SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ અવતરે છે, તે જીવના સત્ અસત્ કર્મને અનુસાર સુખદુઃખના હેતુરૂપ તે તે વસ્તુનો સંબંઘ પ્રતિક્ષણે નિયતિ વડે થાય છે, સ્વભાવે કરીને તે જીવમાં પશુ, પક્ષી, મનુષ્ય, સ્ત્રી, પુરુષ વગેરેના સ્વભાવ ઉત્પન્ન થાય છે, અને પછી કાળે કરીને જન્મ અને બાલ્યાવસ્થા યુવાવસ્થા વગેરે ભાવો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સર્વ પદાર્થોમાં યથાયોગ્ય જાણી લેવું. જેમ પાંચ માણસો મળીને ઊપડી શકે તેવો ભાર એક માણસ ઓછો કરીએ તો ઊપડશે નહીં, અને પાંચે એકત્ર થશે તો જ ઊપડશે; તેમ અહીં પણ કાળાદિકમાંથી એકને માનીએ નહીં, તો સંસારની કાર્યસિદ્ધિ થશે નહીં. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-“પરસ્પર અપેક્ષા રહિત કાળાદિકમાંથી પ્રત્યેકને માનનારા મિથ્યાત્વી અને સમુદાયને માનનારા સમકિતી કહ્યા તે ઘટશે નહીં. કેમકે જેમ સિકતા (રેતી) ના દરેક અવયવમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ નથી. તેવી જ રીતે કાળાદિક પ્રત્યેકને માનનારમાં સમ્યત્વ નથી તો પછી તેના સમુદાયને માનનારમાં પણ તે આવશે નહીં.” આ પ્રશ્નનો જવાબ એ છે કે–“પદ્મરાગાદિક મણિઓ છૂટા હોય તો તે પ્રત્યેકને હાર કહી શકાતો નથી; પરંતુ તે જ મણિઓને એકત્ર કરીએ તો તેનો હાર બને છે, માટે વાદીની શંકાનો અવકાશ નથી. તે વિષે કહ્યું છે કે ण हि कालादिहिंतो केवलएहिं तु जायए किंचि । इह मुग्गरंधणादिव, ता सब्बे समुदिता हेऊ ॥१॥ जह णेगलक्खगुणा वेरुलियादिमणी विसंजुत्ता । रयणावलिववएसं न लहंति महग्घमूलावि ॥२॥ ભાવાર્થ-કાળાદિકમાંથી કેવળ કોઈ એક હેતુ કાંઈ પણ કાર્ય સિદ્ધ કરી શકતો નથી, કેમકે મગ રાંધતી વખતે એક કાષ્ઠથી મગ રંધાતા નથી, પણ કાષ્ઠના સમુદાયનો સરખો તાપ લાગવાથી રંથાય છે, તેમ તે પાંચ કારણોનો સમુદાય જ કાર્ય સાધવામાં હેતુ છે. જેમાં અનેક ગુણલક્ષણવાળા અને અમૂલ્ય પણ વૈડૂર્ય આદિક મણિઓ જુદા હોય, તો તે રત્નાવની (હાર) ના વ્યપદેશને પામતા. નથી તેમ કાળાદિક એકેકને માનનારા સમકિતીના વ્યપદેશને પામી શકતા નથી.” વળી કાળલબ્ધિ પામ્યા સિવાય મોક્ષપ્રાપ્તિ થતી નથી. તેથી જે કાળે જે કાર્ય થવાનું હોય છે, તે કાર્ય તે જ કાળે થાય છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “અભવ્ય પ્રાણી અનેક જીવ સિદ્ધિ ગયાના કાળને પામ્યો છે તો પણ તે કેમ સિદ્ધિ પામતો નથી?” ગુરુ કહે છે–“અભવ્ય પ્રાણીનો સિદ્ધિ જવા યોગ્ય સ્વભાવ કોઈ કાળે પણ થતો નથી; કેમકે તેને પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક અનાદિ અનંત ભાગે છે.” શિષ્ય–ત્યારે મુક્તિ પામવાના સ્વભાવવાળા સર્વ ભવ્યજીવો એક જ કાળે કેમ સિદ્ધિ પામતા નથી? ગુરુ-નિશ્ચયે કરીને સમ્યકત્વાદિ ગુણ જાગૃત થાય ત્યારે મોક્ષ મળે છે, માટે નિયતિ હોવી જોઈએ. શિષ્ય–હે પૂજ્ય!સમ્યત્વાદિ ગુણશ્રેણિ ઉત્પન્ન થયા છતાં શ્રેણિક રાજાની કેમ મુક્તિ થઈ નહીં? ગુરુ-પૂર્વના કર્મનો ક્ષય થયો નહોતો તેમજ પુરુષાર્થનો–પંડિતવીર્યનો ઉલ્લાસ થયો નહોતો, તેથી સમ્યકત્વ છતાં તેઓ મુક્તિ પામ્યા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy