________________
પ્રતિભા દર્શન
શ્રી જોરાવરસિંહ જાદવનો જન્મ આકરૂ ગામે (ધંધુકા તાલુકો જિ. અમદાવાદ) શ્રી દાનુભાઈ હાલુભાઈના ખાનદાન ખોરડે તા. ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ થયો હતો. ઇ.સ. ૧૯૫૭માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી એસ. એસ. સી.ની પરીક્ષા પસાર કરી. ઇ.સ. ૧૯૬૧માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે બી. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી. ઇ.સ. ૧૯૬૩માં ભો. જે. વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય લઈને બીજા વર્ગમાં એમ. એ. ની પરીક્ષા પાસ કરી. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થોડો સમય માનદ્ અધ્યાપક તરીકે સેવા આપીને ઇ.સ. ૧૯૬૪માં તેઓ ગુજરાત રાજ્યના સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે જોડાયા અને સહકારી સામ્રાહિક અને ગ્રામ સ્વરાજ માસિકના સંપાદક અને સહતંત્રી બન્યા. હાલમાં તેઓ ગુજરાતની સહકાર સંસ્થાઓની રાજ્ય કક્ષાની ટોચની સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે કુશળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે. ઊંબરનો દીવો ઓશરીમાં અને ઓરડામાં બે જગ્યાએ પ્રકાશ પાથરે તેમ શ્રી યાદવ પત્રકારિત્વ અને વહીવટ એમ બંને ક્ષેત્રને નિષ્ઠાભરી કામગીરીથી અજવાળી રહ્યા છે.
લોકકલા ક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી છે. ગુજરાતની લોકકલાના ક્ષેત્રે કંઈ પણ ગણનાપાત્ર કામગીરી કરવાની હોય કે રાજ્યના લોક કલાકારોને વિદેશ મોકલવાના હોય ત્યારે રાજ્ય સરકાર, ભારત સરકાર, વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર (ઉદેપુર) અને સંગીત નાટક અકાદમી એમની સાથે પરામર્શ કરીને નિર્ણય કરે છે. એ એમની કામગીરીની નોંધપાત્ર સફળતા ગણી શકાય.
શ્રી જોરાવરસિંહ જાદવે ગુજરાતના ખૂણાનાં ગામડાઓમાં વસતા ૨૦૦૦ જેટલા કલાકારોનું સર્વેક્ષણ કર્યું છે. તેમાંથી ૧૨૦૦ જેટલા કલાકારો તેમની રાહબરી નીચે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે દેશભરના રાજ્યોમાં અને નગરોમાં નિયમિત રીતે લોક સંસ્કૃતિના કાર્યક્રમો દ્વારા રંગમંચો ગજાવે છે.
શ્રી જોરાવરસિંહભાઈ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ઉપરથી ઇ.સ. ૧૯૬૪થી લોક કથાઓ, રેડિયો રૂપકો અને વાર્તાલાપોની રજૂઆતો કરતા રહ્યા છે.
લોકવિદ્યાના ક્ષેત્રે શ્રી જાદવે મહત્ત્વની કામગીરી
Jain Education International
* ૩૯૧
બજાવી છે.સાપ્તાહિક નૂતન ગુજરાતમાં લોકજીવન, લોક સંસ્કૃતિ અને લોક કલા ઉ૫૨ ૫૦૦ જેટલા લેખો લખ્યા છે. ગુજરાતના લોકદેવો ઉ૫૨ ૩૦૦ જેટલા લેખો લખ્યા છે. અખંડ આનંદમાં મનોરંજન કરનારી લોક જાતિઓ, તેમજ આપણો કલાવારસો નામે લેખમાળા લખી છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષય સાથે એમ. એ. થયેલા શ્રી જોરાવરસિંહને પુરાતત્ત્વમાં પણ ઊંડો રસ છે. આ માટે તેમણે ઘણા પ્રયાસો પણ કર્યા છે. આવા નિષ્ઠાવાન કાર્યકરોને એવોર્ડો પણ મળ્યા હોય તે સ્વાભાવિક છે. લોકજીવનનાં મોતી ગ્રંથ માટે લોક સંસ્કૃતિ શોધ સંસ્થાન નગરશ્રી ચુરૂનો ‘મેધાણી સુવર્ણ ચંદ્રક', ઉપલેટા નગર પાલિકા તરફથી રજત ચંદ્રક, લોકકલા ક્ષેત્રની તેમની કામગીરી માટે સંસ્કાર એવોર્ડ, લોક કલા કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે મધુર જ્યોતિ એવોર્ડ, હડપ્પા સંસ્કૃતિના સંશોધન માટે ‘સંસ્કાર' પારિતોષિક, ‘લોક સંસ્કૃતિમાં પશુઓ.' ગ્રંથ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, ‘આપણા કસબીઓ' માટે N.C.E.R.T.)નું રાષ્ટ્રીય કક્ષાનું પારિતોષિક, તેમના ઘણા ગ્રંથો ભાવનગર યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં પણ મૂક્યા છે.
તેઓ અમદાવાદ દૂરદર્શન એડવાઈઝર કમિટી, સ્કીનીંગ કમિટી અને આકાશવાણી અમદાવાદની ઓડિશન કમિટીના પણ સભ્ય છે. જોરાવરભાઈએ ગુજરાત લોકકલા કેન્દ્રની સ્થાપના કરી આ પ્રવૃત્તિને સ્થિર ભૂમિકા ઉપર મૂકી આપી. લોકકલા કેન્દ્રનું વર્તુળ સાંકડું પડતાં એમણે ગુજરાત લોકકલા, ગુજરાતની લોક સંસ્કૃતિ પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય ફલક ઉપર મૂકી આપી.
દાદુદાન (કવિ દાદ)
કવિ દાદ એટલે દાદુદાનનો જન્મ વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામે ચારણ જ્ઞાતિની મિશણ શાખામાં પ્રતાપદાન ગઢવીને ત્યાં સં. ૧૯૯૬ના ભાદરવા સુદ ૩ (કેવડા ત્રીજ) (ઇ.સ. ૧૯૪૦)ના રોજ થયો હતો.
કવિ દાદની ઉંમર છ વર્ષની થતાં તેને ઈશ્વરિયા ગામની ગામઠી શાળામાં ભણવા બેસાર્યા. એક વરસ અભ્યાસ કરી પહેલું ધોરણ પાસ કર્યું પછી બાજુના ઇન્દ્રોઈ ગામે સરકારી શાળામાં ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો.
તેમને નાનપણથી જ ભણવામાં અને કવિતામાં ઊંડો રસ. ભણવામાં આવતી કવિતાઓ એક જ બેઠકે પાકી કરતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org