SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ પરણશે, તે ભાવી ભાવને મિથ્યા કરવાની જો તમારી શક્તિ હોય, તો તમારા મરણ વિષેની ભવિતવ્યતા પણ મિથ્યા થાય.’’ રાવણે કહ્યું કે—‘તેનું વિશેષ સ્વરૂપ કહો.' ત્યારે નૈમિત્તિક બોલ્યો કે‘રત્નસ્થળ નામના નગરમાં રત્નસેન નામે રાજા છે. તેને બોંતેર કળામાં કુશળ, સર્વોત્તમ રૂપ અને લાવણ્ય વડે ઇન્દ્ર સમાન રત્નદત્ત નામનો પુત્ર છે. એકદા રાજાએ પુત્રને યોગ્ય રાજકન્યા શોઘવા માટે કુમારની છબી વસ્ત્ર ઉપર ચિતરાવીને તે છબી તથા કુમારની લગ્નપત્રિકા આપી ચાર ચાર મંત્રીઓને ચારે દિશામાં મોકલ્યા. તેમાંના પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં ગયેલા બાર મંત્રીઓ તો નિરાશ થઈને પાછા આવ્યા; અને જે મંત્રીઓ ઉત્તર દિશામાં ગયા હતા, તેઓ ફરતાં ફરતાં ગંગાને કાંઠે ચન્દ્રસ્થળ નામના નગરમાં આવ્યા. ત્યાં ચન્દ્રસેન નામે રાજા છે. તેને ચોસઠ કળામાં પ્રવીણ અને દિવ્ય સ્વરૂપવાન ચન્દ્રાવતી નામની કન્યા છે. તે કન્યાને જોઈને મંત્રીઓએ રાજાને કુમારનું સ્વરૂપ બતાવ્યું અને જન્મપત્રિકા આપી. તે કન્યાની લગ્નપત્રિકા સાથે મેળવતાં આઠ વસા પ્રીતિ મળી, એટલે રાજાએ પોતાની પુત્રીને બોલાવી, અને બન્નેની યોગ્યતા જાણીને વિવાહ કર્યો. પછી જોષી લોકોને બોલાવીને લગ્નનું મુહૂર્ત પૂછ્યું. તેઓએ વિચારીને કહ્યું કે‘હે સ્વામી! અમે બાર વર્ષના મુહૂર્ત જોયાં, પણ આજથી બારમે દિવસે જેવું શુભ મુહૂર્ત આવે છે, તેવું બીજું એકે આવતું નથી.’' તે સાંભળીને રાજાએ કહ્યું કે—“વર અતિ દૂર છે અને મુહૂર્ત પાસે આવ્યું, તેનો શો ઉપાય?’' ત્યારે આવેલા મંત્રીઓ બોલ્યા કે‘‘વાયુવેગી લાલવર્ણની સાંઢણી આપો, તો તે સાધનથી કુમારને શીઘ્રતાથી અહીં લાવીએ” રાજાએ તે પ્રમાણે અંગીકાર કર્યું, અને વાયુવેગવાળી સાંઢણી આપીને તે મંત્રીઓને મોકલ્યા. તેઓ પાંચ દિવસે પોતાને નગરે પહોંચ્યા. રત્નસેન રાજાએ કન્યાનું ચિત્ર જોયું, તેથી બહુ હર્ષ પામીને કુમારને મંત્રીઓ સાથે મોકલવા તૈયાર કર્યો. તેઓ હાલ સાંઢણી ઉપર બેસીને પ્રયાણ કરવાની તૈયારીમાં છે, માટે હે રાવણ રાજા! જો ભાવી ભાવ મિથ્યા કરવાની તમારામાં શક્તિ હોય તો તે અજમાવી જુઓ.’' ७८ રાવણે તત્કાળ તક્ષક નાગને બોલાવીને આજ્ઞા આપી કે—“હે નાગ! અહીંથી એકદમ જઈ રત્નદત્ત કુમારને એવો દંશ કર કે તે તરત મરણ પામે.’’ એવી આજ્ઞા થતાં જ તક્ષકનાગ તરત જ ત્યાં ગયો, અને કુમારનો એક પગ સાંઢના પેગડામાં અને બીજો ભૂમિ પર હતો તે જ અવસરે તે તેને કરડ્યો, એટલે કુમાર પૃથ્વીપર પડી ગયો. રાજકન્યાને પણ પોતાના બે રાક્ષસ સેવકો પાસે મંગાવીને રાવણે નૈમિત્તિકને બતાવી. નૈમિત્તિકે તે કન્યાને ઓળખી. પછી રાવણે તિમંગલીના સ્વરૂપવાળી એક રાક્ષસીને બોલાવી, અને એક પેટીમાં સાત દિવસ ચાલે તેટલાં અન્ન પાન સહિત કુમારીને બેસાડી. પછી તે પેટીને બંધ કરીને તિમંગલા રાક્ષસીના મુખમાં આપી, તેને વિસર્જન કરતાં કહ્યું કે—‘‘સાત દિવસ સુધી અપાર સમુદ્રમાં જઈ આ પેટી સહિત ઊંચું મુખ રાખીને રહેજે, અને જ્યારે હું બોલાવું ત્યારે જ અહીં આવજે.' એમ કહીને તેને રવાના કરી. પછી રાવણે નૈમિત્તિકને કહ્યું કે ‘‘ભવિતવ્યતાને હું કેવી મિથ્યા કરું છું તે તમે જુઓ.'' નિમિત્તિયો મૌન રહ્યો. અહીં રત્નદત્ત કુમાર મૂર્છા પામ્યો, એટલે રત્નસેન રાજાએ ઘણાં મંત્રવાદીઓને બોલાવ્યા. તેઓ ગારુડી મંત્ર વગેરેથી વિષ ઉતારવા લાગ્યા. પણ કોઈ પ્રકારે કુમાર જાગૃત થયો નહીં. એટલે ૧ સમુદ્રમાં મોટા મત્સ્ય હોય છે તેમાંની એક જાતિ ‘તિમંગલ' કહેવાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy