SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ ભયંકર છે. તેમાં આખા જગતને ગળી જવામાં લાલચુ એવો લોભરૂપી વડવાનળ રહેલો છે, અને તેમાં રહેલા વિષયોરૂપી આવર્તમાં નિમગ્ન થયેલા સુર, અસુર અને રાજાઓ વગેરે કોઈ પણ પ્રકારે તેમાંથી નીકળી શકતા નથી. આ સંસારમાં જે રાજ્ય પામવું તે અંતે નરકને આપનારું જ છે, માટે હે રાજ! તમને એવા નરકરૂપી અનર્થન આપનારા રાજ્યના લોભથી ભાઈની સાથે મહા અનર્થકારી યુદ્ધ કરવું યોગ્ય નથી. જેઓ એક ખંડ માત્ર પૃથ્વીના લોભથી બંધુ વગેરેનો નાશ કરે છે તે અનંત દુઃખો પામે છે. માટે તમારે શ્રી ઋષભપ્રભુના પૌત્રોને આવો ક્લેશ કરવો યોગ્ય નથી.” આ પ્રમાણેનાં કુલપતિનાં વચનો સાંભળીને દ્રાવિડ રાજા બોલ્યો કે–“હે ભગવન્! પૂર્વે ભરત તથા બાહુબળી વગેરેએ પણ તે કારણને લીધે પરસ્પર યુદ્ધ કર્યા હતાં, તો અમારો શો દોષ?” મુનિ બોલ્યા કે–“હે રાજા! ભારતે પૂર્વ જન્મમાં સાધુઓને આહાર દેવાની ભક્તિએ કરીને ચક્રવર્તીપણું ઉપાર્જન કર્યું હતું, અને બાહુબળીએ સાઘુઓની વૈયાવચ્ચ કરીને બાહુનું બળ ઉપાર્જન કર્યું હતું. બન્ને પોતપોતાના શુભ કર્મનું ફળ પામ્યા હતા. ભરત ચક્રીએ તો ચક્રરત્ન આયુઘશાળામાં ન પેસવાથી યુદ્ધ કર્યું, અને બાહુબળીએ એવો વિચાર કર્યો કે–પિતાએ મને રાજ્ય આપ્યું છે, તે ભરત લઈ લેવાને ઇચ્છે છે, તો શું હું નિર્બળ છું કે આપી દઉં? અર્થાત્ તેની આજ્ઞા સ્વીકારું? હું તો તાતના ચરણકમળ સિવાય બીજાને નમીશ નહીં.” ઇત્યાદિ કારણથી તેમનું યુદ્ધ થયું હતું. તેમ છતાં પણ દેવતાઓના કહેવાથી તે બન્ને બોઘ પામ્યા હતા, અને તેમણે પોતાના આત્માને તાર્યા હતા. માટે હે રાજન! તેવા પુરુષસિંહોની સ્પર્ધા તમારે કરવી યોગ્ય નથી.” આ પ્રમાણેનાં કુલપતિનાં વચનો સાંભળીને દ્રાવિડ રાજા લર્જિત થયો, અને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. તે બોલ્યો કે-“હે મુનિ! મેં મૂર્ખાએ અજ્ઞાનતાથી મારા કાકાની સમાનતા ગ્રહણ કરી, પરંતુ કાચ ચિંતામણિના પ્રભાવને કદી પણ પામી શકતો જ નથી. આપે મને ઘોર નરકમાં પડતો બચાવ્યો; હવે મારાં વિવેકરૂપી નેત્ર ઊઘડ્યાં” આ પ્રમાણે બોલીને તે જાતે પોતાના નાના ભાઈને ખમાવવા ચાલ્યો. વાલિખિલ્લ પણ મોટા ભાઈને સન્મુખ આવતો જોઈને પોતે જ તેની સામે ગયો, અને તેના પગમાં પડ્યો, એટલે દ્રાવિડે તેને ઊભો કરી સ્નેહપૂર્વક આલિંગન કર્યું. વાલિખિલ્લી બોલ્યો-“હે ભાઈ! તમે મારા જ્યેષ્ઠ બંધુ છો, માટે મારું રાજ્ય ગ્રહણ કરો.” દ્રાવિડ પણ ગદ્ગદ કંઠે બોલ્યો-“હે ભાઈ! રાજ્યથી શું? આ સંસારના કામભોગ અનિત્ય છે, દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ઘર્મ વિના બીજું કાંઈ પણ શરણભૂત નથી, માટે મારે તો વ્રત અંગીકાર કરવું છે, તેથી તને ખમાવવા આવ્યો છું.” નાનો ભાઈ બોલ્યો-“હે ભાઈ! જો તમે સર્વ પ્રકારે શ્રેય કરનાર વ્રતને આદરવા ઇચ્છો છો, તો મારે પણ તે જ અંગીકાર કરવું છે.” એમ કહી બન્ને જણાએ પોતપોતાના પુત્રને રાજ્ય સોંપી પોતપોતાના મંત્રીઓ સહિત દશ ક્રોડ પુરુષો સાથે તે જ તાપસ પાસે જઈ તાપસવ્રત ગ્રહણ કર્યું. તે સર્વે કંદમૂળનો આહાર કરતા, ગંગાજળમાં સ્નાન કરતા, અને અલ્પ કષાય તથા અલ્પ નિદ્રાવાળા થઈને જપમાળા વડે શ્રી યુગાદીશ પ્રભુનું સ્મરણ કરતા તથા પરસ્પર ઘર્મકથા કરતા હતા. એ પ્રમાણે તેમણે એક લાખ વર્ષ ત્યાં જ નિર્ગમન કર્યા. એકદા નમિવિનમિ નામના વિદ્યાઘર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશ માર્ગે ત્યાં આવ્યા. તેમને ૧ શિષ્યના શિષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy