________________
૧૬૨ >
તેઓએ બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ, મોહક ચેહરો અને મીતભાષી વ્યક્તિ તરીકે કલા જગતમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. નૃત્યાંગના, અભિનેત્રી, નૃત્યનિર્દેશિકા, લેખિકા તેમજ યુનેસ્કો હેરીટેઝ પ્રોજેક્ટ, યુનિસેફ ગ્રામ્ય સ્વાસ્થ્ય પ્રોજેક્ટ, એઇડ્ઝ અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સામાજિક ક્ષેત્રે પણ અગત્યનું પ્રદાન કર્યું છે.
તેઓ દર્પણ એકેડમી ઓફ પરફોમિંગ આર્ટસના સહદિગ્દર્શક તરીકે તેની સમગ્ર પ્રવૃત્તિઓનું સંચાલન અને વહીવટ કરે છે. વિશ્વના અનેક દેશોમાં તે સંસ્થા પથરાયેલી છે. તેઓ હંમેશા નવા પડકારો ઝીલીને કાર્યરત રહે છે. તારા ટી. વી. ચેનલના ડાયરેક્ટર તરીકે તેણીએ કલા અને તેનાં માધ્યમોના વિકાસ તેમ જ પરિવર્તનમાં ઉત્તમ યોગદાન આપેલ છે.
રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીનો વર્ષ ૨૦૦૦નો પ્રતીષ્ઠિત એવોર્ડ તેમને એનાયત થયો હતો. મૃણાલીની અને મલ્લિકા આ એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ‘માતા-પુત્રી’ છે. ઉત્તમ મહિલા ક્યાકાર ઇન્દિરા બેટીજી
અધ્યાત્મ આધારિત પ્રવચનો એ તેઓની કૌટુંબિક પરંપરા રહી છે. છેલ્લાં ૫૦ વર્ષથી ભક્તિમય જીવન જીવનાર ઇન્દિરા બેટીજીએ માત્ર બાર વર્ષની ઉંમરે જાહેરમાં પ્રથમ પ્રવચન આપ્યું. તેઓએ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે એમ. એ. કર્યું છે. ‘સર્વદર્શન’ વિષય પર અધ્યયન કરી બનારસથી આચાર્યની પદવી મેળવી હતી. તેઓ શ્રીમદ્ ભાગવત, ગીતા, ઉપનિષદ અને પૂ. વલ્લભાચાર્યજીની વિચારધારા પર મનનીય પ્રવચનો આપે છે. તદ્ઉપરાંત ‘શ્રાવણી શામકિંકર'ના નામથી કવિતાઓ પણ રચે છે.
તેઓ શ્રીમદ્ ભાગવત, ગીતા, ઉપનિષદ અને પૂ. વલ્લભાચાર્યજીની વિચારધારા પર મનનીય પ્રવચનો આપે છે.
ભક્તોનાં આમંત્રણથી ભારત અને અન્ય દેશોમાં કથા પ્રવચન કરવા જાય છે. ‘જનસેવા એ જ પ્રભુસેવા’માં વિશ્વાસ ધરાવતાં ઇન્દિરા બેટીજી આપત્તિના સમયમાં નાણાંકીય મદદ સાથે લોકોની વહારે આવ્યાં છે. આમ, તેઓશ્રી ઉત્તમ કથાકારની સાથે સંનિષ્ઠ સમાજસેવિકા પણ છે.
Jain Education International
વિલ વિશ્વપ્રવાસી
પ્રીતિ સેનગુપ્તા
બૃહદ્ ગુજરાત
પ્રીતિ બહેન શાહ મૂળ અમદાવાદનાં. તેઓ અંગ્રેજી વિષય સાથે એમ. એ. કરી અધ્યાપનના અનુભવ પછી અમેરિકા ગયાં. તેમનો પ્રવાસ શોખ એવો કે, નકશાના સહારે અપરિચિતો વચ્ચે એકલા વિશ્વ ખૂંદવા નીકળી પડે.
પ્રીતિબહેને ૯૦ દેશોના આચાર, વિચાર, વાણી, વર્તન, રહેણી-કરણીની પ્રણાલીઓને - લોકજીવનને નજીકથી જોયાં અને જાણ્યાં છે. ૧૯૮૯માં દક્ષિણધ્રુવ અને ૧૯૯૨માં ઉત્તવનો પ્રવાસ ખેડ્યો. ઉત્તવ પર પગ મૂકનાર પ્રથમ ભારતીય મહિલા છે.
તેઓ એક સારા પ્રવાસ લેખિકા અને કવયિત્રી પણ છે. તેમના ૧૦ પ્રવાસ સંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રીતિબહેનને ચિત્ર, સંગીત અને ફોટોગ્રાફીનો પણ શોખ છે. જે દેશમાં જાય ત્યાંની ભાષાનું કામચલાઉ જ્ઞાન મેળવી લે છે. વિવિધ ભાષાઓ તે જાણે છે. પતિશ્રી ચંદનસેન ગુપ્તા દરેક પ્રવાસમાં સાથ નથી આપી શક્તા, પરંતુ તેઓના વૈશ્વિક ભ્રમણનું શ્રેય તે પતિને આપે છે.
વિદેશમાં ભારતીય કલાસૌરભ
ગીતાબહેન દવે
(જન્મ : ઇ. સ. ૧૯૬૦)
ચિત્રકાર પિતા બળવંતભાઈ જોષીના પુત્રી એવાં ગીતાબહેને બાળપણથી જ પીંછીને દોસ્ત બનાવી છે. વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાંથી ક્રિએટીવ પેઈન્ટીંગમાં એમ. એ. ની પદવી મેળવી છે. બાળ કલાકાર તરીકે ‘સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ' માત્ર અગિયાર વર્ષની વયે પ્રાપ્ત કરી રશિયાનો પ્રવાસ કર્યો હતો.
For Private & Personal Use Only
રાજકોટમાં ક્રિએટીવ આર્ટ સેન્ટરની સ્થાપનાથી કારકિર્દી શરૂ કરનાર ગીતાબહેન અત્યારે અમેરિકાના લ્યુઇઝિયાના સ્ટેટના બેટનરુઝ શહેરમાં શિક્ષિકા અને કલાકાર તરીકે કાર્યરત છે. તેઓ બેટનરુઝ સીટીના કલાજગતમાં પોતાની જાતને સતત કાર્યશીલ કલાકાર તરીકે સ્થાપિત કરી ચૂક્યાં છે.
બેટનરુઝના આઠ બાય સોળ ફૂટના મ્યુરલમાં પ્રાણીઓ
www.jainelibrary.org