SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ સાવરકુંડલાના તાલુકા જેસર પાસે આવેલું દેપલા ગામ મુનિશ્રીનું વતન છે. પિતા દલીચંદભાઈ દોષી (અત્યારના મુનિ દેવસુંદરવિજયજી) ને મુંબઈમાં કાપડનો મોટો વ્યવસાય હતો. આર્થિક રીતે સદ્ધર ગણાય એવા પરિવારમાં દેપલામાં રત્નસુંદરવિજયજીનો જન્મ થયો છે. ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી નાના. મહારાજશ્રીની પાંચ વર્ષની ઉંમરે માતુશ્રીનું અવસાન થયું. પિતામાં ધાર્મિક ભાવના પ્રબળ હતી. કુદરતના આ ફટકાએ તેમાં તેલ પૂરવાનું કામ કર્યું. સાંસારિક બાબતો પરથી ધીમે ધીમે મન પાછું ખેંચતા ગયા. પુત્રના પ્રથમ ગુરુ પિતા બન્યા. ૧૯૬૩માં કિશોરાવસ્થામાં રત્નસુંદરવિજયજીના મનમાં પણ સાધુત્વ અંગીકાર કરવાનો વિચાર આવ્યો. જૈન ધર્મના એક મુનિ ભુવનભાનુસૂરીશ્વરજીએ ઇ.સ. ૧૯૬૩થી યુવાનો માટે દર મે મહિનામાં કોઈ તીર્થસ્થાનમાં એક મહિનાની શિબિરનું આયોજન કરતા હતા. ૧૯૬૪માં અચલગઢમાં શિબિર યોજાઈ હતી. પિતા-પુત્ર બન્ને તેમાં એક મહિનો રહ્યા. રત્નસુંદરવિજયજીના મનમાં આંદોલન શરૂ થયું. થોડો સમય ભુવનભાનુસૂરીશ્વરજીના અંગત પરિચયમાં આવવાનું બન્યું. ઇ.સ.૧૯૬૪માં દિવાળી વેકેશનમાં રાજસ્થાનના પીંડવાડામાં બીજી શિબિર યોજાઈ હતી. રત્નસુંદરવિજયજીએ તેમાં ભાગ લીધો અને સંસાર છોડવાનો ત્યાં દૃઢ નિર્ણય કર્યો. ઘરે આવી કુટુંબ પાસે રજા માંગી. પિતા તો તૈયાર જ હતા, પણ બે મોટાભાઈના મનમાં ગડમથલ હતી. સમજાવટને અંતે તેમણે પણ સંસાર છોડવાની ઉલ્લાસપૂર્વક રજા આપી. ઇ.સ.૧૯૬૫ થી ૧૯૬૬નું એક વર્ષ પિતા પુત્ર ભુવનભાનુસૂરીશ્વરજીની સાથે રહ્યા. મુનિ સમજાવતા કે સંસાર છોડવો એટલે શું? તન અને મન બન્નેની આકરી તાવણીમાંથી ગુરુએ તેમને તપાવ્યા. કસોટીમાંથી પાર ઉતરેલા પિતા-પુત્રે ઇ.સ.૧૯૬૬ની ૨૩મી એપ્રિલે મુંબઈના પરા મલાડમાંથી દીક્ષા અંગીકાર કરી. ૧૮મે વર્ષે રત્નસુંદરવિજયજીએ દીક્ષા લીધી. તેના ત્રણ વર્ષ બાદ એટલે ૨૧મા વર્ષથી જાહેર પ્રવચનની શરૂઆત કરી. ઇ.સ.૧૯૭૪માં જામનગરમાં પ્રથમ વખત સ્વતંત્ર પ્રવચન કર્યું, ત્યારથી તેમની વૈચારિક યાત્રા સતત આગળ વધતી રહી છે. તેમનાં પ્રવચનના મુખ્ય બે પાસાં છે. એક પ્રેમની પરિભાષામાં બોલે છે. દોષિત પ્રત્યે તિરસ્કાર નથી હોતો. Jain Education International બૃહદ્ ગુજરાત બીજું માત્ર વિરોધ નહિં, પણ સાથોસાથ વિકલ્પ સૂચવે છે. રત્નસુંદરવિજયજીનાં કેટલાંક વિચારમૌક્તિકો જોઈએ. તેઓ કહે છે કે ‘“યુવાનોને ખરાબ નથી જોઈતું, પણ આપણે તેમને સારું આપી શકતા નથી એટલે તે બૂરા તરફ વળે છે. શિવાજી ઉપર રામદાસનું વર્ચસ્વ હતું. તેમ સત્તા પર બેસનાર વ્યક્તિ પર કોઈ મહાનુભાવનું છત્ર હોવું જોઈએ. આવાં છત્રને લીધે તે પદ્ધતિસર કામ કરે તો સમાજ ઘણો સુધરી શકે. સંત વ્યક્તિગત સુધારો કરે, સમષ્ટિગત નહીં. સમાજને સમાર્ગે વાળવાની તાકાત રાજસત્તા પાસે છે. એ સત્તાનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એટલે સજ્જનોએ તમામ ક્ષેત્રે દાખલ થવું જોઈએ. આજે ઉપદેશ આપવો સજ્જનના હાથમાં છે અને તાકાત દુર્જન પાસે છે. સજ્જનો દૂર ચાલ્યા ગયા છે તેને કારણે દુર્જનો ફાવ્યા છે.” ધર્મ અંગે રત્નસુંદરવિજયજી કહે છે કે ધર્મ એ ૨૪ કલાક આચરણની વાત છે. ધર્મ ચર્ચાનો વિષય નથી. કોઈ સારી વસ્તુને અપનાવવી અને હલકાથી દૂર રહેવું તે પણ ધર્મનો જ એક ભાગ છે. જીવન અંગેનો મુનિશ્રીનો અભિગમ ચોખ્ખો છે. પોતાનાં પ્રવચનમાં અવારનવાર કહે છે કે જીવનમાં કેન્દ્ર સ્થાને સફળતાને નહીં, પણ મહાનતાને રાખો. સાંપ્રત સમસ્યાઓ સફળતાને માપદંડ તરીકે સ્વીકારવાથી પેદા થઈ છે. મહાનતા આંતરિક છે અને સફળતા બાહ્ય છે. સમાજમાં પ્રભાવશાળી વિચારો રમતા મૂકો તો પ્રભાવશીલ બનાશે. જે સમાજ વૈચારિક રીતે કંગાલ અને દરિદ્ર હોય તે કદી બેઠો ન થઈ શકે. છેલ્લાં ૨૨ વર્ષથી મુનિ રત્નસુંદરવિજયજીએ લેખન કાર્ય આરંભ્યું છે. તાજગી તથા સુગંધીથી ભરપૂર તેમના ૧૨૫ પૈકીનાં કેટલાંક પુસ્તકોનાં માત્ર નામ જ જોઈએ તો ‘જીવન ઉદ્યોત', ‘મનવા ! ભોર ભયો, ઊઠો, જાગો, ‘જીવન એક સંઘર્ષ’, આસોપાલવ’, ‘મીઠાં જળ સાગરનાં’, ‘કુર્યાત્ સદા મંગલમ્’, ‘વાર્તા રે વાર્તા', ‘ચાલો, મોડું ન કરીએ', ‘મિચ્છામિ દુક્કડમ્’, ‘નયણે વહેતાં નીર’, “મારી માનસ યાત્રા', ‘આવો વાર્તા કહું', ‘મયુરપંખ', ‘પર્વાધિરાજનો સંદેશ', ‘મૃત્યુ મરી ગયું રે લોલ', એકલો જાને રે', ‘કહેવતોનો સમજવા જેવો મર્મ' વગેરે છે. જૈનાચાર્યોની નવી પેઢીમાં રત્નસુંદરવિજયજી ક્રાંતદર્શી વિચારક મુનિ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy