SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦૨ રહ્યો છે તેનું કારણ પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પૂણ્ય આશીર્વાદ જ છે. પિંડવાડાની આબાદી થઈ તેનું મુખ્ય કારણ ત્યાં સાહેબજીના વરદ હસ્તે શુભ મુહૂર્તે થયેલ પ્રતિષ્ઠા જ છે. અન્ય ભાવમાં પણ ગુરુદેવશ્રી આ. પ્રેમસૂરિ મ. ની તારકનિશ્રા મળે, આ જ ગુરુ મળે એવી શાસન દેવને પ્રાર્થના છે.’’ પંડિત મફતલાલ ઝવેરચંદ : ‘‘પૂ. આ. રામચંદ્રસૂરિજી કે પૂ. ૫. ભાનુવિજયજીએ શિષ્યસંપત્તિ વધારી તેમાં તેમની વ્યાખ્યાનશક્તિના પ્રભાવ કરતાં પૂ. પ્રેમસૂરિ મ. ની સંયમપ્રેરણા અને વાત્સલ્યભાવ મુખ્ય કારણ હતાં.'' પુખરાજ અમીચંદ : ‘‘સાહેબજી સિદ્ધિના શિખરે હોવા છતાં પ્રસિદ્ધિથી વિમુખ રહ્યા હતા.’’ યાદ રહે, નામનાથી, પૂણ્યથી, વ્યક્તિત્વથી કે ભક્તોના ટોળાંથી મહાનતા મળતી નથી. સાચી મહાનતા ઊભી થાય છે વિરલ કાર્યોથી અને વિશિષ્ટ ગુણોથી... પૂજ્યપાદશ્રીએ ૬૭ વર્ષના ચારિત્રપર્યાય દરમ્યાન વિશિષ્ટ કાર્યો અને વિરલ ગુણોની સુવાસથી એવી મઘમઘાયમાન મહાનતા પ્રાપ્ત કરી છે કે સેંકડો-હજારો વર્ષો સુધી તે ચિરંજીવ બની રહેશે... ૮૪ વર્ષની ઉંમરે ખંભાત મુકામે ‘વીર વીર’નો અજપા જાપ કરતા, બધા જ જીવો સાથે હાર્દિક ક્ષમાપના કરતા, અત્યંત સમાધિભાવમાં લીન બનેલા, પૂજ્યપાદશ્રીના દેહમાંથી વૈ. વ. ૧૧ના દિવસે હંસલો ઊડી ગયો. સકળ શ્રીસંઘ અશ્રુધારા વહાવતો રહ્યો. પૂજ્યશ્રી અમરતાની વાટે ચાલી નીકળ્યા. અણિશુદ્ધ સંયમમૂર્તિ સમા પૂજ્યપાદશ્રીની જીવનગરિમા અને ગુણગરિમાને જાણ્યા માણ્યા પછી હવે પછી ૨૦૦૫૦૦ વર્ષમાં આવી કો’ક ‘દિવ્યજયોતિ’નો પ્રાદુર્ભાવ થશે કે કેમ ? આવો સવાલ થયા વિના રહેતો નથી. ૧૭ વર્ષે દીક્ષા, ૬૭ વર્ષનો વિશુદ્ધ સંયમ પર્યાય, ૮૪ વર્ષનું આયુષ્ય. સેંકડો શિષ્યોનાં સર્જન, તપોમય જીવન, સાધના, ત્યાગપ્રધાન મનોવૃત્તિ, આગમ-કર્મસાહિત્યનો અઠંગ અભ્યાસ. આવા અગણિત ગુણભંડાર પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણસિંધુમાંથી એકાદ ગુણબિંદુની પ્રાપ્તિ થાય તો'ય આપણું જીવન સફળ થયું ગણાશે. સૌજન્ય : ૫. પૂ. વૈરાગ્ય દેશનાદક્ષ આ. ભ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી મહારાજના ૫૦ વર્ષના નિર્મળ સંયમજીવનની અનુમોદનાર્થે તેમના અગણિત ઉપકારની સ્મૃતિ નિમિત્તે મૂળીબેન અંબાલાલ શાહ, રમાબેન અંબાલાલ શાહ, ખ્યાતિ ધર્મેશ શાહ, મલય. (ખંભાતનિવાસી) Jain Education International બૃહદ્ ગુજરાત શ્રી ઘંટાકર્ણ મહાવીર મહુડી તીર્થતા સ્થાપક, પ્રકાંડ પ્રબોધમૂર્તિ, પરમ યોગતિષ્ઠ, સમર્થ વાદીર, વિશાળ ગ્રંથરાશિતા કર્તા, ‘શાસ્ત્રવિશારદ'ની પદવી પ્રાપ્ત કરતાર, પૂર્વધરો સમી શાસતપ્રભાવતા કરતાર પૂ. આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ શીલ, સંસ્કાર અને સુવિશુદ્ધ સંયમની સૌરભથી સદા સુરભિત ગુણિયલ ગુર્જરદેશની શસ્યશ્યામલા રત્નગર્ભા ભૂમિ પર એક દિવસ એક તેજપુંજ પ્રગટ્યો. એ ભૂમિ તે સુરમ્ય આત્રઘટાઓ વચ્ચે શોભતાં પ્રાચીન જૈન ઉત્તુંગ જિનાલયો વડે શોભતી વિજાપુર (વિદ્યાપુર) નગરીઃ અને તે દિવસ વિ. સં. ૧૯૩૦ના મહા માસનો કૃષ્ણ પક્ષની ચતુર્દશીનો ધન્ય દિવસ. તે ધન્ય દિવસે પાટીદાર જ્ઞાતિના અગ્રગણ્ય શ્રી શિવાભાઈ પટેલની શીલવતી ભાર્યા અંબાબહેનની રત્નકુક્ષીએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ઝગમગતું ભવ્ય લલાટ, પ્રેમસાગર સમાં નયનો, પ્રભાવશાળી મુખારવિંદ અને સસ્મિત ચહેરો, આબાલવૃદ્ધ સૌને આકર્ષી રહ્યો. ફોઈએ નામ પાડ્યું બહેચરદાસ. શૈશવકાળથી બાળકમાં મહાત્માનાં લક્ષણો દૃષ્ટિગોચર થતાં હતાં. એકવાર નાનકડા બહેચરને ઝાડની ડાળીએ ઝોળી બાંધીને સુવડાવ્યો હતો, ત્યાં ઉપર મોટો સાપ આવીને બેઠો. સૌ હતપ્રત થઈ ગયાં, પ્રાર્થના કરવા લાગ્યાં. એટલામાં સાપ આપોઆપ ધીમે ધીમે સરકીને ચાલ્યો ગયો. આ વાત સાંભળી એક મહાત્માએ ભવિષ્યવાણી ભાખી કે, ‘યહ લડકા બડા સંત યોગી હોગા’ અને બાળક બહેચરે મોટા થતાં એવાં લક્ષણો બતાવવા પણ માંડ્યાં. બહેચર ભણવામાં અને રમત-ગમતમાં અગ્રેસર રહેવા લાગ્યો. ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી આદિ ભાષાઓ સારી રીતે શીખીને પાંચ ધોરણ સુધી તો પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. મિત્રો પાસેથી ધાર્મિક અભ્યાસની વાતો સાંભળી પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર મહામંત્ર વિધિપૂર્વક વિનયસહ ગુરુ પાસેથી ગ્રહણ કર્યો. મુખપાઠ કર્યો. રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો. જોતજોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રંથનો સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થ-ભાવાર્થ-૫૨માર્થનું પરિશીલન કર્યું. હજી પણ વધુ અધ્યયનની ઝંખના જાગી. ગુજરાતના કાશી સમા જ્ઞાનતીર્થ મહેસાણામાં ‘શ્રી યશોવિજયજી જૈન-સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા'માં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ જૈનદર્શનનું ઉત્તમ અને તલસ્પર્શી અધ્યયન કર્યું. બહેચરભાઈને એક યતિશ્રીના જ્ઞાનનો લાભ મળ્યો છે અને ત્યારથી બહેચરભાઈને સંયમ સ્વીકા૨વાની ભાવના થઈ. એવામાં તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખસાગરજી મહારાજ પાલનપુરમાં બિરાજમાન હતા. બહેચરભાઈ ત્યાં પહોંચી ગયા અને દીક્ષા લેવાની ભાવના દર્શાવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy