SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૬ સ્વયંવરમંડપને શોભાવ્યો. રાજપુત્રી ભાવિની સર્વ રાજમંડળનું અતિક્રમણ કરીને રોહિણી ચંદ્રને વરે તેમ તે રત્નચંદ્રને જ વરી. રિપુમર્દન રાજાએ વિધિપૂર્વક તેમનાં લગ્ન કરીને હાથી અશ્વ વગેરે પુષ્કળ દાયજો આપીને તેમને વિદાય કર્યો. રત્નચંદ્ર કુમાર ભાવિનીને લઈને પોતાના પુરમાં આવ્યો. એક દિવસ કુમાર સુવર્ણના થાળમાં સ્વર્ગના ભોજન (અમૃત) જેવું મિષ્ટ ભોજન કરતો હતો; તે વખતે અકસ્માત્ પવન ઉત્કટ થવાથી શૂળ ઊડવા લાગી, તેને થાળીમાં પડતી જોઈને હાથમાં પંખો લઈને પાસે ઊભેલી ભાવિનીએ પોતાના વસ્ત્રના છેડાથી તે ભોજન તુરત ઢાંકી દીધું. તે જોઈને રત્નચંદ્ર વિચાર કરવા લાગ્યો કે-“અહો! એક એવો પણ વખત હતો કે આ સ્ત્રીએ મને શૂળીપર ચઢાવ્યો હતો, અને આજે એવો પણ વખત છે કે તે જ સ્ત્રી અને પોતાનો પ્રાણપતિ માનીને મારા શરીર ઉપર રજનો સ્પર્શ પણ થવા દેવા ઇચ્છતી નથી.” એમ વિચારીને તેણે વિસ્મયથી જરા હાસ્ય કર્યું. તેનું હાસ્ય જોઈને તે ચતુર ભાવિનીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે-“આવું સ્મિત હાસ્ય તો મારા જેવી સ્ત્રીઓને યોગ્ય છે; પરંતુ આવા પુરુષોને કારણ વિના હાસ્ય ઘટતું નથી.” એમ વિચારીને તેણે પોતાના પતિને આગ્રહપૂર્વક હાસ્યનું કારણ પૂછ્યું. પ્રિયાના અત્યંત દુરાગ્રહથી તે બોલ્યો કે-“હે સુંદર અંગવાળી! તું મને ઓળખે છે?” તે બોલી-“હા, આપ મારા પ્રાણપતિ છો, અને હું આપની પ્રિયા છું.” કુમારે કહ્યું કે–“હે સુંદર ભૃકુટીવાળી પ્રિયા! તેં જે આ સંબંઘ કહ્યો તે તો જગતમાં પ્રસિદ્ધ છે; પરંતુ આપણો બીજો પણ સંબંઘ છે, અને તે એ કે-હે મૃગાક્ષી! હું કરિખ નામનો ધનદત્ત શ્રેષ્ઠીનો પુત્ર છું, અને તે કળાચાર્ય પાસે મારી સાથે અભ્યાસ કરનારી ભાવિની છે.” એમ કહીને તેણે પૂર્વની કેટલીક રહસ્યભૂત ગુપ્ત વાતો કહી. તે સાંભળીને ભાવિનીએ અત્યંત લાથી નીચું મુખ કર્યું. તે જોઈને તેને આશ્વાસન પમાડી પ્રીતિપૂર્વક કુમાર બોલ્યો કે त्रपायाः पद्मपत्राक्षि, तन्नास्त्यवसरोऽधुना । लोकोक्तिरिति यद्विप्रेणातीता नोच्यते तिथिः॥१॥ ભાવાર્થ-હે કમલાક્ષી! લોકમાં પણ એવું કહેવાય છે કે ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચતો નથી, તો તારે હવે લજા પામવાનો વખત નથી. વળી હે કૃશોદરી! કર્મની ગહન ગતિ છે; તેથી જ પૂર્વના પ્રૌઢ પંડિતોએ દૈવ, દેવ, વિધિ વગેરેને છોડી દઈને એક કર્મને જ નમસ્કાર કર્યો છે. કહ્યું છે કે ब्रह्मा येन लालवन्नियमितो ब्रह्मांडभांडोदरे विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासंकटे । रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं कारितः। सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥१॥ ભાવાર્થ-જેણે બ્રહ્માને કુંભારરૂપી પાત્રને રચવામાં નિયમિત કર્યો છે, જેણે વિષ્ણુને દશ અવતાર વડે ગહન એવા મોટા સંકટમાં નાંખ્યો છે, જેણે મહાદેવને હાથમાં કપાલસંપુટ આપીને ભિક્ષાટન કરાવ્યું છે, અને જેના વડે સૂર્ય હમેશાં ગગનમાં ભમ્યા કરે છે, એવા કર્મને નમસ્કાર થાઓ.” | ઇત્યાદિ પતિનાં વચન સાંભળીને ભાવિનીએ લનો ત્યાગ કર્યો. પછી તે આ વૃત્તાંત પોતાના પિતા રિપુમર્દનને કહેવરાવીને પતિભક્તિમાં તત્પર થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy