SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ બૃહદ્ ગુજરાત વીશંગનાઓની વસુંધરા ગરવી ગુજ્જીત વીસમી સદીનસ ગુજરાતની નારીઓની વાતો લઈને આવે છે અમર પંડિત સંકલિત, આલોક પ્રકાશનની માહિતીસભર સુંદર કૃતિ ‘વીરાંગનાઓની વસુંધરા ગરવી ગુજરાત’. ૧૧૧ નારીઓની આ વાતોમાં વિવિધ ક્ષેત્રને આવરી લેવાયું છે. તેમાં રાષ્ટ્રસમર્પિત, ત્યાગમૂર્તિ અને દેશભક્તિ દાખવનાર નિષ્ઠાવાન સ્વાતંત્ર્યસેનાની નારીરત્નો, પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ, કેળવણીકાર, શિક્ષણશાસ્ત્રી, સાહિત્યકાર, પત્રકાર, વહીવટકર્તા, સમાજસુધારક, નારીજગતના અન્યાયો સામે ઝઝૂમનાર તથા મહિલાઓની સામાજિક જાગૃતિનાં જ્યોતિર્ધર, આદિવાસીઓનાં આર્થિક અને સામાજિક ઉત્થાનનાં પ્રણેતા, નશાબંધીના પુરસ્કર્તા, વિકાસગૃહના વડલાને સતત ચિંતન પૂરું પાડનાર, અનાથ બાળકોના જીવનને માતૃવાત્સલ્યથી ધબકતું રાખનાર, લોકસેવાના યજ્ઞથી નાનકડાં ગામને ગોકુળિયું બનાવનાર, વિકલાંગ કન્યાઓની કરુણામયી માતા, કઠપૂતળીઓની કળાના કીમિયાગર; ભરતનાટ્યમ્, મણિપુરી, કથક, કુચીપુડી વગેરે શાસ્ત્રીય નૃત્યશૈલીની નૃત્યાંગના અને શિક્ષિકાઓ, ગુજરાતની યુવાપેઢીને લોકગીતનું ઘેલું લગાડનાર નારીરત્નો, ભક્તિસંગીત અને સુગમ સંગીતની ગાયિકાઓ, ચિત્રકાર, શિલ્પકાર, ભારતીય કેશકલાના નિષ્ણાત નારીરત્નોનો સુંદર પરિચય અપાયેલ છે. અમર પંડિત આ ઉપરાંત તેમાં ગોલ્ફક્ષેત્રે અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા, તરણક્ષેત્રે ગુજરાતનું નામ અમર કરનાર મહિલા, અભિનેત્રી, વહાણવટા તેમજ મીલ ઉદ્યોગમાં પ્રવૃત્ત નારીઓ, પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષિકા, રાજયોગિની બ્રહ્માકુમારી, અક્રમવિજ્ઞાનના પ્રણેતાના અંતેવાસી, વૈદિક સંસ્કૃતિ અને ભારતીય ઋષિ પરંપરા દ્વારા લોકચેતના જગાવનાર, નવી પેઢીના વાંચન, વિચાર માટે સતત જાગૃત, પરદેશમાં એશિયનોના પ્રશ્નોને વાચા આપનાર સેવાભાવી નારી તેમજ વિશ્વપ્રવાસી નારી એમ અનેકવિધ ક્ષેત્રોમાં કામ કરતી નારીઓનાં જીવનની માહિતી મળે છે. સંતોકબા નાનજી કાલિદાસ મહેતાના પરિચય સાથે તેમને જ સમર્પિત આ પુસ્તકમાં દિવંગત પ્રતિભાઓ અને હયાત નારીરત્નોના પરિચયમાં તેમનાં કાર્ય, કવન અને જીવનસંદેશ વણી લીધા છે. આપણાં ગૌરવશાળી નારીરત્નો સંબંધે ઉપરોક્ત વીરાંગનાઓની વસુંધરા ગરવી ગુજરાત' પ્રકાશનનું યશસ્વી સંપાદન કરનાર પિસ્તાલીશ વર્ષના અમરભાઈ રંગરાજ પંડિતે કોમર્સના સ્નાતક બની હિંમત અને શ્રદ્ધા સાથે યશસ્વી કારકિર્દીની શરૂઆત કરી, મધ્યપ્રદેશ ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિતનયરિંગના પ્રોજેકેટ મેનેજર તરીકે એન્ટ્રરપેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સતત પાંચ વર્ષ સુધી સુંદર સંચાલન કર્યું. ગુજરાતના અગ્રગણ્ય ઔદ્યોગિક તેમજ વ્યાપારિક એસોસીએશનની મેમ્બર્સ ડિરેકટરીનું પ્રકાશન, તબીબી શ્રેણી મેડીકેર ડિરેકટરી અને ગુજરાત આયુર્વેદ ૨૦૦૦ નું પ્રકાશન કર્યું. તેમના પિતામહ સ્વ. કૃષ્ણમાચાર્ય પંડિત અમદાવાદ મ્યુનિ.માં ઇ.સ. ૧૯૨૨ થી ૧૯૪૯ સુધી સતત ચૂંટાયેલા સભ્ય હતા. તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ અને માવલંકરદાદા જેવા રાષ્ટ્રીય નેતાઓ સાથે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો, અલગ અલગ કમિટીઓમાં ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા હતા. તેમના પિતાશ્રી રંગરાજ કે પંડિત એસ. ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ રહી ચૂક્યા હતા, તેમજ તેઓએ ઇન્ડિયન ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન (દિલ્હી) તેમજ ઇન્દુકના સંગઠન મંત્રી તરીકે પાંચ વર્ષ સેવા આપી હતી. આલોક પ્રકાશન દ્વારા શ્રી અમરભાઈનાં ઘણાં પ્રકાશનો લોકપ્રિય બની ચૂક્યાં છે. હાલમાં “વૈષ્ણવજન”ના સંકલનમાં વ્યસ્ત છે. તેમનો પુરુષાર્થ અને સ્વાપર્ણની ભાવનાને મનોમન વંદીએ છીએ. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy