SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૬ કાંટામાં તીણપણું કોણ કરે છે? તેમજ જો કાળે કરીને સમગ્ર સૃષ્ટિ હોય, તો મનુષ્યનાં બાળકો અમુક માસ પછી ચાલતાં શીખે છે, અને અશ્વ વગેરેના બાળકો જન્મ થતાં જ ચાલે છે તેનું શું કારણ? માટે સર્વનું કારણ સ્વભાવ જ છે. - હવે નિયતિવાદી કહે છે કે-કાળ તથા સ્વભાવ શું કરે? નિયતિ અર્થાત્ ભવિતવ્યતા જ સર્વનું કારણ છે; કેમકે કાળ અને સ્વભાવ છતાં પણ જેને પુત્રાદિક થવાના હોય તેને જ થાય છે, બીજાને થતા નથી. વળી કોડીઓને હાથ વડે ઊંચે ઉછાળીએ તો તેમાંની કેટલીક ચત્તી પડે છે, કેટલીક ઊંઘી પડે છે અને કેટલીક આડી પડે છે. તેમાં કાળ અને સ્વભાવમાંથી કોનું પ્રમાણ છે? પરંતુ જે જેવી રીતે પડવાની હોય છે તે તેવી જ રીતે પડે છે, માટે ભવિતવ્યતા જ પ્રમાણભૂત છે. જેમ કોઈ શિકારી ઘનુષ્ય ઉપર બાણ ચડાવીને વૃક્ષ ઉપર બેઠેલા એક પક્ષીને મારવા તૈયાર થયો. તે જ પક્ષીને હણવા માટે એક સીંચાણો તે વૃક્ષ ઉપર ભમતો હતો; તેવામાં પેલા શિકારીએ બાણ છોડ્યું. તે સીંચાણાને લાગ્યું એટલે તે મરણ પામ્યો, અને શિકારી સર્પદંશથી મૃત્યુ પામ્યો. પેલું પક્ષી ઝાડ ઉપરથી સુખે ઊડી ગયું. આ પ્રમાણે નિયતિ વિના બની શકે નહીં. માટે નિયતિ જ સર્વનું કારણ છે. - હવે કર્મવાદી કહે છે કે–કાળ, સ્વભાવ અને નિયતિની શી શક્તિ છે? પૂર્વે કરેલાં કર્મ જ સુખ દુઃખમાં કારણભૂત છે. કર્મે કરીને જ શ્રોત્રિય બ્રાહ્મણ) હોય તે ચાંડાળ થાય છે, સ્વામી હોય તે સેવક થાય છે અને ઇંદ્ર હોય તે રંક થાય છે; તેમજ ચાંડાલ શ્રોત્રિય થાય છે, સેવક રાજા થાય છે, અને રંક હોય તે ઇંદ્રપદ પામે છે. કહ્યું છે કે यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवोपतिष्ठते । तथा तथा पूर्वकृतानुसारिणी, प्रदीपहस्तेव मतिः प्रवर्तते ॥ ભાવાર્થ-“જેમ જેમ પૂર્વે કરેલાં કર્મનું ફળ નિશાનની જેમ પ્રાપ્ત થાય છે, તેમ તેમ પૂર્વ કર્મને અનુસરતી બુદ્ધિ હાથમાં દીવાની જેમ પ્રવર્તે છે.” પૂર્વ કર્મના વશથી જ પ્રાણીને નહીં ઇચ્છેલા, નહીં જોયેલા અને નહીં અનુભવેલા સ્થાન પ્રત્યે આકર્ષણ કરીને લઈ જવામાં આવે છે. જેમ કોઈ ઉંદરે એક કરંડિયો જોયો, તેમાં સારું ખાવાનું હશે એમ ઘારીને દાંત વડે તે કરંડિયામાં વિવર કરીને તે અંદર પેઠો. એટલે તેમાં રહેલો ભૂખ્યો સર્પ તે ઉંદરને ગળી ગયો અને તે જ વિવરમાં થઈને તે બહાર નીકળી વનમાં ચાલ્યો ગયો. માટે કર્મ જ ખરું કારણ છે. હવે પુરુષાર્થવાદી કહે છે કે–શઠ એવા કર્મ વડે શું? પુરુષાર્થ જ સર્વ કાર્યનું (ફળનું) કારણ છે. જો કદાચ કર્મથી જ સર્વની સિદ્ધિ હોય, તો સર્વ પ્રાણીઓ બેસી રહો. કર્મ વડે પોતાની મેળે સર્વ વાંછિતની સિદ્ધિ થશે. न दैवमिति संचिंत्य, त्यजेदुद्यममात्मनः । अनुद्यमेन कस्तैलं, तिलेभ्यः प्राप्तुमिच्छति ॥ ભાવાર્થ–“દૈવ (પ્રારબ્ધ) પર આધાર રાખીને માણસોએ પોતાનો ઉદ્યમ છોડવો નહીં; કેમકે ઉદ્યમ વિના તલમાંથી તેલ મેળવવા કોણ ઇચ્છા કરે?” અહીં કોઈ શંકા કરે કે–“રાજા વગેરે બેસી રહે છે છતાં તેના કર્મે કરીને સેવકો સર્વ વાંછિત લાવીને આપે છે.” તેના જવાબમાં એટલું જ કહેવાનું કે-“જો એમ છે તો સેવકોએ આણેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy