________________
પ્રતિભા દર્શન
ભરણપોષણ પણ અમે કરીશું’’
આથી કવિ વાઘેરના યુદ્ધમાં સાથે જ રહ્યા અને સમયે સમયે વાઘેરોના યુદ્ધનું વર્ણન પોતે નજરોનજર જોયેલું. તેનું વર્ણન આ માણેક રાસા કાવ્યગ્રંથમાં કરતા રહ્યા.
કવિએ આ કાવ્યગ્રંથમાં વાઘેરોનાં નામ, ગામ, શાખ તે ઉપરાંત વાઘેરો સાથે યુદ્ધમાં સામેલ થયેલા બીજા રાજપૂત, મેર અને હરિજન લોકો ઇત્યાદિનાં નામો પણ ચોક્કસ રીતે વર્ણવ્યાં છે. કવિએ કેટલાક પ્રસંગો જતા કર્યા છે. પણ આ વાઘેરોના યુદ્ધમાં વડોદરાની ફોજ સામે લડાઈ લડતા જે શૂરવીરો વીરગતિને પામ્યા તેમનાં નામ ચોક્કસ રીતે વર્ણવ્યાં છે.
વાઘેરો આ યુદ્ધમાં દ્વારકાથી ભાગીને જુદે જુદે સ્થળે મોરચા લઈ લડાઈ કરતા કરતા કોડીનાર સુધી આવ્યા અને કોડીનારના ધીંગાણા પછી તુલસીશ્યામ સુધી પહોંચ્યા પછી પકડાઈ ગયા. તેમને વડોદરા લઈ જઈ જેલમાં રાખ્યા હતા. પણ વાઘેરો વડોદરાની જેલ તોડી બહાર નીકળી ગયા હતા. પછી વડોદરાની બજારમાં મૂળુ માણેકે અને જોધા માણેકે જે યુદ્ધ કર્યું તેનું વી૨૨સ ભ૨પૂર સુંદર અને સચોટ વર્ણન કવિએ ‘વડોદરા પવાડા’માં કર્યું છે. તે ઉપરથી પ્રતીતિ થાય છે કે, આ કાવ્ય કરનાર કવિ પણ વાઘેરો સાથે જેલમાં ગયા હતા.
વડોદરા છોડીને પુનઃ દેશમાં આવ્યા પછી જેરગાસ અને માછરડાનાં ધીંગાણા થયાં. તે સમયે કવિ વાઘેરો સાથે નહિં હોય એમ આ કાવ્ય વાંચતા લાગે છે. કારણ કે વડોદરાની જેલ તોડીને વાઘેરોએ કરેલા પરાક્રમનાં વર્ણન અને પછીની હકીકતોનું વર્ણન નથી અને આ કવિએ વડોદરાના ધીંગાણા પછી આ કાવ્ય ગ્રંથની પૂર્ણાહૂતિ કરી દીધી છે. એટલે એટલા પૂરતો આ ગ્રંથ અધૂરો છે. કવિ સદ્ગત થવાને કારણે ગ્રંથ અધૂરો રહ્યો છે. પણ કવિ જ્યારથી વાધેરો સાથેના યુદ્ધમાં જોડાયા અને જ્યાં સુધી વાઘે૨ો સાથે રહ્યા ત્યાં સુધીની જ હકીકતોનું વર્ણન કરેલ છે.
‘માણેક રાસા’ ગ્રંથમાં કુલ ૩૫૨ કવિતા છે. તેનો આરંભ દુહાથી થાય છે. દુહા ઘણા છે.
કવિએ આ ત્રણ ગ્રંથ ઉપરાંત છૂટક કવિતા પણ ઘણી લખી છે. ‘યદુવંશ પ્રકાશ'માં જામનગરના મહારાજ નીલમસિંહ મહારાજ અને મૂળુ માણેક અને જોધા માણેકનો ભેટો થયો. આ વખતનું વર્ણન કરતાં કવિએ ‘જમાળ’ નામનું કાવ્ય લખ્યું છે.
Jain Education International
> ૩૬૧
‘ગોરખ વિલાસ’ જેતપુર દરબાર મેરામવાળાના પુત્ર ગોરખવાળા માટે લખાયેલો છે.
ત્રીજો ગ્રંથ ‘દેવી શક્તિ’ નામે સં. ૧૯૨૫માં લખાયો.
જ્યારે ચુંડ, મુંડ નામના રાક્ષસોએ પૃથ્વી ઉપ૨ ધર્મનો નાશ કરવા માંડ્યો ત્યારે દેવી શક્તિએ તેના પર ચડાઈ કરી અને અસુરોનો વધ કર્યો તે પ્રસંગનું વર્ણન કવિએ ‘દેવી શક્તિ' ગ્રંથમાં કર્યું છે. તેમાં પણ દુહા, છંદ, છપ્પય, કવિત, સવૈયા વગેરે મળી કુલ ૧૬૯ છે.
આ બધા ગ્રંથોની મૂળપ્રત તેમની પાસે છે. પણ સંજોગો વશાત્ આ ગ્રંથો પ્રગટ થઈ શક્યા નથી. આપણે ઇચ્છીએ કે આ ગ્રંથો વહેલાસર પ્રગટ થાય.
'વંશ ભાસ્કર'તા કર્તા મહાકવિ
સૂર્યમલ્લજી
‘વંશ ભાસ્કર' જેવા ગ્રંથના કર્તા મહાકવિ સૂર્યમલ્લજીનો જન્મ ચારણ જ્ઞાતિની મિશણ શાખામાં ચંડીદાનને ત્યાં બુંદીમાં વિ.સં. ૧૮૭૨માં થયો હતો. રાજસ્થાનના ચારણ કવિઓમાં સૂર્યમલ્લજીની ઘણી પ્રસિદ્ધિ છે.
સૂરજમલ્લને છ પત્નીઓ હતી. પણ કોઈને દીકરો ન હતો. એટલે તેમણે મુરારિદાનને દત્તક લીધા.
સૂરજમલ્લ ઘણા સ્પષ્ટભાષી અને સ્વતંત્ર પ્રકૃતિના પુરુષ હતા. તેનો સ્વભાવ એટલો નિરસ હતો કે લોકો તેને મળવાનું પણ પસંદ કરતા નહિં. તે શરાબ ખૂબ પીતા પણ નશામાં એટલા ચકચૂર બનતા નહિં કે પોતાના શરીરની શુદ્ધિ ના રહે. કહેવાય છે કે નશામાં તેની કલ્પનાશક્તિ ઘણી તીવ્ર બનતી અને બે આદમી તેની બન્ને બાજુએ બેસતા. એ ઘણી મુસીબતે તેની કવિતા લખી શકતા. તે સ્વાભાવિક રીતે જ કવિ હતા. અને ષડ્માષાના જ્ઞાની હતા. તેમજ ન્યાય, વ્યાકરણ વગેરે અનેક વિષયોમાં પારંગત હતા.
તેમણે ૯ ગ્રંથો લખ્યા છે. (૧) વંશ ભાસ્કર (૨) વીરસતસઈ (૩) બળવંત વિલાસ (૪) છંદો મયુખ (૫) હરણા બુંદી (૬) વીર સપ્તસતી (૭) રામ રઝાટ (૮) સતી રાસો (૯) ધાતુ રૂપાણી.
આમાં તેનો વંશ ભાસ્કર સૌથી મોટો ગ્રંથ છે અને તે ઘણો પ્રસિદ્ધ છે. આ બુંદી રાજ્યનો પદ્યાત્મક ઇતિહાસ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org