SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૫] કાર્તિકી પૂર્ણિમાનું માહાભ્ય વ્યાખ્યાન ૨૫ કાર્તિકી પૂર્ણિમાનું માહાભ્ય यः कुर्यात् कार्तिकीं राका-मत्राहध्यानतत्परः । स भुक्त्वा सर्वसौख्यानि, निर्वृतिं लभते ततः॥४॥ ભાવાર્થ-“જે માણસ અહીં (સિદ્ધાદ્રિ ઉપર) જિનેશ્વરના ધ્યાનમાં તત્પર થઈને કાર્તિકી પૂનમ કરે, તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને પછી મોક્ષસુખને પામે છે.” एकेनाप्युपवासेन, कार्तिक्यां विमलाचले । રવિવાહિત્યતિ–પતિનુત્તે બનઃ રા. ભાવાર્થ-“શત્રુંજય ગિરિ ઉપર કાર્તિકી પૂનમને દિવસે માત્ર એક ઉપવાસ કરવાથી માણસ ઋષિહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.” તે ઉપર દ્રષ્ટાંત નીચે પ્રમાણે– દ્રાવિડ વાલિખિલ્લ કથા ઋષભદેવનો પુત્ર દ્રવિડ નામે હતો. તેને દ્રાવિડ અને વાલિખિલ્લ નામના બે પુત્રો થયા હતા. એકદા દ્રાવિડને મિથિલાનું રાજ્ય અને વાલિખિલ્લને લાખ ગામો આપીને દ્રવિડે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અન્યદા દ્રાવિડ પોતાના નાના ભાઈને અધિક સંપત્તિવાળો જોઈને તેની ઉન્નતિ નહીં સહન થવાથી તેના પર દ્વેષ કરવા લાગ્યો. વાલિખિલ્લ પણ તે વૃત્તાંત જાણીને મોટા ભાઈ પર દ્વેષ ઘરવા લાગ્યો. એ રીતે પરસ્પર દ્વેષ થવાથી તેઓ એકબીજાના રાજ્ય ગ્રહણ કરવામાં ઉત્સુક થયા, અને પરસ્પરના છળ જોવા લાગ્યા. તેવામાં એક વખત વાલિખિલ્લ દ્રાવિડના નગરમાં આવતો હતો, ત્યારે દ્રાવિડે તેને નગરમાં આવતો અટકાવ્યો. તેથી વાલિખિલ્લને ક્રોધ ચડ્યો એટલે તેણે યુદ્ધ કરવા માટે પોતાનું સૈન્ય એકઠું કર્યું. દ્રાવિડ પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. બન્ને જણ સામસામા આવ્યા. વચ્ચે પાંચ યોજન યુદ્ધભૂમિ રાખીને બન્ને જણાએ સેનાનો પડાવ નાંખ્યો. બન્નેના સૈન્યમાં દશ દશ લાખ હાથી, ઘોડા અને રથો હતા, તથા દશ ક્રોડપત્તિ હતા. પછી નિશ્ચય કરેલા દિવસે યુદ્ધ શરૂ કર્યું. હાથીવાળા હાથીવાળા સાથે અને પત્તિ પત્તિ સાથે એવી રીતે સમાન યુદ્ધ થવા લાગ્યું. આ પ્રમાણે નિરંતર યુદ્ધ કરતાં સાત માસ વ્યતીત થઈ ગયા. તેમાં એકંદર દશ ક્રોડ સુભટોનો નાશ થયો. તેવામાં વર્ષા ઋતુ આવવાથી યુદ્ધ બંઘ રાખીને ઘાસ અને પાંદડાંની ઝૂંપડીઓ કરીને ત્યાં જ રહ્યા. અનુક્રમે વર્ષાઋતુ વ્યતીત થઈ, અને સર્વ ઘાન્ય તથા ઔષધિઓ પાકી ગઈ. તે વખતે દ્રાવિડ પોતાના પરિવાર સહિત વનની સમૃદ્ધિ (શોભા) જોવા માટે નીકળ્યો. આગળ ચાલતાં પોતાના વિમલમતિ નામના પ્રઘાનની પ્રેરણાથી કોઈ તાપસના આશ્રમમાં ગયો. ત્યાં જટારૂપી મુકુટથી સુશોભિત, વલ્કલ વસ્ત્રને ઘારણ કરનાર અને પર્યકાસને બેઠેલા સુવલ્લુ નામના કુલપતિને દીઠા. તેની ફરતા ઘણા તાપસી બેઠેલા હતા; અને તેની આકૃતિ શાંત તથા દયાળુ જણાતી હતી. એવા કુલપતિને જોઈને દ્રાવિડ રાજાએ તેને પ્રણામ કર્યા. મુનિએ પણ ધ્યાન તજી દઈ રાજાને આશીર્વાદનાં વચન વડે હર્ષિત કર્યો. પછી કુલપતિ અનુગ્રહની બુદ્ધિથી ઘર્મદેશના આપવા લાગ્યા–“હે રાજનું! આ સંસારરૂપી સાગર અનંત દુઃખરૂપી જળથી ભરેલો છે, કામક્રોઘાદિક મકરના સમૂહથી તે અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy