SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૯ જાવડશાનું નામ તીર્થોદ્ધારના કામમાં આદરણીય બન્યું છે. અમદાવાદના શેઠ શાંતિદાસ, કચ્છી દાનવીર નરસી નાથા કે કર્મયોગી મોતીશા શેઠની ભક્તિ ખરેખર તો તવારીખનાં તેજસ્વી પાત્રો બની ગયાં છે. કોઈ પણ શુભ કામ સિદ્ધિની ટોચ ઉપર ત્યારે જ પહોચે જ્યારે તેના પાયામાં ભેખધારીઓની નિષ્કામ સેવા ધરબાયેલી પડી હોય. કાળની કસોટીમાં કાંચન નીવડે તેવું એકાદ કલાત્મક સત્કર્મ કરી છૂટીએ તો જીવન કૃતાર્થ થાય તેમ માનનારા અમદાવાદના શેઠ હઠીશીંગ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણી કુમકુમ પગલાંનાં સદ્ભાગી હતાં. આ ધર્મપ્રેમી દંપતિએ અમદાવાદનાં ધર્મકાર્યોમાં અઢળક નાણું વાપર્યું. મંદિરોના નિર્માણમાં અખૂટ ધનરાશિ વાપરવામાં ધોળકાના ઉદા શેઠ પાસે મસ્તક નમી પડે છે. કહેવાયું છે કે દાનથી ધનવૃદ્ધિ, યશપ્રાપ્તિ, પ્રારબ્ધશુદ્ધિ થાય છે. ગુજરાતના મહાતીર્થ સોમનાથ ઉપર એક સમયે જ્યારે વિધર્મીઓનું આક્રમણ થયું અને ભયનું સામ્રાજ્ય વ્યાપી ગયું ત્યારે ભરયુવાનીમાં એક બત્રીસલક્ષણા ક્ષત્રિય યુવાન, લાઠી રાજઘરાનાના ગોહિલ શિરોમણી હમીરજી પોતાનું મસ્તક હાથમાં લઈને વેગડાભીલ જેવા સંખ્યાબંધ સાથીદારો સાથે સ્વાર્પણના માર્ગે ધસી ગયા, એ શહાદત ખરેખર તો સંસ્કૃતિનું સીમાચિહ્ન બની ગઈ. સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે. એમ સમજી સુરતનું એક ઝવેરી કુટુંબ, ભાવગનર જયેશભાઈ શાહનું કુટુંબ દીક્ષાર્થી બને, હીરાના એક કરોડપતિ વેપારી અતુલ શાહ તીવ્ર તડપન સાથે સંયમયાત્રાનો કઠીન રાહ પકડે એવા સંખ્યાબંધ પ્રસંગો પ્રતિભાઓના પરિચયમાંથી સાંપડે છે. વીરનગરમાં સ્થિરતા કરી આંખના ડૉકટર શિવાનંદ અધ્વર્યુએ અગણિત રોગીઓનાં મોતિયાના ઓપરેશનો કેવળ સેવાભાવથી કર્યો, તેઓ અનેક સન્માનોથી વિભૂષિત થયા. નિષ્ઠા અને પ્રામાણિક પુરુષાર્થે થયેલાં આવાં કાર્યો સાધનાકક્ષાના માપદંડો જ સમજવાના. સમાજજીવનના તમામ ક્ષેત્રે ઝળકી ઊઠનાર અને સર્વધર્મસમભાવમાં માનનારા શ્રી એચ. એમ. પટેલે ૧૯૭૯માં ભારતના ગૃહપ્રધાન તરીકે યશસ્વી કારકિર્દી બતાવી. જીવદયાપ્રેમી ભરત કોઠારી અને ગીતાબેન રાંભીયા પણ આપણી વંદનાના અધિકારી બન્યાં છે. સમાજસુધારણા માટે જીવનભર ઝઝૂમનાર દુર્ગારામ મહેતાજી, મહિપતરામ નીલકંઠ અને નવા યુગનો શંખ કુંકનાર મહુવાના કરશનદાસ મૂળજી ઉપરાંત કસ્તુરભાઈ લાલભાઈ અને નાનજીભાઈ કાળીદાસ જેવા સંસ્કારી ધનિકો અને ઉદારચરિત ઉદ્યોગપતિઓ, આજીવન અણિશુદ્ધ જીવન જીવનારા “ચરોતરરત્ન'ના એવોર્ડથી વિજેતા શ્રી છોટુભાઈ પટેલ વગેરેની સેવાને સૌ એટલા માટે યાદ કરે છે કે સમાજ માટે કાંઈક કરી છૂટીને સાત્ત્વિક આનંદ માણનારા એ મહાનુભાવો ગણાયા. ભારતભૂષણ ગણાયેલા સંપ્રદાયાચાર્યો આત્માની મધુરી મોજ માણવા અને અખૂટ આત્મસૌંદર્ય પામવા વિશાળ આત્મસંપત્તિના સ્વામી એવા વિનયશીલ આધ્યાત્મિક પુરુષોનાં જીવનચરિત્રો જાણવાં એ પણ જીવનનો અનન્ય લ્હાવો છે. સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવા પ્રભાવક પરિચયોમાંથી જ મળશે. જડચેતનાના સંમિશ્રણ સ્વરૂપ વિવિધ દૃષ્ટિકોણથી જે રીતે આ સંસારનું ચિત્રણ થયું છે તેની સ્પષ્ટ રૂપરેખા ધર્મપુરુષોના પરિચયમાંથી જ મળી રહેશે. મોહનદાસ ગાંધી ગુજરાતમાં જન્મ ધારણ કરી સમગ્ર રાષ્ટ્રના જો રાષ્ટ્રપિતા કહેવાતા હોય તો મહર્ષિ દયાનંદને પણ ભારતના પ્રપિતામહ ગણીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. મહર્ષિ દયાનંદના ગુરુ વિરજાનંદ પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત હતા. તેમણે દક્ષિણામાં દયાનંદ પાસેથી માત્ર એટલું જ માંગ્યું કે “ભારતમાંથી અજ્ઞાનતા, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy