________________
જે ૪૨૩
15
: લોરીકામ
Re sti
e
nબર
પ્રતિભા દર્શન ફેકલ્ટીમાં અભ્યાસાર્થે મોકલ્યા, અહીં શ્રી બેન્દ્ર અને સુબહ્મણ્યમ પાસે તેમણે કલાજ્ઞાન મેળવ્યું. અને ઇ.સ. ૧૯૫૪માં ડિપ્લોમા મેળવ્યા, બાદ કુબેરનગરની મહાત્મા ગાંધી પ્રાથમિક વિભાગમાં ચિત્રશિક્ષક તરીકે જોડાયા. અહીં તેમણે બાળકોને ખૂબ સારી રીતે કલાજ્ઞાન આપ્યું. અવનવા પ્રયોગો દ્વારા એક સફળ સર્જનાત્મક શિક્ષક તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. બાદ ચિત્રકારોના મંડળમાં જોડાયા અને ચિત્ર સર્જનમાં પ્રવૃત્ત રહ્યા.
શરૂઆતના તબક્કામાં તેઓ દશ્યચિત્રો, માનવઆકૃતિઓ, સ્ટીલલાઈફ વગેરે સર્જતા; આમાં પણ વધુ ઝોક તો મોડર્ન કે અમૂર્તચિત્રો પ્રતિ રહેતો. આજીવન તેમને નિમ્ન કક્ષામાં જીવતાં લોકની વસ્તીમાં રહેવાનું થયું. સ્વભાવે સામ્યવાદી પ્રકૃતિને લીધે વૈભવી પ્રજાજનો પ્રત્યે અભાવની લાગણી રહ્યા કરતી. જાતે વધારે સર્જનો કેનવાસ કે પેપર જેવા માધ્યમોમાં ન કરી શકવાને કારણે સ્કેચબુકના રેખાંકનોની શૈલીમાં કામ કરવાની રીત અપનાવી, જેમાં બહુધા પોતાની આસપાસના પરિવારોમાંથી દુઃખી, વેદનાગ્રસ્ત, યાતના, ભય, જેવા લોકચહેરા ચિત્રિત કરતા રહ્યા. થોડા વર્ષો તેમણે સી. એન. ફાઈન આર્ટ કોલેજમાં કલા ઇતિહાસ શિક્ષણનું કાર્ય પણ કરેલું. ચિત્ર, શિલ્પ, રેખાંકતની આગવી પ્રતિભા
શ્રી પિરાજી સાગરા કલાગુરુ રવિશંકર રાવળ તેમજ રસિકલાલ પરીખ બાદ અમદાવાદમાં ચિત્રકલાસર્જનને સતત જીવંત રાખનાર પિરાજી સાગરા છે. જમાલપુરની મજૂર વસ્તીના સામાન્ય પરિવારમાં જન્મેલા સાગરાએ શાળાકીય અભ્યાસ બાદ ચિત્રકલાના રસને કારણે સી. એન. વિદ્યાલયમાં ચિત્રશિક્ષકનો અભ્યાસ કર્યો. ને હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષકની નોકરી મેળવી, સાથે જે. જે. સ્કૂલનો ડિપ્લોમા પૂર્ણ કર્યો. કલા સર્જનમાં અવનવા પ્રયોગો કરી તથા પ્રદર્શનો યોજી ઇનામો પ્રાપ્ત કરતા રહ્યા. તેમની સર્જક પ્રતિભાને લઈને અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં ચિત્રકલા વિભાગના પ્રાધ્યાપકનું કામ મળ્યું કે તેમણે નિવૃત્તિ સુધી નિભાવ્યું.
તેઓએ રેખાંકન, વોટર કલર, કેનવાસ ચિત્રો, મોટા પ્લાયવુડ પર લાકડાં ફીટ કરીને, હાથ પ્રાયમસ વડે બાળીને
ઉદેપુરની શેરી
ચિત્રકાર શ્રી પિરાજી સાગરા ખીલા વગરનો ઉપયોગ કરીને શિલ્પચિત્રો સજર્યા છે. સાથે મારબલ અને પથ્થરોનો ઉપયોગ કરી શિલ્પો પણ બનાવ્યાં છે. પરિભ્રમણના શોખને લીધે માઉન્ટ આબુ તેઓ વારંવાર જતા તેથી તેમનાં રેખાંકનો, સ્કેચબુકો માઉન્ટ આબુ તેમજ - રાજસ્થાન અને અમદાવાદનાં સ્થાપત્યોથી ભરપૂર છે. જમાલપુરથી સ્થળાંતર કરી સરખેજ રોડ પર મજદૂર વસ્તીમાં તેમણે નિવાસ તેમજ કાર્યસ્થળની ગ્રામીણ પ્રકારની રચના કરી. જ્યાં જૂનવાણી માલસામાન કારવીંગ થંભો, કાષ્ટકામ, શિલ્પો વગેરે વેચતા અને ચિત્રસર્જન કરતા. આવું વાતાવરણ જોવા વિદેશી પ્રવાસીઓ તેમની મુલાકાત લેતા જેનો તેમને પ્રચાર પ્રસારમાં સારો લાભ મળેલો. રાજ્યસરકારે તેમનાં કાર્ય અને સર્જન વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. વિદેશમાં તેમ જ દેશમાં સંગ્રહાલયોમાં તેમનાં સર્જનો જોઈ શકાય છે. સહજ સરળ સ્વભાવ અને સાદું જીવન તેમની આગવી ઓળખ છે. સ્થાપત્યના ઘણા વિદ્યાર્થીઓને કલા-શિક્ષણ આપેલ હોવાથી તેમનો બહોળો શિષ્ય સમુદાય છે. વર્ષો પૂર્વે તેમનું રીસ્ટ્રોપેકિટવ પ્રદર્શન સંસ્કારકેન્દ્રમાં યોજાયું હતું. તે પ્રસંગે તેમનાં બુકલેટ, કાર્ડ તેમજ કેટલોગ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. આજે જીવનસંધ્યાએ પણ તેઓ કાર્યરત છે. પોતાની જાતમહેનતથી અમદાવાદ તેમ જ ગુજરાતમાં એક આગવું નામ પ્રાપ્ત કરેલ છે.
શાહુક પર લાકો શીટ શકે, રાજ્ય પ્રાયમસ બનીને
7
0
Jain Education Intemational
cation International
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org