SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ વ્યાખ્યાન ૨૩૩] સદ્દગુણના વિચારની પણ દુર્લભતા કરનારાં તેનાં વચનનો તાત્પર્ય કોઈ કહી શકયું નહીં. પછી શ્રી કાલિકાચાર્યે તે મત્સ્યના મનનો ભાવ જાણીને તેની સમક્ષ રાજાને કહ્યું કે को जीवति गुणा यस्य, यस्य धर्मः स जीवति । गुणधर्मविहीनस्य, निष्फलं तस्य जीवितम् ॥२॥ ભાવાર્થ-“કોણ જીવે છે? જેનામાં ગુણો અને ઘર્મ રહેલા છે તે જ જીવે છે. ગુણ અને ઘર્મથી જે રહિત હોય તેનું જીવિત નિષ્ફળ છે.” વળી– यस्मिजीवति जीवंति, सजना मुनयस्तथा । સવા પરોપર ૨, ૩ ગાતઃ સ ચ નીવતિ રામ ભાવાર્થ-“જેના જીવવાથી સર્જન પુરુષો તથા મુનિઓ જીવે છે અને જે સદા પરોપકારી છે તેનો જન્મ સફળ છે, અને તે જ જીવે છે.” पंचमेऽहनि षष्ठे वा, भुंक्तेऽनवद्यमेव यः । धर्मार्थी चाप्रमादी च, स वारिचर जीवति ॥३॥ ભાવાર્થ-“હે જળચર પ્રાણી! જે પાંચમે અથવા છઠ્ઠું દિવસે નિર્દોષ ભોજન કરે છે, જે ઘર્મના અર્થ છે અને અપ્રમાદી છે, તે જ પુરુષ જીવે છે.” આચાર્યે આમાંનો પહેલો શ્લોક કહ્યો, ત્યારે મત્સ્ય બે વખત “ નીર્વતિ” એ પદ બોલવા લાગ્યો. આચાર્ય બીજો શ્લોક બોલ્યા, ત્યારે એક વખત ઉપરનું પદ બોલવા લાગ્યો. અને આચાર્ય ત્રીજો શ્લોક બોલ્યા, ત્યારે તે મૌન ઘરીને રહ્યો. પછી રાજાએ સૂરિમહારાજને કહ્યું કે-“હે સ્વામી! જળચર પ્રાણી પણ ઘર્મક્રિયાની ઇચ્છા કરે છે, તે મોટું આશ્ચર્ય છે.” ગુરુ બોલ્યા કે “હે રાજા! ઘર્મ અને ગુણહીન મનુષ્યનો ભવ સર્વ જીવો કરતાં અતિ નીચ છે. તે વિષે વિદ્વાનની વાણીના વિલાસી કવિઓનાં વચનો સાંભળો येषां न विद्या न तपो न दानं, न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भूवि भारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ॥१॥ ભાવાર્થ-“જે મનુષ્યોમાં વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ અને ઘર્મ નથી તેઓ આ મૃત્યુલોકમાં પૃથ્વીના ભારરૂપ થઈને મનુષ્યને રૂપે મૃગ ચરે છે એમ સમજવું.” આ પ્રમાણે વિદ્વાનના મુખથી નીકળેલાં વચન સાંભળીને એક મૃગ ગર્વ સહિત બોલ્યો કે–“નિંદિત મનુષ્યને અમારી ઉપમા કેમ આપો છો? કેમકે અમે તો ઘણા ગુણવાન છીએ. गीते शीर्षं जने मांसं, त्वचं च ब्रह्मचारिणे । शृंगं योगीश्वरे दद्मो, मृगस्त्रीषु सुलोचने ॥१॥ ભાવાર્થ-“ગીતને માટે માથું, માણસને માંસ, બ્રહ્મચારીને ચર્મ, યોગીને શીંગડાં અને સ્ત્રીઓને માટે નેત્ર આપીએ છીએ.” વળી– दूर्वांकुरतृणाहारा, धन्यास्ते च वने मृगाः । વિમવોન્મત્ત મૂર્તાિપણાં, ન પતિ મુનિ ય ારા. ભાવાર્થ-“દૂર્વાના અંકુર અને તૃણનું ભક્ષણ કરનારા મૃગો વનમાં રહેતા હોવાથી વૈભવથી ઉન્મત્ત થયેલા મૂનાં મુખ જોતા નથી, માટે તેમને ઘન્ય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy