________________
૨૩૨૪૨
સહજપણે જ સમજાયા વગર રહેતી નથી. આ ત્રણ વિશેષતાઓ એટલે બાળકના જેવી નિર્દોષતા, ધ્યાનયોગ તરફની ઊંડી પ્રીતિ અને સમર્પિત ભાવથી શોભતી પરમાત્મભક્તિ.
તેઓશ્રી દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના તરફ તો ગૃહસ્થજીવન દરમિયાન જ વળ્યા હતા અને • દીક્ષા લીધા પછી તો એ આરાધના-ઉપાસના ખૂબ જ અંતરસ્પર્શી, મર્મસ્પર્શી અને વ્યાપક બની હતી. તદુપરાંત પૂજયશ્રીનું સંયમીજીવન મુકુટમણિ સમાન બીજા ત્રણ ગુણથી પણ સમૃદ્ધ બનેલું છે. તે છે બાહ્ય-અત્યંત૨ તપ તરફનો આદરભાવ, સત્યમાર્ગને સમજવા અને સ્વીકારવા માટે શાસ્ત્રાધ્યયનનો નિષ્ઠાભર્યો પુરુષાર્થ અને બધા ય જીવો પર અપાર કરુણા વરસાવતો આત્મૌપમ્ય ભાવ. • વળી, પૂજ્યશ્રી વાણીનો પણ સંયમ પાળતા હોય તેમ બહુ ઓછું બોલે છે. પરંતુ તેઓશ્રીની અલ્પ પણ અમૃત-શી વાણીનો એવો પ્રભાવ પડે છે કે સૌ કોઈ એમનો પડ્યો બોલ ઝીલવા તત્પર હોય છે. અને એમાં ધન્ધાતા અનુભવે છે કે આ રીતે ત્રણ પ્રકારની રત્નત્રયીથી એટલે કે ગુણનિષધી અલંકૃત પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મહારાજની સંયમસાધના ખૂબ ખૂબ સ્વચ્છ, વિમલ, પ્રભાવક, ઉપકારી અને કલ્યાણકારી બની છે. તેઓશ્રીના આવા દિવ્ય જીવનની થોડીક માહિતી મેળવીએ.
રાજસ્થાનમાં ધર્મતીર્થ જેવો મહિમા ધરાવતું ફેલોદી નગર તેઓશ્રીની જન્મભૂમિ. પિતાનું નામ પબુદાન, માતાનું નામ ખમાબહેન. સં. ૧૯૮૧ના વૈશાખ સુદ બીજના દીવસે એમનો જન્મ થયો. નામ રાખ્યું અક્ષયરાજજી. જાણે આત્માના અક્ષય સુખ માટે આ નામ હોય એવો ઉજ્જવળ સંકેત એમાં સમાયો હતો ! અક્ષયરાજ ઘરસંસારમાં રહ્યા હતા અને સામાન્યજનની જેમ લગ્ન પણ કર્યાં હતાં. એટલે કુટુંબને નિભાવવાની જવાબદા૨ીમાં એમને પોતાના પિતાજીને સહકાર પણ આપવો પડયો હશે. પરંતુ એમના જીવનની બદલાયેલી કાર્યદિશા પરથી કંઈક એવું તારણ નીકળી શકે કે, એમનો જીવ મોહ-માયા-મમતામાં રાચનારો કે વૈભવ વિલાસ, સુખોપભોગ કે સમૃદ્ધિમાં ખૂંપી જનારો નહિં હોયઃ પણ એમના હૃદયને તો તપ-ત્યાગ-વૈરાગ્યનો માર્ગ જ પસંદ હશે. અને તેથી જ એમનું અંતર સંયમની સાધના પ્રત્યેના રંગથી રંગાયેલું હશે. અને તેથી જ સંસારમાં રહ્યા છતાં પણ અલિમ જેવું જળકમળવત્ જીવન જીવતા હશે. આવા ઉત્તમ જીવને સંસારની અસારતાનો ખ્યાલ જરા સરખા સંતસમાગમથી, ધર્મની વાણીના શ્રવણથી કે ધર્મના અધ્યયનથી કે સંસારીઓને વેઠવા પડતાં દુઃખોનાં દર્શનથી પણ આવી જતાં વાર લાગતી નથી. અયરાજના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. સદ્ગુરુના સમાગમનો યોગ કંઈક એવું કામણ કરી ગયો કે જેથી સંસારથી અળગા થવાની ઇચ્છા ધરાવતું મન એ માટે અતિ ઉત્સુક્તા અનુભવી રહ્યું. અને એક દિવસ એમની આ
Jain Education International
બૃહદ્ ગુજરાત ઉત્સુક્તા સફળ થઈ. અક્ષયરાજનો સંસારી જીવ ત્યાગના માર્ગે વૈરાગ્યને વિભૂષિત કરતાં ધવલ વસ્ત્રોથી શોભી ઊઠતો. પણ આવું ઉચ્ચ કોટિનું આત્મહિત સાધવામાં તેઓશ્રીએ કેવળ પોતાના જ કલ્યાણથી સંતોષ ન માનતાં શાંત, હિતકારી અને વિવેકભરી સમજુતીથી કામ લઈને પોતાના પૂરા પરિવારને - ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો. એટલે આ રીતે. પોતાના આખા પરિવારને ભવસાગરને તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મના ચરશે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધો.
આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો આવકારદાયક બન્યો ! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજાનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત સાપુંગવ તેમ જ વાગડયોહારક આચાર્ય શ્રી વિજયક સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી. અક્ષયરાજજીન દીક્ષામહોત્સવ એમના વતન છોડી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વ દિને ઉજવાયો હતો. તેઓશ્રીનું નામ મુનિશ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું. જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય ! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભવિજય અને મુનિ શ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આવ્યાં. હાલ પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી કલ્પતરૂવિજયજી મ. આ બંને તેઓએ પોતાના પિતા-ગુરુની ભક્તિસભર સેવા અને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પોતાની સંચયાત્રામાં આગળ વધી રહ્યા છે.
પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ભૂખ્યાને ભાવતાં ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ આત્મતત્ત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનન ઉજ્જવળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાની મોટી તપસ્યાઓ અને શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાત અનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્નો કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org