________________
પ્રતિભા દર્શન
જે ૧૦૫
જૈન શ્રમણ સંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ
(iiiiiiiiiiiiiiiiiiiiii In H = = =
ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ જે મહાન યોગદાન આપ્યું છે તેનાથી સમસ્ત માનવજાત નિરંતર બાહ્ય અને અત્યંતર દૃષ્ટિએ સમૃદ્ધ થતી રહી છે. જૈન શાસનના મનોહર ઉદ્યાનમાં અનેક શ્રમણ પુષ્પો ખીલ્યાં, પાંગર્યા અને જગતને વિતરાગનો રૂડો માર્ગ બતાવ્યો. પૂર્વે પૂ. હેમચંદ્રાચાર્યજીએ કે પૂ. ઉપા. યશોવિજયજીએ અનેક ગ્રંથરત્નોની જેમ રચના કરી તેમ ભક્તિ, સાધના અને સ્તોત્ર-સ્તવનાદિ સાહિત્યમાં પૂ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીએ અને પૂ. દર્શનવિજયજી ત્રિપૂટી મહારાજે કરેલી ઐતિહાસિક સંશોધનાત્મક કૃતિઓની રચના કરી જે આજે પણ અગ્રસ્થાને છે.
સાંપ્રતકાલીન શ્રમણ સંઘના મહાન સૂત્રધાર પૂ. મણિવિજયજી દાદા, સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરનાર પૂ. બૂટેરાયજી મહારાજ, વીસમી સદીના જૈન શાસનના રાજા ગણાતા પૂ. મૂલચંદજી મહારાજ, ગઈ કાલના અને આજના કેટલાય પ્રખર આચાર્યોનું ગુરુપદ શોભાવનાર પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ, વીસમી સદીના મહાન જ્યોતિર્ધર અને સિદ્ધાંત મહોદધિ પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ, જ્યોતિર્ધર યુગપુરુષ પૂ. રામચંદ્રસૂરિજી મ. તપોનિધિ પૂ. ભૂવનભાનુસૂરિજી મહારાજ આ સૌ શાસનનાં સાચાં ઘરેણાં છે. વર્તમાનમાં પૂ. સાગરાનંદસૂરીશ્વરજીએ આગમ જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા, પૂ. નેમિસૂરિજી મહારાજ દ્વારા અનેક જિનમંદિરો અને મૂર્તિપ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ, પૂ. રામચંદ્રસૂરિજી મહારાજે અનેક દીક્ષાર્થીઓને ઊભા કર્યા, મહુડી તીર્થસ્થાપક યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ૧૦૮ ગ્રંથોનું નિર્માણ કર્યું. | પ્રાચીન ગ્રંથોના સંશોધકો પૂ. પુણ્યવિજયજી મહારાજ તથા જંબુવિજયજી મ. આ સૌના પ્રબળ પુરુષાર્થે જૈન શાસનનો જયજયકાર આજે પણ પ્રવર્તતો રહ્યો છે.
ગણધર શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરામાં અનેક મહાન ધર્મધુરંધર અને શાસન પ્રભાવક આચાર્યો, પદસ્થો, મુનિઓ થયા પણ અમે આ વિભાગમાં કેટલીક મર્યાદાને કારણે અને સંજોગોવશાત અમુક જ ચરિત્રો મૂકી શક્યા છીએ જે પરિચયોનો ક્રમ દીક્ષાપર્યાય મુજબ ગોઠવાયો છે.
શ્રમણ પરંપરામાં વિમલગચ્છ, અચલગચ્છ, પાર્જચંદ્ર| ગચ્છ અને ત્રિસ્તુતિક સમુદાયની અનેક સંતપ્રતિભાઓએ | પ્રકાશપુંજ રેલાવ્યો છે એ સૌને લાખ લાખ વંદના. –સંપાદક
ગુજરાતમાં સારસ્વતયુગના સ્થાપક
ભારતવર્ષના મહાત જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે તેવી મહાન વિભૂતિ હેમચંદ્રાચાર્ય. એમને વિદેહ થયાને લગભગ નવસો વર્ષ થવા આવ્યાં છતાં કવિતઅને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છસાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધીનું જેવું ચિરંજીવ કાર્ય એમણે કર્યું તેવું કાર્ય ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ કર્યું હશે. એમના પ્રતાપે જ ગુજરાતમાં સારસ્વતયુગનાં પગરણ મંડાયાં, એમના પ્રબળ પુરુષાર્થે જ મા શારદાનું ગુજરાતમાં સિંહાસન સ્થપાયું અને ગુજરાતી પ્રજાનાં ભાષા, સાહિત્ય અને સંસ્કારો સમૃદ્ધ બન્યાં. હેમચંદ્રાચાર્યજી ચિરકાળ સુધી અમર બની રહેશે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org