SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ ઈસ્તંભ ૧૬ ભાવાર્થનિયતિના સામર્થ્યથી મનુષ્યને જે શુભ અથવા અશુભ પ્રાપ્ત થવાનું હોય છે તે અવશ્ય થાય છે. પ્રાણીઓ ગમે તેટલો પ્રયત્ન કરે, તો પણ જે કાર્ય થવાનું નથી તે થતું જ નથી; અને જે થવાનું છે તેનો નાશ થતો નથી. આ પ્રમાણે નિયતિનો આશ્રય કરીને તેઓ કાળાદિક કારણને તજી દઈને બોલે છે; પણ તે પ્રમાણભૂત નથી. કેમકે કર્મ વગેરે પણ પોતપોતાનાં કાર્ય ઉત્પન્ન કરવામાં મુખ્ય કારણ છે. કહ્યું છે કે – कर्मणो हि प्रधानत्वं, किं कुर्वन्ति शुभा ग्रहाः । वसिष्ठदत्तलग्नेऽपि, रामः प्रव्रजितो वने ॥१॥ ભાવાર્થ-કર્મનું જ પ્રાધાન્ય છે. તેમાં શુભ ગ્રહો પણ શું કરી શકે? કેમકે વસિષ્ઠ આપેલા રાજ્યભિષેકના મુહર્ત પણ રામને વનવાસમાં જવું પડ્યું હતું. વળી– नैवाकृतिः फलति नैव कुलं न शीलं विद्याऽपि नैव न च जन्मकृतापि सेवा । कर्माणि पूर्वतपसा किल संचितानि ત્તેિ નિત્તિ પુરુષસ્થ થેદ વૃક્ષા રા. ભાવાર્થ–પુરુષને તેની આકૃતિ કાંઈ પણ ફળ આપતી નથી. સારું કુળ કાંઈ ફળ આપતું નથી, શીલ કાંઈ ફળ આપતું નથી, વિદ્યા કાંઈ ફળ આપતી નથી, તેમજ જન્મ પર્યત કરેલી સેવા પણ કાંઈ ફળ આપતી નથી. પરંતુ પૂર્વ જન્મમાં કરેલી તપસ્યા વડે સંચય કરેલાં કર્મો જ કાળે કરીને વૃક્ષની જેમ ફળ આપે છે. वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मंत्रविदो वदंति कर्मैव शुद्धमतयो यतयो गृणन्ति ॥३॥ ભાવાર્થ-વૈદ્ય લોકો વાત, પિત્ત અને કફનો વિકાર કહે છે, જોશી લોકો ગ્રહોએ કરેલો દોષ કહે છે, અને મંત્ર જાણનારાઓ ભૂત પ્રેત વગેરેનો ઉપદ્રવ કહે છે; પરંતુ શુદ્ધ મતિવાળા યતિઓ તો કર્મનો જ દોષ કહે છે. કેટલાક તો નીચે જણાવેલાં નામો કર્મના પર્યાયરૂપે કહે છે विधिविधाता नियतिः स्वभावः, कालो ग्रहाश्चेश्वरकर्मदैवः । भाग्यानि पुण्यानि यमः कृतांतः, पर्यायनामानि पुराकृतस्य ॥४॥ ભાવાર્થ-વિધિ, વિઘાતા, નિયતિ, સ્વભાવ, કાળ, ગ્રહો, ઈશ્વર, કર્મ, દૈવ, ભાગ્ય, પુષ્ય, યમ અને કૃતાંત એ સર્વે પૂર્વે કરેલાં કર્મનાં પર્યાય નામો છે. यथा धेनुसहस्रेषु, वत्सो विंदति मातरम् । एवं पूर्वकृतं कर्म, कर्तारमनुधावति ॥५॥ ભાવાર્થ-જેમ વાછરડું હજારો ગાયોમાંથી પોતાની માતાને ઓળખીને તેની પાછળ જાય છે, તેમ પૂર્વે કરેલું કર્મ તેના કર્તાની પાછળ જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy