SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ (રંભ ૧૬) વ્યાખ્યાન ૨૨૬ છ લેયાનું સ્વરૂપ कीर्तिधरमुनीन्द्रेण, प्रियंकरनृपं प्रति । लेश्यास्वरूपमाख्यातं, तच्छ्रुत्वासौ शुभां दधौ ॥१॥ ભાવાર્થ-“કીર્તિધર મુન, પ્રિયંકર રાજાને વેશ્યાનું સ્વરૂપ કહી બતાવ્યું છે, તે સાંભળીને તેમાંની શુભ લેશ્યા તેણે ઘારણ કરી.” પ્રિયંકર રાજાની કથા અક્ષપુર નામના નગરમાં અરિદમન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંકર નામે પુત્ર હતો. એક દિવસ દિયાત્રા કરીને વિજય પામેલો રાજા ઘણો કાળ વ્યતીત થયેલો હોવાથી પ્રિયાના દર્શન માટે અતિ ઉત્સુક થયો; તેથી પોતાની સેનાને પણ પાછળ મૂકીને એકલો જ ત્વરાથી પોતાના નગરમાં આવ્યો. તે વખતે પોતાનું નગર ધ્વજ, તોરણ વગેરેથી શોભિત જોઈને આશ્ચર્ય પામતો તે રાજમહેલ પાસે ગયો. ત્યાં પણ પોતાની કાંતાને સર્વ અલંકારથી શોભિત અને સત્કાર કરવા માટે તૈયાર થઈને ઊભેલી જોઈ રાજાએ તેને પૂછ્યું કે-“હે પ્રિયા! મારા આગમનના સમાચાર તમને કોણે કહ્યા?” તેણે કહ્યું કે-“કીર્તિધર નામના મુનિરાજે આપના એકાકી આવવાના ખબર આપ્યા હતા, તેથી હું આપની સન્મુખ આવવા તૈયાર થઈને ઊભી છું.” પછી અરિદમન રાજાએ તે મુનિરાજને બોલાવીને પૂછ્યું–“જો તમે જ્ઞાની હો તો મારા મનનું ચિંતિત કહો.” ત્યારે મુનિએ કહ્યું કે-“હે રાજન્!તમે તમારા મરણ વિષે ચિંતવન કર્યું છે.” રાજાએ પૂછયું કે-“હે સાધુ!મારું મૃત્યુ ક્યારે થશે?” મુનિ બોલ્યા કે–“આજથી સાતમે દિવસે વીજળી પડવાથી તમારું મૃત્યુ થશે; અને તમે મરીને અશુચિમાં બેઇંદ્રિય કીડારૂપે ઉત્પન્ન થશો.” એમ કહીને મુનિરાજ પોતાને ઉપાશ્રય ગયા. રાજા આ વૃત્તાંત સાંભળીને આકુળવ્યાકુળ થયો, અને પોતાના પુત્ર પ્રિયંકરને બોલાવીને કહ્યું કે-“હે વત્સ! જો હું અશુચિમાં કીડો થાઉં તો તારે મને મારી નાંખવો.” પ્રિયંકરે તે વાત અંગીકાર કરી. રાજા સાતમે દિવસે પુત્ર, સ્ત્રી અને રાજ્યાદિકની તીવ્ર મૂછથી મરીને અશુચિમાં કીડારૂપે ઉત્પન્ન થયો, તે વખતે પ્રિયંકરે તેને મારવા માંડ્યો, પણ તે મરવા ખુશી થયો નહીં. તેથી પ્રિયંકરે મુનિને પૂછ્યું કે- “હે મુનિરાજ! શું આ મારો પિતા જ છે કે જે દુઃખી છતાં પણ મરણને ઇચ્છતો નથી?” ત્યારે સાધુ બોલ્યા કે अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः॥१॥ ભાવાર્થ-“વિષ્ટામાં રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઇંદ્રને જીવવાની આકાંક્ષા સરખી જ હોય છે, અને તે બન્નેને મૃત્યુનો ભય પણ સમાન જ હોય છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર રાજાએ ગુરુને કહ્યું કે–“હે સ્વામી! કોઈ વખત ન જોયેલું, ન સાંભળેલું અને ન ઇચ્છેલું એવું પરભવમાં ગમન સર્વ જીવો પામે છે, જેમ મારા પિતા કીડાનો ભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy