________________
પ્રતિભા દર્શન
કરતી કંપની વિન્સન્ટ એન્ડ ન્યૂટન'ના કલાવિભાગમાં અવારનવાર કામ કરે છે. અને નાનાવિધ અન્ય કાર્ય સાથે ચિત્રકલા સર્જનમાં ઘણાં વર્ષોથી પ્રવૃત્ત છે. છેલ્લા થોડાં વર્ષોથી તેઓ ભારતની મુલાકાતે આવે છે. અને અખબારો તેમજ અન્ય મિડિયાઓને મુલાકાત આપતા રહે છે. તેથી તેઓ વધારે પ્રકાશમાં આવી શક્યા છે. તેમનું કામ મુખ્યત્વે વોટર અને પોસ્ટર કલર જેને ઇંગ્લેન્ડમાં ‘ગ્રાઉએ' કહેવાય છે. તેના માધ્યમમાં પેપર ઉપર હોય છે. વિષયવસ્તુમાં તેઓ ભારતીય રીત-રિવાજો, પત્નીની એકલતા, પરીણિત યુગલોનો વડીલોનો મલાજો, વિધવા સ્ત્રીની પરિસ્થિતિ, વિવિધ પ્રકારની પૂજા તેમજ માનતાઓ વગેરેને પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શક્યા છે. જે ભારતીય શૈલી કહી શકાય, અલબત્ત વિષયવસ્તુ ભારતીય છતાં રજૂઆત સમકાલીન રીતે કરે છે. તેમનાં ચિત્રો ભારતના ઘણા કલારસિકોના સંગ્રહસ્થાનોમાં ઉપરાંત લંડનના મ્યુઝિયમમાં સ્થાન પામ્યાં છે. ચિત્રકલામાં હાસ્ય તેમજ વ્યંગનો સમન્વય કરતા શ્રી અમિત અંબાલાલ
ઇ.સ. ૧૯૪૩માં અમદાવાદનાં શ્રીમંત મિલ-માલિકને ઘેર જન્મેલા. ત્યાં અમદાવાદમાં મિલોની જાહોજલાલી હતી. અમિતભાઈ આર્ટસ સ્નાતક થયા બાદ થોડો સમય પારિવારિક વ્યવસાયમાં ધ્યાનસ્થ થયેલ, પણ શિક્ષણ દરમિયાન ચિત્રકાર છગનલાલ જાદવ આ શ્રીમંતપુત્રને ચિત્રકલા શિખવાડવા ઘેર આવતા ત્યારથી આ શોખ ઘર કરી ગયેલો. એટલે સર્વસ્વ છોડી ઇ.સ. ૧૯૭૮ થી પૂર્ણકાલીન ચિત્રવ્યવસાય સ્વીકારી સારી નામના અને માન અકરામ પ્રાપ્ત કર્યાં. લગભગ ૨૦ જેટલા વૈયક્તિક પ્રદર્શનો દેશ-વિદેશમાં યોજ્યાં છે. અને ૩૭ જેટલાં સંયુકત પ્રદર્શનોમાં ભાગ લીધેલ છે. રાજ્યલલિતકલા તથા અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશનના એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમની કૃતિઓ દિલ્હી મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટ, લલિતકલા અકાદમી. બ્રિટીશ મ્યુઝિયમ, તેમજ વિકટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ ઉપરાંત ઘણા રસિકજનોના સંગ્રહસ્થાનોમાં જોવા મળે છે. ‘કૃષ્ણ-શ્રીનાથ સ્વરૂપ’ નામે રાજસ્થાની ચિત્રો ઉપર ખૂબ જ સુંદર પુસ્તક પ્રગટ કરેલ છે, જે દેશ-વિદેશના વૈષ્ણવ લોકો પાસે હોંશથી જોવાય તેમજ વંચાય છે. ઘણી બધી સંસ્થાઓમાં માનદ્ સભ્ય તરીકેની સેવાઓ આપી રહ્યા છે. તથા ચિત્રકારોના ઉત્કર્ષ માટે
Jain Education International
♦ ૪૨૯
અમદાવાદમાં કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની સ્થાપના કરીને ઘણા વર્ષોથી કલાકારોને પોતાનાં પ્રદર્શનો યોજવાની સવલત કરી આપેલ છે. તથા ઘણા ચિત્રકારોના કેમ્પમાં હાજરી આપતા રહે છે. અમદાવાદ દૂરદર્શન તેમજ સ્ટાર ચેનલ પર તેમના કલાવિષયક વાર્તાલાપો અવારનવાર રજૂ થાય છે.
તેમનાં સર્જન વિષયવસ્તુમાં ખાસ કરીને ધનીકવર્ગનો જનસમુદાય તથા પોતાની આસપાસ બનતા વિવિધ બનાવોમાં જીવનપ્રત્યેનો રમૂજી કટાક્ષ જોવા મળે છે. જેમ કે ‘ગાય દોહીને કૂતરાને પાવું' જેવી તળપદી કહેવતો ને ગાય, કૂતરા, કાગડા, મોર, ઉંદરડા, પેટની અંદર દેખાતા મટ મૈલ, કાન પાસે મચ્છર ગુન ગુન કરતા હોય. બિલાડીઓ, બગલા, કમળ, એકબીજાને ખંજવાળતાં મનુષ્યો વગેરે જે ચિત્રોને શબ્દોથી સમજાવી શકાતા નથી અથવા તો ચિત્રો જોવાથી પણ તેમ નથી હોતું, સિવાય કે કલાકાર પોતે આપણને કટાક્ષચિત્રની સમજ આપે. આ શૈલી તેમની આગવી શૈલીમાં છે. રંગોનું માધુર્ય અને જળરંગમાં વિવિધ ટેકચર નિરૂપણ કરવાની તેમની આગવી રીત છે અને તે દ્વારા તે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા છે. અને ગુજરાતમાંથી ભારતીય કલાકાર કક્ષામાં પોતાનું નામ ઊમેરી રહ્યા છે.
સૌરાષ્ટ્રતા ગ્રામ્યલોકોને શ્વેત શ્યામ રેખાંકનો દ્વારા દેશવિદેશમાં રજૂ કરતાર શ્રી વૃંદાવન સોલંકી
ઇ.સ. ૧૯૪૨માં જૂનાગઢ ખાતે જન્મેલા શ્રી સોલંકી શાળાકીય અભ્યાસ બાદ ઇ.સ. ૧૯૮૨માં વડોદરાની ફાઈન આર્ટ કોલેજમાં ચિત્રકલામાં અનુસ્નાતક થયા. ઇ.સ. ૧૯૮૨ થી ૮૭ અમદાવાદની નેશનલ ડિઝાઈન સંસ્થામાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. બાદ ઇ.સ. ૧૯૮૭ થી ૯૦ સુધી ‘ગુજરાતરાજ્ય લલિતકલા અકાદમી'ના સભ્યપદે રહ્યા. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નઈ, વડોદરા, બેંગ્લોર, મોરિશિયસ, ન્યુયોર્ક વગેરે સ્થળોએ ૨૬ જેટલાં વૈયક્તિક પ્રદર્શનો અને ૨૫ જેટલાં સંયુક્ત પ્રદર્શનોમાં ભાગ લીધેલ છે, તેમણે રાજ્ય લલિતકલા અકાદમી કાલીદાસ પ્રદર્શન, આર્ટસોસાયટી ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ગ્રાફિક્સ, લખનૌ લલિતકલા અકાદમી, જયપુર લલિતકલા અકાદમી, સહિત લગભગ ૧૨ જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેમનાં મુખ્ય સર્જનમાં એર ઇન્ડિયાનું મ્યુરલ ચિત્ર, ન્યુયોર્ક-ટિસ્કોનું કેલેન્ડર
For Private & Personal Use Only
www.jainelibrary.org