ પડશે. સત્ત્વશીલ સારસ્વત અને પ્રબુદ્ધજીવનના તંત્રી શ્રી રમણભાઈ શાહે આવી ઘણી વંદનીય હૃદયસ્પર્શી પ્રતિભાઓનો આ ગ્રંથમાં જ સુપેરે પરિચય કરાવ્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org