SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૬ (૧) જાંબુ ખાનારા છ પુરુષોનું દ્રષ્ટાંત-કોઈ અરણ્યમાં સુઘાથી કૃશ થયેલા છ પુરુષોએ, પાકેલાં અને રસવાળાં જાંબુના ભારથી જેની સર્વ શાખાઓ નમી ગઈ છે એવું કલ્પવૃક્ષના જેવું એક જાંબુનું વૃક્ષ જોયું. તે જોઈને સર્વે હર્ષિત થઈને બોલ્યા કે-“અહો! ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું છે, માટે હવે સ્વેચ્છાએ તેનાં ફળ ખાઈને આપણે ક્ષઘાનો નાશ કરીએ.” (૧) પછી તેમાં એક ક્લિષ્ટ પરિણામવાળો હતો તે બોલ્યો કે–“આ દુરારોહ વૃક્ષ ઉપર ચડવાથી જીવનું પણ જોખમ થાય તેવું છે, માટે તીક્ષ્ણ કુહાડાની ઘાર વડે મૂળમાંથી કાપી નાખી તેને આડું પાડી દઈએ અને પછી નિરાંતે તેનાં સમગ્ર ફળો ખાઈએ.” આવા પરિણામ પુરુષને કૃષ્ણ શ્યાથી જ થાય છે. (૨) પછી બીજો તેના કરતાં કાંઈક કોમળ હૃદયવાળો બોલ્યો કે-“આવાં મોટા વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે? માત્ર એક મોટી શાખા તોડી પાડીને તેની ઉપર રહેલાં ફળો ખાઈએ.” આ પુરુષ નીલ ગ્લેશ્યાના પરિણામવાળો જાણવો. (૩) પછી ત્રીજો બોલ્યો કે– “એવડી મોટી શાખાને કાપવાથી શું? માત્ર તેની એક પ્રશાખાને જ કાપીએ.” આ પુરુષ કાપોત લેશ્યાવાળો જાણવો. (૪) પછી ચોથો બોલ્યો કે–“તે બિચારી નાની શાખાને કાપવાથી શું વિશેષ લાભ છે? માત્ર તેના ગુચ્છા તોડવાથી જ આપણું કાર્ય સિદ્ધ થશે.” આ માણસ તેજલેશ્યાવાળો જાણવો. (૫) પછી પાંચમો બોલ્યો કે-“ગુચ્છા તોડવાથી પણ શું? માત્ર પાકેલાં અને ભક્ષણ કરવા લાયક જોઈએ તેટલાં ફળોને જ તોડીએ.” આ પુરુષ પઘલેશ્યાવાળો જાણવો. (૬) હવે છઠ્ઠો બોલ્યો કે-“ફળો તોડવાથી પણ શું? આપણને જેટલાં ફળોની જરૂર છે તેટલાં તો આ વૃક્ષની નીચે પડેલાં જ મળી શકે તેમ છે. તો તેનાથી જ પ્રાણનો નિર્વાહ કરવો તે શ્રેષ્ઠ છે. માટે આ વૃક્ષને કાપી નાંખવા વગેરેના વિચારો શા માટે કરવા જોઈએ? આ છેલ્લો શુક્લ લેશ્યાના પરિણામવાળો જાણવો. (૨) ધાડ પાડનાર છ પુરુષોનું દ્રષ્ટાંત - ઘનઘાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના છ અધિપતિઓએ એકત્ર થઈને એક ગામમાં ઘાડું પાડ્યું. તે સમયે તેમાંથી એક જણ બોલ્યો કે “આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાંખવા.” આ પ્રમાણે કૃષ્ણ લેશ્યાના સ્વભાવવાળું વાક્ય સાંભળીને બીજો નીલ ગ્લેશ્યાવાળો બોલ્યો કે-“માત્ર મનુષ્યોને જ મારવા, પશુઓને મારવાથી આપણને શું ફળ છે?” ત્યારે ત્રીજો કાપોત લેશ્યાવાળો બોલ્યો કે-“સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ? માત્ર પુરુષોને જ મારવા.” ત્યારે ચોથો તેજલેશ્યાવાળો બોલ્યો કે-“પુરુષમાં પણ શસ્રરહિતને મારવાનું શું કામ? માત્ર શસ્ત્રધારીને જ મારવા.” તે સાંભળી પાંચમો પદ્મવેશ્યાવાળો બોલ્યો કે-શસ્ત્રઘારીમાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેને જ મારવા. બીજા નિરપરાધીને શા માટે મારવા જોઈએ?” છેવટે છઠ્ઠો શુક્લ લેશ્યાવાળો બોલ્યો કે-“અહો! તમારો કેવો ખોટો વિચાર છે? એક તો દ્રવ્યનું હરણ કરવા આવ્યા છો, અને વળી બિચારા પ્રાણીઓને મારવા ચાહો છો; માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લો, પરંતુ તેમના પ્રાણનું તો રક્ષણ કરો.” આ પ્રમાણેની છ લેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કહ્યું છે કે किण्हाए जाइ नरये, नीलाण थावरो नरो होइ । कापोताए तिरियं, पीताए माणुसो होइ॥१॥ ૧. મુશ્કેલીથી ચડી શકાય તેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy