SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૬ વ્યાખ્યાન ૨૩૩. સગુણના વિચારની પણ દુર્લભતા यः प्राप्य मानुषं जन्म, दुर्लभं भवकोटिभिः । धर्मं शर्मकरं कुर्यात्, सफलं तस्य जीवितम् ॥१॥ ભાવાર્થ-“જે પ્રાણી કોટી ભવે કરીને પણ પામવો દુર્લભ એવો મનુષ્યભવ પામીને કલ્યાણ કરનાર એવા ઘર્મને કરે છે તેનું જીવિત સફલ છે.” दुःप्राप्यं प्राप्य मानुष्यं, कार्यं तत् किंचिदुत्तमैः । मुहूर्तमेकमप्यस्य, नैव याति यथा वृथा ॥१॥ ભાવાર્થ-“દુઃખે પામવા લાયક મનુષ્યજન્મ પામીને ઉત્તમ પુરુષોએ કાંઈક એવું કામ કરવું જોઈએ કે જેથી એક મુહૂર્ત પણ વૃથા ન જાય.” આ હકીકતને દૃઢ કરવા માટે નીચેનું દ્રષ્ટાંત જાણવું કાલિકાચાર્ય અને શાલિવાહનનો સંબંધ પૂર્વે પ્રતિષ્ઠાન નગરમાં કોઈ એક ઘનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તે મુહર્ત, ઘડી, પહોર, દિવસ વગેરે સર્વ કાળ ઘર્મક્રિયા, દાન વગેરે ઘર્મકાર્ય કર્યા વિના જ વૃથા નિર્ગમન કરતો હતો. અનુક્રમે તે આર્તધ્યાનથી મૃત્યુ પામીને તે જ પુરની સમીપે એક સરોવરમાં માછલું થયો. તેજ નગરમાં શાલિવાહન રાજાનો પૂર્વ ભવનો જીવ એક શ્રેષ્ઠી હતો, તે શ્રેષ્ઠી તે જ સરોવરને કાંઠે બેસીને સુપાત્ર દાન આપતો હતો. કહ્યું છે કે __ धर्मकीर्तिविहीनस्य, जीवितेन नरस्य किम् । यो धर्मकीर्तिवान् दानी, तस्य जीवितमुच्यते ॥४॥ ભાવાર્થ-“ઘર્મ અને કીર્તિથી રહિત મનુષ્યના જીવિતથી શું? પણ જે ઘર્મ અને કીર્તિવાળો હોવા સાથે દાતાર છે તેનું જ જીવિત સફળ છે.” અન્યદા સરોવરની પાળ ઉપર મુનિને દાન આપતા તે શ્રેષ્ઠીને પેલા માછલાએ જોયો; એટલે તેને જાતિસ્મરણજ્ઞાન થયું. અનુક્રમે શ્રેષ્ઠીનો જીવ મરીને એ જ પ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહન નામે રાજા થયો. એકદા શાલિવાહન રાજા ઉદ્યાનમાં ફરતો ફરતો તે જ સરોવરને કાંઠે વૃક્ષની છાયામાં આવીને બેઠો. તેને મોટો સમૃદ્ધિવાન જોઈને “પૂર્વભવના દાનનું આ ફળ છે” એમ પેલા માછલાએ જાણ્યું. પછી લોકોને બોઘ કરવા માટે તે માછલું મનુષ્યભાષાથી બોલ્યું કે को जीवति, को जीवति, को जीवति वदति वारिमध्यस्थः । मत्स्यः प्रबोधविधये, लोकानां ललितविज्ञानम् ॥१॥ ભાવાર્થ-“કોણ જીવે છે? કોણ જીવે છે? કોણ જીવે છે? એ પ્રમાણે ત્રણ વખત જળમાં રહેલો મત્સ્ય લોકોને બોઘ કરવા માટે સુંદર વચન બોલે છે.” આ પ્રમાણે મત્સ્યનું વાક્ય સાંભળીને રાજા વગેરે સર્વ લોકોને મોટું આશ્ચર્ય થયું. પછી રાજાએ સભામાં આવી પોતાના પંડિતોને તે મત્સ્યના વચનનું સ્વરૂપ પૂછ્યું, પરંતુ ચિત્તને ચમત્કાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy