SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ હીલના ન થાય તેવી રીતે તેને રાખી. સમય પૂર્ણ થતાં તેને પુત્રનો જન્મ થયો, તે શ્રાવકોને ઘરે વૃદ્ધિ પામવા લાગ્યો. શ્રાવકોએ તેનું લાલનપાલન કર્યું, અને તેનું ક્ષુલ્લકકુમાર નામ રાખ્યું. તે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે તેને દીક્ષા આપી; પરંતુ ચારિત્રાવરણીયનો ઉદય થવાથી તેના ચિત્તમાં વિષયવાસના ઉત્પન્ન થઈ; એટલે તેણે પોતાની માતાને કહ્યું કે–“હે માતા! વિષયનું સુખ અનુભવીને પછી હું ફરીથી વ્રત ગ્રહણ કરીશ.”તેની માતાએ કહ્યું કે-“હે પુત્ર! આવું સંયમનું સુખ તજીને તુચ્છ વિષયમાં કેમ આસક્તિ કરે છે? તો પણ જો તારે સંયમની ઈચ્છા ન હોય, તો મારા વચનથી બાર વર્ષ સુધી મારી પાસે રહીને જિનેશ્વરની વાણી સાંભળ.” આ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળીને તે તેટલો વખત રહ્યો, અને પોતાની માતા (સાધ્વી) પાસે હમેશાં વૈરાગ્યમય વાણી સાંભળવા લાગ્યો, પરંતુ તેના મનમાં વૈરાગ્યનો લેશ પણ ઉત્પન્ન થયો નહીં. બાર વર્ષ પૂરાં થતાં તેણે માતાની પાસે રજા માગી, ત્યારે તેણે કહ્યું કે-“હે પુત્ર! તું મારી ગુણીજી પાસે જઈને રજા લે.” ત્યારે તેણે મોટી સાધ્વી પાસે જઈને રજા માગી. સાધ્વીએ કહ્યું કે-“અમારી પાસે રહીને બાર વર્ષ સુધી દેશના સાંભળ.” તેણે કબૂલ કર્યું, અને તેમની પાસે રહીને અનેક સૂત્રના અર્થો સાંભળ્યા, પણ કાંઈ પ્રતિબોધ પામ્યો નહીં. અવધિ પૂરી થતાં તેણે તેમની રજા માગી કે–“તમારા આગ્રહથી ઘણું કષ્ટ સહન કરીને પણ રહ્યો છું, માટે હવે હું જઈશ.” તે સાંભળીને તેમણે કહ્યું કે-“આપણા ઉપાધ્યાયજી ગુરુ છે, તેમની રજા લઈને પછી જા.” ત્યારે તેણે ઉપાધ્યાય પાસે જઈને રજા માગી. ઉપાધ્યાયે કહ્યું કે-“બાર વર્ષ સુધી અમારી પાસે રહીને દેશના સાંભળ.” તેણે તે પણ કબૂલ કર્યું, પરંતુ બોઘ લાગ્યો નહીં. અવધિ પૂરી થતાં તેણે ઉપાધ્યાયની રજા માગી. ત્યારે તેમણે કહ્યું કે-“ગચ્છના અધિપતિ સૂરિ પાસે જઈને તારી ઇચ્છા નિવેદન કર.” તેણે તેમ કર્યું. આચાર્યે પણ પોતાની પાસે બાર વર્ષ સુધી રહેવાનું કહ્યું એટલે તે તેટલો વખત રહીને અનેક પ્રકારની દેશના સાંભળવા લાગ્યો. આ પ્રમાણે માતા વગેરેના આગ્રહથી તેણે અડતાળીશ વર્ષ પર્યત દીક્ષાનું પાલન કર્યું તો પણ વિષયથી તેનું ચિત્ત પરાક્ષુખ થયું નહીં. પછી અવધિ પૂર્ણ થતાં તેણે સૂરિને કહ્યું કે-“હે સ્વામી! હું જાઉં છું.” તે સાંભળીને સાવદ્ય કર્મ હોવાથી સૂરિ તો મૌન જ રહ્યા. ત્યારે તે પોતાની મેળે ત્યાંથી ચાલ્યો. જતી વખતે તેની માતાએ પૂર્વ અવસ્થામાં (ગૃહસ્થપણામાં) આપેલું રત્નકંબલ તથા મુદ્રા (વીટી) તેને આપી. તે લઈને અને સંયમના સર્વ ચિહ્ન તજીને તે અનુક્રમે સાકેતપુરની રાજસભામાં પહોંચ્યો, ત્યાં કોઈ નર્તકી નૃત્ય કરતી હતી. તે નૃત્ય જોવામાં વ્યગ્ર ચિત્તવાળા સર્વે સભાસદો તેને વારંવાર ઘન્યવાદ આપતા હતા, અને તે નર્તકીની પ્રશંસા કરતા હતા. મુલ્લક પણ તે જોઈને તેમાં તલ્લીન થઈ ગયો. તેવામાં નર્તકી ઘણા વખતથી નાચ કરવાને લીધે થાકી ગયેલી હોવાથી તેનાં નેત્ર નિદ્રાથી ઘૂર્ણાયમાન થયાં. તે જોઈને તેની અક્કાએ સંગીતના આલાપમાં તેને કહ્યું કે सुट्ठ गाइअं सुटु वाइयं, सुटु नच्चियं सामसुंदरि । अणुपालिय दीहराइयं, उसुमिणते मा पमायए॥१॥ ભાવાર્થ-“હે સુંદરી! તેં બહુ સારું ગાયન કર્યું, ઘણું સારું વગાડ્યું, અને સારી રીતે નૃત્ય કર્યું; એવી રીતે ઘણી રાત્રી વ્યતીત થવા દઈને હવે થોડા સમય માટે પ્રમાદ ન કર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy