SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૫] કાર્તિકી પૂર્ણિમાનું માહાત્મ્ય ૬૩ તે સર્વે તાપસોએ વાંદીને પૂછ્યું કે–‘તમે ક્યાં જાઓ છો?’’ ત્યારે તે બન્ને મુનિઓ તેમને ધર્મલાભની આશિષ આપીને બોલ્યા કે−‘અમે પુંડરિક ગિરિની યાત્રા કરવા જઈએ છીએ.’ તાપસોએ પૂછ્યું કે—‘‘તે ગિરિનું માહાત્મ્ય કેવું છે?’’ મુનિએ જવાબ આપ્યો કે— अनंता मुक्तिमासेदुरत्र तीर्थप्रभावतः । सेत्स्यति बहवोऽप्यत्र, शुद्धचारित्रभूषिताः ॥ १ ॥ ભાવાર્થ-‘અહીં (સિદ્ધાચળ ઉપર) તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રથી શોભતા એવા અનંત જીવો મુક્તિ ગયા છે, અને હજુ પણ ઘણા જીવો અહીં સિદ્ધિપદને પામશે.’’ આ પ્રમાણે લાખ વર્ષ સુધી કહીએ તોપણ તે તીર્થના મહિમાનો પાર આવે તેમ નથી. તે તીર્થમાં નિમવિનિમ નામના મુનીંદ્ર બે ક્રોડ મુનિઓ સહિત પુંડરિક ગણઘરની જેમ ફાલ્ગુન સુદિ દશમીને દિવસે મોક્ષે ગયા છે. પૂર્વે શ્રીમાન અનંત જ્ઞાનગુણના ભંડાર શ્રી ઋષભદેવના ગણધરો વગેરે કેવળીનાં વચનથી અમે સાંભળ્યું છે કે આગામી કાળે આ તીર્થે ઘણા ઉત્તમ પુરુષો સિદ્ધિપદને પામશે. શ્રી રામચંદ્ર રાજર્ષિ ત્રણ ક્રોડ મુનિ સહિત સિદ્ધિને પામશે, એકાણું લાખ મુનિઓ સહિત નારદજી મુક્તિ પામશે, સાડા આઠ ક્રોડ મુનિઓ સહિત શાંબ અને પ્રધુમ્ર સિદ્ધિને પામશે, વીશ ક્રોડ મુનિ સહિત પાંડવો સિદ્ધિને પામશે, થાવચ્ચાપુત્ર તથા શુક આચાર્ય વગેરે હજાર હજાર સાધુઓ સહિત મુક્તિ પામશે, પાંચસો સાધુ સહિત સેલક રાજર્ષિ સિદ્ધિને પામશે તથા શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં પણ અસંખ્ય કોટી લક્ષ સાધુઓ મુક્તિપદને પામશે.' તેથી કેવળજ્ઞાની પણ એ તીર્થના મહિમાનું વર્ણન કરવાને શક્તિમાન નથી.'' ઇત્યાદિ માહાત્મ્ય સાંભળીને તે સર્વે તાપસો પુંડરિક તીર્થની યાત્રા કરવા ઉત્સુક થયા. એટલે તે મુનિની સાથે તે તરફ ભૂમિમાર્ગે પ્રયાણ કર્યું. માર્ગમાં તે વિદ્યાધર મુનિના ઉપદેશથી તે સર્વ તાપસોએ મિથ્યાત્વની ક્રિયાઓ છોડી દઈ લોચ કરીને સાધુધર્મ અંગીકાર કર્યો. અનુક્રમે દૂરથી સિદ્ધાચલને દૃષ્ટિ વડે જોઈને તેમને અત્યંત હર્ષ ઉત્પન્ન થયો. પછી ત્યાં પહોંચી, ઉપર ચડીને શ્રી ભરતચક્રીના બનાવેલા ચૈત્યોમાં યુગાદીશ પ્રભુને તેઓ ભક્તિપૂર્વક નમ્યા. ત્યાર પછી માસક્ષપણને અંતે તે વિદ્યાધર મુનિઓએ તેમને કહ્યું કે “હે મુનિઓ ! તમારા અનંત કાળથી સંચય કરેલાં પાપકર્મો આ તીર્થની સેવા વડે ક્ષય પામશે, માટે તમારે અહીં જ તપસંયમમાં તત્પર થઈને રહેવું.’’ એમ કહીને તે બન્ને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. પછી તે દ્રાવિડ, વાલિખિલ્લ વગેરે દશ ક્રોડ સાઘુઓ ત્યાં જ રહીને તપ કરવા લાગ્યા. અનુક્રમે એક મહિનાની સંલેખના કરીને તે સર્વે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેમના પુત્રોએ ત્યાં આવી તેમના નિર્વાણસ્થાને પ્રાસાદો કરાવ્યા. શ્રી ભરતેશના નિર્વાણથી પૂર્વ કોટી વર્ષો ગયા પછી દ્રાવિડ વગેરે મુનિઓનું નિર્વાણ થયું. કાળના ક્રમે કરીને આ વૃત્તાંત નહીં જાણનારા મિથ્યાત્વીઓ કાર્તિકી પૂનમને દિવસે મિથ્યામોહથી શત્રુંજયને છોડીને બીજા સેંકડો ક્ષુદ્ર તીર્થોમાં ભટકે છે. ‘“જેઓ સંઘ સહિત શ્રી સિદ્ધાચળ ઉપર જઈને કાર્તિક તથા ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે આદરપૂર્વક દાન તથા તપ વગેરે કરે છે તેઓ મોક્ષસુખને ભોગવનાર થાય છે.’’ ॥ પંચદશ સ્તંભ સમાપ્ત । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy