SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૯] કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ ૭૩ ભાવાર્થ-“પક્ષી સમાન ગુણના સ્થાનભૂત આ મનુષ્ય જન્મને પામીને પ્રમાદ વડે તેને હણી નાખવો નહીં, અર્થાત્ વૃથા ખોઈ નાખવો નહીં કે હારી જવો નહીં. એ પ્રમાણે નહીં હારી જવાથી, અર્થાત્ તેને સફળ કરવાથી તું સદ્ગતિનું ભાજન થઈશ.” વ્યાખ્યાન ૨૨૯ કાર્યસિદ્ધિના પાંચ સમવાય કારણ હવે પાંચ કારણોથી કાર્ય સિદ્ધ થાય છે તે વિષે કહે છે कालादिपंचभिः कार्यमन्योऽन्यं सव्यपेक्षकैः । संपृक्ता यांति सम्यक्त्वमिमे व्यस्ताः कुदर्शनम् ॥१॥ ભાવાર્થ-“કાળ વગેરે પાંચ કારણો પરસ્પર અપેક્ષાવાળા થઈને કાર્ય સાથે છે. તે પાંચને સંબંઘવાળા માનવાથી સમ્યત્વ કહેવાય છે અને જુદા અંગીકાર કરવાથી મિથ્યાત્વ કહેવાય છે.” જૈનમત પ્રમાણે સર્વ દ્રષ્ટ અથવા અદ્રષ્ટ કાર્ય કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો વડે સિદ્ધ થાય છે. તે પાંચે અનેકાનેક સ્વભાવવાળા હોવાથી દરેક કાર્ય સાધવામાં સમર્થ છે. શ્રી સિદ્ધસેન દિવાકર આચાર્યે સમ્મતિસૂત્રના ત્રીજા કાંડમાં કહ્યું છે કે कालो सहाव नियइ, पूव्वकयं पुरिसकारणं पंच । समवाये सम्मत्तं, एगंते होइ मिच्छत्तम् ॥१॥ ભાવાર્થ-“કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ એ પાંચે સમવાય વડે કાર્યસિદ્ધિ માનવાથી સમ્યકત્વ હોય છે; અને તેમાંના કોઈ પણ એક વડે કાર્યસિદ્ધિ માનવારૂપ એકાંત વડે મિથ્યાત્વ કહેવાય છે.” એકાંત પક્ષ માનનાર પ્રથમ કાળવાદી કહે છે. कालः सृजति भूतानि, कालः संहरते प्रजाः । कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः॥१॥ ભાવાર્થ-“કાળ સર્વ પ્રાણીને સર્જે છે, કાળ પ્રજાનો સંહાર (નાશ) કરે છે અને કાળ સર્વ સૂતાં હોય ત્યારે પણ જાગૃત હોય છે; માટે કાળનું ઉલ્લંઘન કરવું અતિ મુશ્કેલ છે.” પ્રથમ તો કાળે કરીને ગર્ભ ઉત્પન્ન થાય છે, કાળે કરીને વૃદ્ધિ પામે છે અને કાળે કરીને જન્મ છે. કાળે કરીને તીર્થકર થાય છે. જીવ કાળલબ્ધિ પામીને સિદ્ધ થાય છે. યોગ્ય કાળે જ આત્માને અનંત આનંદરૂપ સાયિક રત્નત્રય વગેરેની પ્રાપ્તિ થાય છે; અને કાળ જ ભાવઘર્મને ઉત્પન્ન કરે છે. એમ ન હોય તો આ વર્તમાન કાળમાં મનુષ્ય ભવ તથા જૈન શાસન વગેરે સામગ્રી પામ્યા છતાં પણ કેમ કોઈ સિદ્ધ થતા નથી? માટે કાળ જ સર્વ આપે છે અને નાશ કરે છે. કાળે કરીને જ દાંતનું ઊગવું, પગે ચાલવું, બોલવું વગેરે યાવતું મૃત્યુ સુધીના સમગ્ર ભાવો થાય છે. એ જ પ્રમાણે કાળે કરીને ટાઢ, તડકો, વૃષ્ટિ વગેરે થાય છે. માટે સર્વનું કારણ કાળ જ છે. હવે સ્વભાવવાદી કહે છે કે–બિચારો કાળ શું કરી શકે? સ્વભાવથી જ સ્ત્રીપુરુષના સંયોગ વડે ગર્ભની ઉત્પત્તિ, વૃદ્ધિ, જન્મ વગેરે ભાવો થાય છે. મોરનાં પીંછાનું ચિત્રવિચિત્રપણું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy