SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૬ વૃદ્ધપણાથી જરાક્રાંત થવાને લીધે આંખે જોઈ શકતા નથી તેથી હું જ તેમને ખાવાનું લાવીને આ છું. તે અરણ્યમાં એક દિવસ બે મુનિરાજ પધાર્યા, તેમણે ચોતરફ જોઈને એકાંત જણાયાથી પરસ્પર આ પ્રમાણે વાત કરી કે–સમુદ્રના મધ્યમાં કપિ નામના પર્વતના શિખર ઉપર નિરંતર ફળતું એક આમ્રવૃક્ષ છે, તેનું એક પણ ફળ એક વાર જે ભક્ષણ કરે તેના અંગમાંથી સર્વ વ્યાધિઓ નાશ પામે છે, તેમજ અકાળ મૃત્યુ કે જરાજીર્ણપણે તેને પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે તેમનું વાક્ય સાંભળીને મેં વિચાર્યું કે-“મુનિનું વાક્ય હમેશાં સત્ય અને હિતકર જ હોય છે, તેથી તે વૃક્ષનું ફળ લાવીને જો મારાં માતાપિતાને આપું તો તેઓ યુવાવસ્થાને પામે.” આવો વિચાર કરીને હું ત્યાં ગયો, અને આ ફળ લાવ્યો છું; માટે હે શ્રેષ્ઠી! આ ફળ તમે ગ્રહણ કરો, હું બીજું ફળ લાવીને મારા માબાપને આપીશ.” પછી શ્રેષ્ઠીએ પોપટના આગ્રહથી તે ફળ લીધું, અને પોપટ ત્યાંથી આકાશમાં ઊડી ગયો. . પછી શ્રેષ્ઠીએ વિચાર્યું કે-“જો આ ફળ હું કોઈ રાજાને આપું તો તેનાથી ઘણા જીવોનો ઉપકાર થશે, હું ખાઈશ તો પણ શું અને નહીં ખાઉં તો પણ શું?” એમ વિચારીને તે આમ્રફળ તેણે સારી રીતે સાચવી રાખ્યું. પછી કેટલેક દિવસે તે વહાણ કોઈ કિનારે પહોંચ્યું. એટલે શ્રેષ્ઠી વહાણમાંથી ઊતરીને ભેટ લઈને રાજા પાસે ગયો. રાજાની પાસે ભેટ મૂકીને પછી તે આમ્રફળ પણ આપ્યું. તે જોઈને રાજાએ વિસ્મયપૂર્વક પૂછ્યું કે-“હે શ્રેષ્ઠી! આ શાનું ફળ છે?” ત્યારે શ્રેષ્ઠીએ રાજાને તે ફળનો સમગ્ર મહિમા કહ્યો. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયો અને તેનું સઘળું દાણ માફ કર્યું. એટલે શ્રેષ્ઠી હર્ષ પામીને પોતાને સ્થાનકે ગયો. પછી રાજાએ ફળ હાથમાં રાખીને વિચાર્યું કે–“આ ફળને હું એકલો જ ખાઈશ તો તેથી શું અધિક ગુણ થશે? માટે તેને કોઈ સારા ક્ષેત્રમાં વવરાવું તો તેના ઘણાં ફળો થશે, અને તેથી સ્ત્રીપુત્રાદિક સર્વને વૃદ્ધાવસ્થારહિત કરી શકાશે.” એમ વિચારીને રાજાએ કોઈ સારા ક્ષેત્રમાં તે બીજ વવરાવ્યું; અનુક્રમે તે આમ્રવૃક્ષ વૃદ્ધિ પામ્યું, અને તેને પુષ્પ ફળ વગેરે થયાં. ત્યારે રાજાએ તેના રક્ષકોને ઘણું ઘન આપીને કહ્યું કે-“આ વૃક્ષનું યત્નપૂર્વક રક્ષણ કરવું.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે રક્ષકો રાત્રિદિવસ ત્યાં જ રહેવા લાગ્યા. એક દિવસે દૈવયોગે રાત્રિમાં એક ફળ પોતાની મેળે તૂટીને પૃથ્વી પર પડ્યું, પછી પ્રાતઃકાલે તે પાકેલા ફળને પડેલું જોઈને રક્ષકોએ હર્ષપૂર્વક તે લઈ તત્કાળ રાજાને આપ્યું. તે વખતે રાજાએ વિચાર્યું કે–“આ નવીન ફળ પ્રથમ કોઈ પાત્રને આપું તો ઠીક.” એમ ઘારીને ચાર વેદના જાણનાર કોઈ બ્રાહ્મણને રાજાએ ભક્તિપૂર્વક તે ફળ આપ્યું. બ્રાહ્મણ તે ફળ ખાવાથી તત્કાળ મૃત્યુ પામ્યો. તે વૃત્તાંત સાંભળીને રાજા અતિ ખેદ સહિત બોલ્યો કે-“અહો! મેં ઘર્મબુદ્ધિથી બ્રહ્મહત્યારૂપ મોટું પાપ કર્યું. ખરેખર મને મારવા માટે જ કોઈ શત્રુએ પ્રપંચ કરીને તે ફળ મોકલ્યું હશે, માટે આ વિષવૃક્ષ પોતે જ વાવેલું અને પ્રયત્નથી પાળેલું છતાં શીઘ્રતાથી છેદી નખાવું.” પછી તેવો હુકમ થતા જ રાજપુરુષોએ તીણ કુહાડા વડે તે ઉત્તમ વૃક્ષને મૂળ સહિત કાપીને ભૂમિ પર પાડી દીધું અને તે સમગ્ર વૃક્ષને પૃથ્વીમાં દાટી દીધું. પછી મરગી (વાઈ), કોઢ, રક્તપિત્તાદિક અસાધ્ય વ્યાધિથી પીડાયેલા કેટલાક લોકો જીવિતથી ખેદ પામ્યા સતા તે વૃક્ષનું છેદન સાંભળીને ત્યાં આવ્યા; અને સુખેથી મરણ થાય એવા હેતુથી તે વૃક્ષના શેષ રહેલાં સૂકા કાષ્ઠ અને કુત્સિત પત્રાદિક તેમણે ખાધાં. તેથી તે સર્વે નીરોગી તથા કામદેવ સમાન રૂપવાળા થયા. તેમને જોઈને રાજાએ વિસ્મય પામીને રક્ષકોને બોલાવીને પૂછ્યું કે–“તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy