SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ વ્યાખ્યાન ૨૨૯]. કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ અન્નાદિ હાથનો ઉપયોગ કર્યા વિના શી રીતે મુખમાં જશે? કદાચ તેના સેવકો તેના મુખમાં નાંખશે, તો પણ દાંત વડે ચાવ્યા વિના શી રીતે ગળે ઊતરશે? માટે કર્મનું તો ઉદ્યોગથી ઉત્પન્ન થવાપણું છે. તેથી કર્મ પુત્રતુલ્ય છે, અને ઉદ્યોગ પિતા સમાન છે. વળી મોક્ષપ્રાતિને સમયે ક્ષપક શ્રેણિપર આરૂઢ થઈને શુભ ધ્યાન વડે સર્વ કર્મનો ક્ષય કરવાથી જ જીવ સિદ્ધિપદને પામે છે, માટે ઉદ્યોગ જ બળવાન છે.” - હવે તે સર્વ એકાંતવાદીને જવાબ આપવામાં આવે છે–પ્રથમ કાળવાદી છે. તે સર્વ કાળથી કરેલું માને છે તે અયોગ્ય છે. કેમકે સમયાદિક વડે પરિણામ પામતો કાળ સમાન છતાં પણ ફળનું વિચિત્રપણું દેખાય છે. જેમકે એક જ વખતે વાવેલા મગમાં પરિણામે કોઈ છોડ મોટો નાનો થાય છે, તેમજ તેની શીંગો પણ નાની મોટી થાય છે, અને કોઈ ઊગે છે ને કોઈ ઊગતો પણ નથી. વળી કોઈ બે પુરુષે સમ કાળે રાજાની સેવા કરવા માંડી હોય, તેમાં એક સેવકને તેનું ફળ ટૂંકા વખતમાં મળે છે, અને બીજાને કાળાંતરે પણ મળતું નથી. તથા એકી વખતે ખેતી વગેરે કાર્ય કરવા માંડનારમાં એકને સંપૂર્ણ ઘાન્ય પાકે છે, અને બીજાને કાંઈ પણ પાક થતો નથી; તેથી જો માત્ર કાળ જ સર્વનું કારણ હોય, તો પૂર્વે બતાવેલા સર્વને ફળ સમાન જ થવું જોઈએ, પણ તેમ તો થતું નથી. માટે આ વિશ્વની વિચિત્રતામાં કેવળ કાળ કારણ નથી પરંતુ કાળ વગેરે પાંચ કારણનું સાપેક્ષપણું છે. કાળાદિક પાંચમાંથી એક એકને જ કારણરૂપ માનનારા મિથ્યાદ્રષ્ટિ જાણવા; કેમ કે તેઓ પાંચ કારણોને પરસ્પર નિરપેક્ષ માનતા હોવાથી સર્વ કાર્યની સિદ્ધિનો તેમને અભાવ છે. પાંચ કારણો પરસ્પર મળવાથી પોતપોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના કાર્યસિદ્ધિ કરી આપે છે, એમ માનવાથી પ્રાણી સમ્યકત્વ રૂપને પામે છે. તે કારણમાંના એકથી કોઈ કાર્ય થતું નથી. પણ તેમની ગૌણતા મુખ્યતા કરવાથી કાર્ય ઉત્પન્ન થાય છે. તે વિષે ભગવતી સૂત્રની વૃત્તિના પહેલા શતકના પ્રથમ ઉદેશામાં કહ્યું છે કે-“ભવિષ્ય કાળમાં વેચવા લાયક કર્મનો ક્ષય કરવા માટે કારણ વિશેષે કરીને તેને ખેંચીને ઉદયાવળીમાં પ્રવેશ કરે તે ઉદીરણા કહેવાય છે. તે ઉદીરણાદિકમાં કાળ, સ્વભાવ વગેરે પાંચે કારણભૂત છે, તો પણ મુખ્યતાએ કરીને પુરુષાર્થનું જ કારણપણું બતાવતા સતા કહે છે કે __"जं तं भंते अप्पणा चेव उदीरते" ' હે ભગવાન! તે કર્મની ઉદીરણા આત્મા પોતે જ કરે છે ઇત્યાદિ. આ કાળાદિક એક એક કોઈ વખત કાર્યની અપેક્ષાએ કારણભૂત થાય છે. તે વિષે બીજા શ્રુતસ્કંઘમાં “વસ્થિ ઘને મધને ' ઇત્યાદિ અર્થાત્ શ્રુત ચારિત્રાત્મક એવા જે આત્માના પરિણામ તે કર્મક્ષયનું કારણ હોવાથી ઘર્મ કહેવાય છે; અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ જે આત્માના પરિણામ તે કર્મબંઘનાં કારણ હોવાથી અઘર્મ કહેવાય છે. આવા પ્રકારના ઘર્મ અને અધર્મ કાળવાદી, ઈશ્વરવાદી વગેરેના મતમાં નથી, પરંતુ ઘર્મ અઘર્મ વિના એકાંતે કાળ વગેરે જ સર્વ જગતની વિચિત્રતાનું કારણ છે એમ કદી પણ ઘારવું નહીં, કેમકે ઘર્મ અને અધર્મ વિના સંસારની વિચિત્રતા ઘટતી નથી. ઘર્મ એ સમ્ય દર્શન છે, અને અઘર્મ એ મિથ્યા દર્શન છે. સમ્યદ્રષ્ટિએ તે પાંચે કારણરૂપે જાણેલા છે; કેમકે તે જ રીતે સૃષ્ટિની સિદ્ધિ તેણે જોઈ છે. જેમ કે માતાપિતાના ઉદ્યમથી રુધિર ને વીર્યનો સંબંઘ થાય છે, કર્મ કરીને તેમાં જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy