SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ પ્રતીક્ષા ચિત્રકાર : શ્રી વૃંદાવન સોલંકી છે. ઘણા ચિત્રરસિકોના સંગ્રહાલયોમાં તેમની કૃતિઓ જોવા મળે છે. તેમની ચિત્રકલામાં રેખાંકન પરનું તેમનું પ્રભુત્વ અધિક હોવાથી છેલ્લા કેટલાય વર્ષોથી તેમણે માત્ર શ્વેત-શ્યામ રેખાંકન પેપર અને કેનવાસ પર ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યાં છે, જેમાં ખાસ વિષયવસ્તુમાં સૌરાષ્ટ્રના ભરવાડ, ગોવાળો, વટેમાર્ગુઓ, બાળક વગેરે પોતાની શૈલીમાં રજૂ કરી શકયા છે. આથી તેમની કૃતિઓ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર જેવા શહેરોની આર્ટ ગેલેરીઓ તેમજ કલારસિકોનાં ઘર તથા વ્યવસાયી સ્થાનોએ પહોંચી શકે છે. માત્ર ચિત્ર જોઈને જ ઓળખી જવાય કે ‘આ સોલંકીનું ચિત્ર છે.’ ગ્રાફિક કલામાં કામ કરવું, તેમજ આ કલા યુવાકલાકારોને સરળ રીતે શીખડાવવામાં તેઓ અદ્ભુત કૌશલ્ય ધરાવે છે. જેનો ચિત્રકાર અવિનાશ ઠાકર જાણીતો દાખલો કહી શકાય. આજના ગુજરાતી સમકાલીન ચિત્રકારોમાં તેમનું નામ આદરથી લઈ શકાય. ગુજરાતમાં જાણીતા સમકાલીત ચિત્રકાર શ્રી મનુ પારેખ જન્મ ઇ.સ. ૧૯૩૯માં અમદાવાદમાં ચિત્રકલા માટે મુંબઈની જે. જે. આર્ટ સ્કૂલમાં દાખલ થઈ ઈ.સ. ૧૯૬૨માં ડિપ્લોમા મેળવ્યો. જીવન સફળતા માટે નાટકોમાં એકટિંગ Jain Education Intemational બૃહદ્ ગુજરાત અને સેટ ડિઝાઈન કર્યાં. ઇ.સ. ૧૯૬૩માં રાષ્ટ્રીય વણાટ સંસ્થામાં જોડાયા અને મુંબઈથી કલકત્તા બદલી થઈ. ત્યાંનાં લગભગ ૧૦ વર્ષના કાર્યકાળમાં તેમના સમગ્ર જીવનમાં જબરજસ્ત પલટો આવ્યો. અને તેમનાં સારાં સર્જનો થયાં. ત્યારબાદ સ્થળાંતર થઈ ન્યુ દિલ્હી સ્થાયી થયા. તેઓ દેશની ઘણી સંસ્થાઓમાં માનદ સભ્યપદ ધરાવે છે. તેમજ ઘણા વર્કશોપમાં ભાગ લે છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શનોમાં તેમની કૃતિઓ સ્થાન પામે છે. વિવિધ રાજ્યોની કલાિિશબરોમાં ભાગ લઈને કલાકારોને માર્ગદર્શન આપતા આવ્યા છે. તેમણે નાના-મોટા ૨૦ જેટલાં વૈયક્તિક પ્રદર્શનો યોજયાં છે અને ૪૦ જેટલાં સંયુક્ત પ્રદર્શનોમાં ભાગ લીધો છે. ચિત્રકલાના વિકાસાર્થે યુરોપ અને ઇસ્ટના ઘણા દેશોના પ્રવાસ કરેલ છે. દેશની અને રાજ્યની મોટાભાગની કલાસંસ્થાઓના એવોર્ડ તેમણે પ્રાપ્ત કરેલ છે. તેમની ચિત્રકલાના ત્રણ પ્રકાર છે. એક બનારસના કાર્યકાળ દરમ્યાનના બનારસ વિષયક દેશ્ય ચિત્રો. બીજું ખાસ-પ્રકા૨ના પ્રતીકોવાળા સ્ટીલલાઈફ, ત્રીજું ભોપાલની ગેસ દુર્ઘટનાના પ્રત્યાઘાત રૂપે તેમણે સર્જેલી માનવ મુખાકૃતિઓ, જે તે સમયે ખૂબ પ્રશંસા પામેલ. ગણનાપાત્ર ચિત્રકારોમાં તેમનું નામ લઈ શકાય. ચિત્રકાર : શ્રી મનુ પારેખ બાળ સહજ ચિત્રકલાથી જાણીતા ચિત્રકાર શ્રીમતી માધવી પારેખ બનારસ ઘાટ ઇ.સ. ૧૯૪૨માં અમદાવાદ ખાતે જન્મેલ શ્રીમતી પારેખ મનુભાઈ પારેખનાં ધર્મપત્ની છે. કલાજીવન પ્રારંભ ઇ.સ. ૧૯૬૪માં કર્યો. કોઈપણ આર્ટ કલાસ કે કોલેજના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy