SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૮] સહસા કાર્ય અકર્તવ્ય ૭૧ પર્યત હું ભૂલી શકીશ નહીં.” વિચાર્યા વિના કાર્ય કરવાથી જેમ તે રાજાને પશ્ચાત્તાપ થયો, તેવી રીતે કોઈ પણ પ્રાણી વિચાર કર્યા વિના સહસા કાર્ય કરે તો તેને તેવો પશ્ચાત્તાપ થાય. આ દ્રષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. ચાર ગતિમાં ભ્રમણ કરનાર જીવ તે રાજા સમાન છે. તે અજરામર (મોક્ષ) સ્થાન આપનાર પક્ષી સમાન મનુષ્યભવને પામીને અવિરતિ વગેરેથી જો મનુષ્યભવને વૃથા ગુમાવે છે તો તે અત્યંત શોકનું ભાજન થાય છે. અથવા પક્ષી સમાન સમગ્ર જીવને ઉપકાર કરનાર જિનવાણીને પામીને જે પ્રાણી મિથ્યાત્વરૂપી કોરડાથી તેને હણે છે તેને મહા મૂર્ખ જાણવો. કહ્યું છે કે शिलातलाभे हृदि ते वहंति, विशंति सिद्धांतरसा न चांतः । यदत्र नो जीवदयार्द्रता ते, नो भावनांकुरततिश्च लभ्या ॥१॥ ભાવાર્થ-“હે આત્મા! પથ્થરના તલ સરખા કઠોર તારા હૃદય ઉપર સિદ્ધાંતરૂપી રસ વહે છે, તથાપિ તે અંદર પ્રવેશ પામતો નથી; કેમ કે તારા હૃદયમાં જીવદયારૂપી આદ્રતા નથી, તેથી શુભ ભાવનારૂપી અંકુરની શ્રેણિ તેમાં ઊગતી જ નથી.” જેના હૃદયમાં જીવદયારૂપ કામળલતા હોય છે તેનાં હૃદયમાં જ શુભ ભાવનારૂપ અંકુરની શ્રેણિ ઉત્પન્ન થાય છે. તેવી ભાવના આસન્નસિદ્ધજીવોને જ હોય છે, બીજાને હોતી નથી. વળી સિદ્ધાંતનું અધ્યયન કરીને પણ જેઓ પ્રમાદને છોડતા નથી તેમનો સર્વ અભ્યાસ વ્યર્થ છે. કહ્યું છે કે अधीतिनोऽर्चादिकृते जिनागमं, प्रमादिनो दुर्गतिपातिनो मुधा । ज्योतिर्विमूढस्य हि दीपपातिनो,गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥४॥ ભાવાર્થ-“લોકમાં પૂજાવાને માટે જિનાગમ જાણનાર અને દુર્ગતિમાં પડનાર એવા પ્રમાદી પુરુષને જિનાગમ વ્યર્થ છે, કેમ કે દીવાની જ્યોતમાં મોહ પામેલા અને દીવામાં પડનારા એવા પતંગિયાને ચક્ષુ શા ગુણને માટે હોય? અર્થાત્ પતંગિયાના ચક્ષુ વિનાશ કરનારા હોવાથી કોઈ કામના નથી.” સિદ્ધાંતરૂપી ચક્ષુ વિરતિવંત પુરુષને પરમ ઉપકાર કરનાર થાય છે, માટે તેવી ઇચ્છાથી શાસ્ત્ર ભણવું જોઈએ. કહ્યું છે કે किं मोदसे पंडितनाममात्रा-च्छास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः॥१॥ ભાવાર્થ-“લોકોને રંજન કરવા માટે શાસ્ત્રો ભણીને પંડિતના નામ માત્ર કરીને શું હર્ષ પામે છે? પરંતુ એવું કાંઈક ભણ અને કર કે જેથી તારો સંસારરૂપી સમુદ્રમાં પાત થાય નહીં.” હવે ચાર ગતિરૂપ સંસારનાં દુઃખનું વર્ણન કરે છે.... दुर्गन्धतोऽपि यदणोर्हि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाण । स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥१॥ ૧ થોડા કાળમાં મોક્ષે જનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy