SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૩૦] ભવિતવ્યતાની પ્રબળતા રાજાએ નગરમાં ઘોષણા કરાવી, ત્યારે એક વૃદ્ધ પુરુષે આવીને કહ્યું કે-“હે રાજા! વિષની મૂછ છ માસ સુધી રહે છે. માટે તેને જળમાં વહન કરો, પણ અગ્નિસંસ્કાર કરશો નહીં.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તે કુમારના શરીરપ્રમાણ પેટી કરાવીને તેમાં કુમારને સુવાડ્યું, અને તે પેટી ગંગાના પ્રવાહમાં વહેતી મૂકી. જળ પ્રવાહમાં ભમતી ભમતી તે પેટી સમુદ્ર પાસે પહોંચી. ત્યાં ખારા પાણીના પ્રભાવથી કુમારની વિષજન્ય મૂછ કાંઈક ઓછી થઈ. સાતમે દિવસે તિમંગલા રાક્ષસી પેટી લઈને ગંગા અને સમુદ્રના સંગમસ્થાને આવી. ત્યાં કાંઠા પર પેટીને મૂકીને તે જળક્રીડા કરવા લાગી. પછી રત્નાવતી પેટીનું દ્વાર ઉઘાડીને ક્ષણવાર ક્રિીડા કરવા માટે બહાર નીકળી. તેવામાં તેણે પવનથી હાલતી એક પેટીને તેની પાસે આવતી જોઈ એટલે તેને નજીક ખેંચી લઈને પોતાને હાથે ઉઘાડી, તો તેમાં કોઈ રાજકુમારને વિષમૂર્શિત સ્થિતિમાં જોઈ પોતાની પાસેની વિષહરણ મુદ્રિકાનું જળ તેના પર છાંટ્યું. તેનાથી કુમાર સચેતન થયો, એટલે ચિત્રમાં કુમારનું સ્વરૂપ જોયું હતું તેની સમાનતાથી તેણે કુમારને ઓળખ્યો કે “મને પિતાએ જેને આપી હતી તે જ આ રત્નદત્ત કુમાર છે.” એમ જાણીને તેણે હર્ષથી કુમારને તેનું વૃત્તાંત પૂછ્યું. કુમારે પણ તેનું ચિત્ર જોયું હતું, તેથી કુમારીને ઓળખી. પછી “આજે અને આ સમયે જ આપણા લગ્નનું મુહૂર્ત નિર્ધાર્યું હતું” એમ જાણીને તેમણે ત્યાં ગાંધર્વ લગ્ન કર્યા. વનમાં વૃક્ષો પરથી ફળો લીઘાં અને ખાઘાં તે વખતે કાંઠે રહેલાં પક્ષીઓ ગીતગાન કરી રહ્યાં હતાં. કુમારે આભરણને માટે ત્યાંથી વિવિધ પ્રકારનાં રત્નો ગ્રહણ કર્યા. પછી બન્નેના વસ્ત્રના છેડા (છેડાછેડી) બાંધીને તેઓ કુમારીવાળી પેટીમાં પેઠા, અને પેટીનું દ્વાર બંધ કર્યું. ક્ષણાંતરે તિમંગલા રાક્ષસી ક્રિીડા કરીને આવી, અને પ્રથમની પેઠે જ મુખમાં પેટી રાખીને અગાઘ જળમાં ગઈ. પછી આઠમો દિવસ થયો; એટલે રાવણે નૈમિત્તિકને કહ્યું કે-“મેં અવશ્ય થવાનું પાણિગ્રહણ મિથ્યા કર્યું.” ત્યારે નૈમિત્તિક બોલ્યો કે-“હે રાજ! તે બન્નેનાં લગ્ન થઈ ગયાં.” તે સાંભળીને રાજાએ તે રાક્ષસીને બોલાવીને પૂછ્યું કે “તારા મુખમાં ઘારણ કરેલી પેટી છે કે નહીં?” રાક્ષસીએ કહ્યું કે-“તેની તે જ સ્થિતિમાં છે.” પછી રાવણે પેટી મંગાવીને ઉઘડાવી, તો તેમાંથી નવી પરણેલી કન્યા પોતાના પતિને આગળ કરીને છેડાછેડી સહિત બહાર નીકળી. તે જોઈને સર્વ લોક આશ્ચર્ય પામ્યા. પછી “તેમનો વિવાહ શી રીતે થયો?” એવું રાજાએ નૈમિત્તિકને પૂછ્યું, એટલે તેણે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાવણે “ભાવીનો નાશ થતો નથી” એમ નિશ્ચય કરીને પોતાનું મરણ અંગીકાર કર્યું. પછી કુમાર તથા કુમારીનો સત્કાર કરીને રાવણે રજા આપી, એટલે તેઓ પોતાને સ્થાનકે ગયા. એક દિવસ રાવણે મુનિચંદ્ર નામના આચાર્યને વાંદીને પૂછ્યું કે–“હે ભગવન્! કોઈ પણ નિયતિને વ્યર્થ કરવામાં સમર્થ સાંભળ્યો કે જોયો છે?” ગુરુએ પૂછ્યું કે–“હે રાજા! એ એકાંતવાદીનો મત છે. તેઓ કહે છે કે प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि हि प्रयत्ने नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy