________________
૨૩૨૪૪
ગઈ. એમાં વળી સં. ૨૦૧૫ના માગશર મહિને પૂ. આ. શ્રી વિજયજીતમૃગાંકસૂરીશ્વરજી મહારાજનો પુણ્યપરિચય એવી શુભ ઘડીએ થયો કે, સવા વર્ષ એમની નિશ્રામાં ગાળીને સંયમ સ્વીકારવા માટે બધી રીતે સજ્જ બની ગયા અને સં. ૨૦૧૬ના વૈશાખ સુદ ૧૨ ના મંગલ દિવસે માત્ર સાડાબાર વર્ષની વયે હરીનકુમાર પૂ. પં. શ્રી મૃગાંકવિજયજી ગણિવરના શિષ્યરત્ન શ્રી હેમભૂષણવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. વાપીના આંગણે પુરુષની અને તેમાંયે બાળકની આ પ્રથમ દીક્ષા હોવાથી જૈનજૈનેતરોએ અપૂર્વ ઉત્સાહ સાથે એ દીક્ષા પ્રસંગ ઊજવી જાણ્યો.
પૂ. પં: શ્રી મૃગાંકવિજયજી ગણિવરના જીવનમાં ભીમકાંત ગુણ એવો સુંદર વિકસેલો હતો કે, જેના પ્રભાવે પૂ. શ્રી હેમભૂષણવિજયજી મહારાજનું સુંદરમાં સુંદર ચારિત્રઘડતર થવા પામ્યું. ૧૦ થી ય વધુ રોજની ગાથાઓ, ૧૦૦૦ ગાથાથી ય વધુ સ્વાધ્યાય આદિ વિશેષતાઓ સાથે પ્રારંભાયેલી એ જ્ઞાનયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી. થોડાં જ વર્ષોમાં પૂ. મુનિશ્રીએ સાધુવિધિ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, બુસંગ્રહીણિ, દશવૈકાલિક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, શાંતસુધા૨સ, ઉત્તરાધ્યયન, પ્રવચન, સારોદ્ધાર, સિદ્ધહેમ વ્યાકરણ (છ હજારી), અભિધાન ચિંતામણિ કોશ આદિ ગ્રંથો કંઠસ્થ કરવા ઉપરાંત સ્તવન-સજ્ઝાય આદિ હજારો ગાથાઓ મુખપાઠ કરી લીધી.
પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સાધના-આરાધના-સ્વાધ્યાય કરવા દ્વારા મુનિશ્રીને પોતાની એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. હતી. ગુરુનિશ્રાનો લાભ ૧૬ વર્ષ સુધી લઈને મુનિશ્રીએ ગુરુસેવા તથા અંતિમ માંદગીમાં નિર્યામણા આદિનો અપૂર્વ લાભ લીધો. પૂજ્ય ગુરુદેવના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ બાદ તેઓશ્રી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને પોતાના સંયમજીવનના ક્ષેમકુશળ માટે શિરોધાર્ય ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત બની ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં મુનિશ્રી ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું.
સં. ૨૦૩૨ સુધી ગુરુનિશ્રા મેળવીને અપૂર્વ ગુરુકૃપા પામનારા પૂ. મુનિશ્રી સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા ભાગ્યશાળી બન્યા.
Jain Education Intemational
બૃહદ્ ગુજરાત ‘જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચનો તૈયાર કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે એટલી ઘેઘુર બનીને વહેવા લાગી કે, જેનાથી થયેલા ઉપકારના લેખાં જ ન લગાવી શકાય. પ્રવચનોનું અવતરણ, પત્રવ્યવહાર, નાના મોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિના વરદ હસ્તે પાલીતાણામાં ગણિપદારૂઢ બન્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં પંન્યાસપદે પ્રતિષ્ઠિત કરાયા. સદૈવ પ્રસન્નતા, ગંભીરતા, સરળતા, પ્રતિષ્ઠા નામનાની કામનાથી પરાર્મુખતા આદિ વિરલ ગુણો ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુર્વજ્ઞાને શિરોધાર્ય ગણીને પંન્યાસપદ સુધી પહોંચેલા પૂ. પં. શ્રી હેમભૂષણવિજયજી ગણિવરને વર્ધમાનતપોનિધિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા સુવિશાલ ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વાપી પાસે બગવાડા મુકામે આચાર્યપદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સ્વ. પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી પત્રવ્યવહાર આદિ અનેક જવાબદારીઓને સુયોગ્ય રીતે વહન કરનારા તેઓશ્રી આજે સ્વર્ગવાસ બાદ તેઓશ્રીની ઇચ્છા | આજ્ઞાનુસાર સમગ્ર ગચ્છનું સુંદર સંચાલન કાર્ય કરી ગચ્છની અપૂર્વ સેવા બજાવી રહ્યા છે. પૂજ્યશ્રી ગચ્છ સંચાલનમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરે એવી મનોભાવના સાથે પૂજ્યશ્રીને ભાવભીની વંદના.
આ.
સૌજન્ય : સંઘવી ઇન્દુમતીબેન ભબુતમલ સુરતમલના શ્રેયાર્થે સંઘવી પરિવાર કોલ્હાપુર તરફથી.
ધીર ગંભીર, મેધાવી ચિંતક, પ્રભાવી પ્રવચતકાર પૂ. આ. શ્રી પ્રધુમ્નસૂરિજી મહારાજ
પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ પોતાના વડીલ બંધુ વ્યાકરણાચાર્ય પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન છે. તેઓશ્રીનું મૂળ વતન જંબૂસર પાસેનું અણખી ગામ. પિતાશ્રી હીરાલાલ દીપચંદ શાહ અને માતુશ્રી પ્રભાવતીબહેન પાસેથી ધર્મસંસ્કારોનું સિંચન થયું. પૂર્વના પ્રબળ સંસ્કારે ચૌદવર્ષની ઉછરતી વયે તીવ્ર વૈરાગ્ય પૂર્વક સં. ૨૦૧૭માં સુરત શહેરમાં પૂ. શાસનપ્રભાવક આચાર્યશ્રી વિજયમેરુપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવપૂર્વક સંયમ ગ્રહણ કર્યું. તીવ્ર ક્ષયોપશમથી ન્યાય, વ્યાકરણ અને સાહિત્યનો મૌલિક અભ્યાસ કર્યો. આગમગ્રંથો તથા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિઓનું ઊંડું અધ્યયન કર્યું. પ્રભાવશાળી વક્તૃત્વ અને ચિંતનપૂર્ણ અસરકારક લેખનકળાથી શ્રોતાઓ અને વાચકોના હૃદયમાં સ્થાન મેળવી શક્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org