________________
પ્રતિભા દર્શન
જે ૩૦
સંસ્કૃતિનું નંદનવનઃ
ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિ એ કોઈ વાણીવિલાસ કે ભાષાની ભભકનાં સાધનો નથી પણ આત્માને પોષક એવાં પ્રેરક પરિબળો છે. ગુજરાતના સંસ્કારવારસામાં સંસ્કૃતિની સુગંધ અને શીતળતાની પ્રતીતિ થાય છે.
વેદકાળના આરણ્યક ઋષિઓ અને યોગવિદ્યાના પરમ ઉપાસકો પારદર્શક જીવન જીવી ગયા, તેમાંના કેટલાક ગુજરાતમાં યોગવિદ્યા સાથે નિવાસ કરતા, ભગવાન શ્રીકૃષ્ણ સમર્થ મહાયોગેશ્વર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ગિરનારમાં યદુ રાજાને તત્ત્વજ્ઞાન તથા અવધૂત માર્ગનો ઉપદેશ દેનાર ભગવાન ગુરુ દત્તાત્રેયના પણ ગિરનારમાં બેસણાં છે. નર્મદા કિનારે નારેશ્વરના સંત બ્રહ્મલીન રંગ અવધૂતજીએ પણ દત્તોપાસના કરી સાક્ષાત્કાર કરેલો અને યોગ વિદ્યાની પ્રણાલી જાળવી રાખી. એક તરફ આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવનાર મુક્તાત્મા પૂ. મોટા પણ રંગ અવધૂતની જેમ પૂર્વમાં મહાત્મા ગાંધીના અનન્ય સેવકોમાંના એક હતા પણ દિશા બદલી, રાહ બદલાયો, તીવ્ર તપ અને હરિઓમના બળે મહાયોગી બન્યા, ગામડે ગામડે શાળાઓ, સમુદ્રતરણ અને ગ્રંથનિર્માણનાં રચનાત્મક વલણવાળા મહાપુરુષ બન્યા. બીજી બાજુ જૂનાગઢ પાસે બીલખામાં શ્રીમન્નથુરામ શર્માજીના ૧૦૦ થી વધુ આધ્યાત્મિક ગ્રંથો ગુજરાતીમાં
જ્યારે કાંઈ નહોતું ત્યારે ગુજરાતનો સાચો વૈભવ બન્યા. એમના ઉપદેશે ઘણાને તાર્યા, ત્રીજી બાજુ ગુજરાતમાં શ્રેય સાધક વર્ગના સ્થાપક પૂ. નૃસિંહપ્રસાદજી મહારાજે સાધકોનો એક ઉન્નતગામી વર્ગ તૈયાર કર્યો, અંગ્રેજી શિક્ષણથી ભારતીય સાધનામાર્ગ પ્રત્યે શંકા અને પ્રશ્નાર્થથી જોતા વર્ગને એમણે બરાબર જવાબ આપ્યો. એવા જ સંત યોગેશ્વરજી જેમણે સંસ્કૃતિના પ્રસારનું યજ્ઞકાર્ય જીવનના અંત સુધી કર્યું. ગુજરાતને સસ્તું સાહિત્ય સુલભ કરી આપનાર ભિક્ષુ અખંડાનંદજીનું પ્રદાન પણ ઘણું છે. આમ કેટલાંક શુભ નામોને યાદ કરવાથી સુખ શાંતિનો અહેસાસ તો થાય જ અને પવિત્ર પણ થવાય છે.
આ પવિત્રતા જ જીવનધારાનો પાયો છે. એ શ્રેષ્ઠ શણગાર છે. પવિત્રતા હોય પછી જ્ઞાન, ગુણ, કળા, શક્તિ, સામર્થ્ય, સંપત્તિ બધું જ માનવીને સરળતાથી ઉપલબ્ધ બની રહે છે. આ પવિત્રતા અને પરોપકારની પ્રત્યેક પળ પરમતત્ત્વને પામવાની સુંદર તક છે, એમ જ્ઞાનીઓ વારંવાર આપણને કહે છે.
સંસ્કારવારસાની આ જ્યોત વિશ્વપ્રાંગણમાં પ્રસરાવવામાં ગુજરાતના મહર્ષિઓ અને મેધાવી પુરુષોએ તન, મન વિસારે મૂકી દેતાં ભારે મોટો પુરુષાર્થ કર્યાનો પડઘો પાડે છે. કાળના સંહારક ધસમસતા પ્રચંડ પૂરમાં અનેક સંસ્કૃતિ ધરબાઈ ગયી છે. પણ માત્ર જૈન-હિંદુ સંસ્કૃતિ જ વિનાશક બળોની સામે ટકી રહી, તેનાં કારણોમાં તેનાં મૂલ્યાંકનો ચિરંતન અને દઢ પાયા ઉપર રચાયેલા છે અને તેથી જ તેનું સાતત્ય ધર્મસંસ્કારોથી હંમેશાં શોભતું રહ્યું છે.
૧૪મી સદીમાં દાનવીર જગડુશા કચ્છમાં થયા, દુષ્કાળમાં ઠેર ઠેર અન્નક્ષેત્ર ખોલાવ્યાં, હિંદુ-મુસ્લીમોને મંદિરો અને મજીદો બંધાવી આપ્યાં. તેમના જેવા અનેક મહાન જ્યોતિર્ધરો અને સંસ્કૃતિના પુરસ્કર્તાઓનાં જીવન પણ એવાં જ સાત્વિક, ઊજળાં અને મહાકાવ્યો જેવાં હતાં, તેમની પ્રચંડ ઉર્જાએ આપણને સૌને જાગૃત રાખ્યા છે. એ સૌ પુણ્યાત્માઓના વિશુદ્ધ સ્વરૂપની માત્ર ઝાંખી અહીં કરાવીએ છીએ.
અત્રે ભલે વિવિધ પ્રજાઓ અને વિવિધ ધર્મસંસ્કારો રહ્યા, પણ પ્રેમ અને અહિંસા જીવનદૂધમાં મેળવી સંસ્કારોને ઉછેરીને વિકસાવીને એમાંથી જ જીવનનું રસાયણ બનાવી, અદ્ભુત સંજીવની નિપજાવી, અભિનવ સમાજ ઘડવાનો ભગીરથ પુરુષાર્થ કરનાર પારસીઓ પણ પોતાનો ધર્મ સાચવી, આપેલા વચન પ્રમાણે અહીંની પ્રજા તેમ જ સંસ્કૃતિમાં દૂધ સાકરની જેમ ભળી ગયા. પારસીઓનું પ્રાચીનત્તમ સ્થળ ઉદવાડા એ વાતની સાક્ષી પૂરે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org