SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 29 વ્યાખ્યાન ૨૩૨]. પાંચ સમવાય કારણથી કાર્યસિદ્ધિ આ પ્રમાણે અક્કાનું ગાયન સાંભળીને નર્તકી ફરીથી સાવધાન થઈ. અહીં ક્ષુલ્લકકુમાર તે ગાથા સાંભળીને બોઘ પામ્યો. તેથી તેણે તે નર્તકીને પોતાનું રત્નકંબલ પારિતોષિક (ઇનામ) તરીકે આપ્યું, એટલે રાજપુત્રે મણિજડિત કુંડલ આપ્યા, મંત્રીએ મુદ્રારત્ન આપ્યું, લાંબા વખતથી પતિના વિરહવાળી કોઈ સાર્થવાહની સ્ત્રીએ પોતાનો હાર આપ્યો, અને રાજાના મહાવતે અંકુશરત્ન ઇનામમાં આપ્યું. તે દરેક ઇનામ લક્ષ લક્ષ મૂલ્યનાં હતાં. તે જોઈને રાજાએ તે સર્વને પૂછ્યું કે “મારી અગાઉ તમે બઘાએ આ પ્રમાણે તુષ્ટિદાન આપ્યું તેનું શું કારણ? ‘ત્યારે પ્રથમ ક્ષુલ્લક બોલ્યો કે-“હે રાજા! હું તમારા નાના ભાઈનો પુત્ર છું. સાઠ વર્ષ સુધી સંયમ પાળીને વિષયવાસનાથી રાજ્ય લેવા માટે હું તમારી પાસે આવ્યો હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે હવે થોડા કાળ માટે પ્રમાદ કરવો મને ઉચિત નથી.” આવી વૈરાગ્યની બાઘક ગાથા પણ મને સાધકપણે પરિણમી; પ્રથમ ગુરુનાં સાઘક વચનો પણ મને બાઘકરૂપ થતાં હતાં. હવે હું ચારિત્ર પાળવામાં નિશ્ચલ થવાનો. તે કારણથી મેં મારા પર મોટો ઉપકાર કરનારી આ નર્તકીને સૌથી પ્રથમ પ્રીતિદાન આપ્યું. વળી હે રાજા! જો તમે મને પોતાના નાના ભાઈના પુત્ર તરીકે ઓળખવામાં સંદેહ પામતા હો, તો તે સંદેહને છેદનારી આ નામમુદ્રા જુઓ.” તે જોઈને રાજાએ ક્ષુલ્લકકુમારને કહ્યું કે “આ રાજ્ય તું ગ્રહણ કર.” તેણે કહ્યું કે-“રાજ્યાદિકમાં આસક્તિ ઉત્પન્ન કરનારો મોહરૂપી ચોર હવે મારા આત્મપ્રદેશથી દૂર ગયો છે, માટે હું રાજ્યાદિકને શું કરું?” પછી રાજાએ પોતાના પુત્રને પ્રીતિદાનનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે-“હે પિતા! રાજ્યના લોભથી આજકાલમાં હું તમને વિષાદિકના પ્રયોગ વડે મારી નાખવાના વિચારમાં હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે–પિતા વૃદ્ધ થયા છે, માટે હવે તેમનું બહુ થોડું આયુષ્ય બાકી રહ્યું હશે, તેથી મારવા તો નહીં, એમ ઘારીને હું ખુશી થયો તેથી મેં તેને પ્રીતિદાન આપ્યું.” પછી મંત્રીને પૂછતાં તેણે કહ્યું કે-“હે સ્વામી! તમારા શત્રુઓએ મને પોતાના પક્ષમાં લીધો હતો; પણ આ ગાથા સાંભળીને હું તેવાં પાપકર્મથી નિવૃત્તિ પામ્યો છું.” પતિના વિરહવાળી સ્ત્રીને પૂછતાં તે બોલી કે-“હે પ્રભુ! આજકાલ કરતાં પતિના વિરહમાં મેં બાર વર્ષ નિર્ગમન કર્યા, તોપણ તે તો આવ્યા નહીં, તેથી પુરુષનો વિરહ અસહ્ય લાગવાથી હું આજે પરપુરુષ સેવીને શીલનો ભંગ કરવા ઇચ્છતી હતી, તે આ ગાથા સાંભળવાથી પાછી શિયળમાં દ્રઢ થઈ કે-લાંબા કાળનું પાલન કરેલું શીલ થોડા વખત માટે મૂકવું નહીં. આ કારણથી મેં નર્તકીને પ્રીતિદાન આપ્યું છે.” પછી મહાવતને પૂછતાં તેણે કહ્યું કે “હું આપની રાણી સાથે લુબ્ધ થયેલો છું, અને આજે આપનો વિનાશ કરવા ઇચ્છતો હતો, પણ આ ગાથા સાંભળીને તેવા પાપવિચારથી નિવૃત્ત થયો છું અને તેથી મેં તુષ્ટિદાન આપ્યું છે.” આ પ્રમાણે સર્વનાં કારણો સાંભળીને રાજા વગેરે સર્વે હર્ષ પામ્યા; અને તે સર્વેએ ક્ષુલ્લકકુમારની સાથે જઈ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે સ્વર્ગાદિક ગતિને પામ્યા. આ દ્રષ્ટાંતનો સાર એ છે કે-“સંવિજ્ઞ સાઘુ વગેરેના મુખથી શુભકારી જિનેંદ્રની વાણી ચિરકાળ સુધી સાંભળ્યા છતાં પણ ક્ષુલ્લકકુમાર બોઘ પામ્યો નહીં, અને કાળાદિક સામગ્રી મળવાથી માત્ર એક જ નર્તકીની ગાથા સાંભળીને તત્કાળ વૈરાગ્ય પામ્યો. તેથી પાંચ કારણો મળે ત્યારે જ કાર્યસિદ્ધિ થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy