SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પૂજ્યશ્રીની આચાર્યપદવીનો પ્રસંગ ખૂબ જ ઠાઠમાઠથી યોજાયી. હતો. અનેક પ્રકારના શાસનસેવાનાં કાર્યો કરી સેં. ર૦ર૮ના વૈશાખ શુદ - ૩ ને રવિવારે ૬૦ વર્ષનો સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી કાળધર્મ પામ્યા. અનુમોદનાના પ્રભાવરૂપે કલકત્તા ભવાનીપુરમાં ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો મહાત ત્યાગી, વૈરાગી, સમતાતા સાગર, તવકાસમંત્રતા આરાધક, વચનસિદ્ધ મહાત્મા, સમર્થ શાસનપ્રભાવક, મહારાષ્ટ્ર-કેસરી પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરિજી મ. સં. ૧૯૪૪ના ચૈત્ર વદ ૧૩ના શુભ દિવસે ધર્મનગરી અમદાવાદમાં પૂજ્યશ્રીનો જન્મ થયો. તેમનું સંસારી નામ સીંગભાઈ હતું. પિતાનું નામ લાલભાઈ અને માતાનું નામ ગજરાબાઈ હતું. કુટુંબ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કારથી રંગાયેલું હતું. આવા ધર્મપરાયણ કુળમાં જન્મવાનું ભાગ્ય જેસીંગભાઈને પ્રાપ્ત થયું. કુટુંબના ધર્મના સંસ્કારો અને દેવ-ગુરુ ઉપરની દૃઢ શ્રદ્ધા – આ પ્રમુખ ગુણો તેમનામાં બાહ્યાવયથી જ વણાઈ ગયા હતા. ભોગ-ઉપભોગનાં સાધનો વચ્ચે પણ તેમનું મન તેમ જ ધ્યેય સંયમજીવનની અનુમોદના તરફ જ રહેતું. કાળ વહેતો રહ્યો. જેસીંગભાઈ ભણી ગણીને યૌવનવય પામ્યા. ગૃહસ્થધર્મને સ્વીકારતા તેઓ પરણ્યા અને સાથે સાથે પેઢીની અનેક જવાબદારીઓ પણ સંભાળી લીધી. કર્તવ્યની કસોટીમાં કુશળતા દાખવી વ્યવસાયમાં નામના મેળવી. બજારમાં પેઢીની આબરુ પણ ખુબ વધારી. આ બધું પ્રાપ્ત છતાં તેમને મન તો જિના, પ્રવચનશ્રવણ, જપ-તપ અને આરાધના જ મુખ્ય હતાં. આરાધકોના વર્ગમાં તેમનું સ્થાન મોખરે હતું. સંસારનાં ફળ સ્વરૂપ ત્રણ પુત્રો થયા. પ્રસંગે પ્રસંગે જેસિંગભાઈનો આત્મા સંસાર પ્રત્યે ઉદાસીન બનવા લાગ્યો. ગૃહસ્થ ધર્મનું પાલન સંયમ સાથે કરવા લાગ્યા. એવામાં એક પ્રસંગ ધ્યાન ખેંચે તેવો બન્યો. મોટા પુત્ર સારાભાઈનાં લગ્ન લેવાયાં. ઘરમાં ઉત્સાહનો પાર ન હતો. પણ જેસિંગભાઈના મનમાં ઉદ્વેગ હતો. આ લગ્નપ્રસંગની અનુમોદના માટે તેઓ તૈયાર ન હતા. તેમને લાગતું કે આપણે એ કર્યું, છોકરાઓએ કરશે પણ આ કરવા જેવું નથી એ ચોક્કસ છે. પુત્રનાં લગ્નના દિવસે સવારે ઊઠે છે અને સીધા પૌષધશાળામાં જઈ પૌષધ ઉચ્ચરે છે. ચારિત્રધર્મ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા આ પ્રસંગથી જણાઈ આવે છે. વિ.સં. ૧૯૯૧માં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિ શ્રી રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. પ્રવચનમાં માનવમેદનીનો પાર રહેતો નથી. ગુરુ ભગવંતોની અભિલાષા Jain Education International બૃહદ્ ગુજરાત ફક્ત ‘સવિ જીવ કરું શાસનરસી' હોય છે. તેઓ આવેલ તકોને સાથી લે છે. પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે શ્રદરનો પારખી લીધાં. અને એક દિવસ પૌષધમાં રહેલા શ્રાવકોને પૂછ્યું, ‘બોલો ભાઈ, આ જેસિંગભાઈ ચારિત્ર લે તો તેમની સાથે કોણ કોણ તૈયાર છે ?' આ વાતમાં આરાધકોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો. સાય એવા અભિગ્રહો થયા. જેસીંગભાઈએ પણ નિર્ણય જણાવ્યો કે, 'આવતાં ચોમાસા પહેલાં દીક્ષા લેવી, નહિતર અષાઢી ચૌદશથી ઉપવાસ કરવા.’ આવા અભિગ્રહથી સર્વ કુટુંબીજનો અકળાઈ ઊંચા પણ જેસીંગભાઈ તેમના નિર્ણયમાં મક્કમ હતા. આખરે તેમની મક્કમતાનો વિજય થયો. સં. ૧૯૮૧ના ફાગણ સુદ બીજનો દિવસ દીક્ષાગ્રહણ માટે નક્કી થયો. એ પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેસીગભાઈઓ અને બીજી પણ સાથીએ દીક્ષા ગ્રહણ કરી. કુટુંબીઓનો ઉકળાટ હવે ઉલ્લાસમાં પલટાઈ ગયો હતો. ીમા પ્રસંગે વ્હોરાવવાનાં કપડાં, પાત્રાનાં ઉપકરણોની છાબ પત્નીએ માથે લીધી. પુત્રો-પુત્રવધુઓ પણ ઉલટભેર આગળ આવ્યાં. જ્યારે જેસિંગભાઈ વરસીદાન આપતા રાજનગરના રાજમાર્ગો પરથી પસાર થયા ત્યારે ધન ધન્ય બની ગયું. દીક્ષા મંડપમાં જેસીંગભાઈ જેસીંગભાઈ મટી મુનિશ્રી જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના માર્ગે શ્રી રામવિજયજીના શિષ્ય બની ગયા. આ દીક્ષા-મહોત્સવની ભવ્યતા નીરખી પુ. આ શ્રી વિજય વલ્લભસૂરિજી મહારાજે પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તો ઇસ કાલકે શાલીભદ્ર કી દીક્ષા હુઈ.’’ દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં લયલીન બની ગયા. સંષમ જીવનની ક્રિયા કરવામાં એકતાન બની ગુર્વિજ્ઞાનું પાલન-વિનયાદી ગુષ્ઠ સાધવામાં ઉત્સુક બની, અન્ય મુનિરાજો માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સે. ૧૯૯૫માં શિ-પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સ. ૨૦૦૫માં આચાર્યપદે આરૂઢ થઇ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. પૂજયશ્રીની સંયમ સાધનામાં તેમજ શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજા ધર્મશ્રદ્ધાનું અદ્ભુત સિંચન કર્યું. અનંતા ઉપકાર કર્યા, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ નથી. મહારાષ્ટ્રમાં તેઓ ‘મહારાષ્ટ્ર કેસરી’ તરીકે જ ઓળખાતા રહ્યા. પૂ. આ.શ્રી વિજય બોદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન વિશિષ્ટ હતું. નમસ્કાર મહામંત્રની સતત આરાધના એ પૂજ્યશ્રીનો જીવનમંત્ર હતો. જીવનની એક પણ પળ આરાધના વિનાની જવા દેતા ન હતા. નમસ્કાર મહામંત્ર તેઓશ્રીના પૂરા જીવનમાં અને નસેનસમાં વ્યાપી ગયો હતો. આંગળીઓના વેઢે અહોનિશ જાપ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy