SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ • so શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ ઉપર સ્થાપન કર્યા. પછી શુકસૂરિ ચિરકાળ વિહાર કરીને હજાર મુનિઓ સહિત શત્રુંજયગિરિ પર ગયા. ત્યાં એક માસનું અનશન કરીને મોક્ષપદ પામ્યા. - શ્રી સેલનાચાર્યનું શરીર લૂખું, સૂકું, તુચ્છ અને કાલાતિક્રાંત ભોજન કરવાથી કંડ (ખરજ), દાહ તથા પીત જ્વરના વ્યાધિથી વ્યાપ્ત થયું. તેઓ વિહાર કરતાં કરતાં અનુક્રમે સેલકપુરે આવ્યા. ત્યાં તેમનો પુત્ર મંડુક રાજા તેમને વાંદવા આવ્યો. ઘર્મદેશના સાંભળીને તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. પછી આચાર્યનો દેહ શુષ્ક તથા વ્યાધિગ્રસ્ત જાણીને તેણે કહ્યું કે “હે ગુરુ! મારી યાનશાળામાં નિવાસ કરો.” એટલે સૂરિ પાંચસો શિષ્યો સહિત ત્યાં રહ્યા. પછી મંડુક રાજાએ ગુરુની આજ્ઞા લઈને વૈદ્ય બોલાવ્યો; તેણે ઔષઘ કરવા માંડ્યું. પરંતુ રોગના મૂલ ઉચ્છેદનને માટે તેણે મદ્યપાન કરાવ્યું; તેથી સૂરિ નીરોગી થયા; પરંતુ રસલોલુપ થઈ ગયા. કહ્યું છે કે “અભક્ષ્ય એવા મદ્યપાનાદિક વડે સાધુ મૂર્ણિત, વૃદ્ધ, ઉન્નવિહારી, પાસસ્થા, કુશીળીઆ, પ્રમાદી અને સંસક્તા થઈ જાય છે.” ગુરુની એવી સ્થિતિ જોઈને એક પંથક વિના બીજા ચારસો નવાણું સાધુઓએ વિચાર કર્યો કે “ગુરુ તો પ્રમાદી અને એકસ્થાન નિવાસી થઈ ગયા છે, તેથી આપણે ગુરુની આજ્ઞા લઈને વિહાર કરીએ.” આમ વિચારીને તેઓએ આજ્ઞા લઈને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. માત્ર એક પંથક મુનિ તેમની વૈયાવચ્ચ કરવા રહ્યા. અન્યદા ચાતુર્માસની ચતુર્દશીને દિવસે સૂરિ અત્યંત મદ્યપાન કરીને સૂતા હતા. તે વખતે પંથક મુનિ દેવની પ્રતિક્રમણ કરીને કાર્તિક ચોમાસીના ખામણા ખામવા માટે નિદ્રા પામેલા ગુરુના પાદમાં મસ્તક રાખીને “મુદ્દિમોહં' ઇત્યાદિ બોલવા લાગ્યા. તે શબ્દ સાંભળવાથી તથા પોતાના પગને સ્પર્શ થવાથી ગુરુની નિદ્રાનો ભંગ થયો. તેથી “મને કોણ જગાડે છે?” એમ બોલતાં ગુરુ ઊડ્યા. ત્યારે પંથક વિનયથી નગ્ન થઈને બોલ્યો-“હે સ્વામિ!મને ધિક્કાર છે કે ચાતુર્માસીના ખામણા માટે મેં આપને જગાડ્યા. માટે મારો અપરાધ ક્ષમા કરો.” આ પ્રમાણેના તેના વિનય ભરેલા વાક્યથી લક્સ પામીને સેલકાચાર્ય તેની અનુમોદના કરવા લાગ્યા, અને પ્રમાદમાં આસક્ત થયેલા પોતાની અનેક પ્રકારે નિંદા કરવા લાગ્યા–“અરેરે! મેં રસમાં વૃદ્ધ થઈને ચારિત્રરત્નને મલિન કર્યું, આ શિષ્યને ઘન્ય છે કે તેણે મને બાહ્યથી તથા અત્યંતરથી એમ બન્ને પ્રકારે જાગૃત કર્યો. અહો! હું ક્યાં અને આ શિષ્ય ક્યાં? મારામાં અને તેનામાં ઘણું અંતર છે. મારો ગુરુ તો ખરેખરો એ જ છે, કેમકે તે પંથકે મને રસ્તા ઉપર આપ્યો, માટે તેણે “પંથક' એટલે “માર્ગ દેખાડનાર' એવું પોતાનું નામ સાર્થક કર્યું. વળી નહીં વાંદવા યોગ્ય એવા મને દ્વાદશાવર્ત વંદન પૂર્વક વંદના કરી, અને મારા દોષ જાણતાં છતાં તેણે ગુપ્ત રાખ્યા.” ઇત્યાદિ તેની પ્રશંસા કરીને સૂરિએ વિચાર્યું કે-“કાલે મંડુક રાજાની રજા લઈ અહીંથી વિહાર કરીને ફરીથી નિર્મળ સંયમને પાળું.” પછી તે પ્રમાણે કરીને આલોયણ વડે પોતાના આત્માની શુદ્ધિ કરી સેલક ગુરુ ઘણા ભવ્ય પ્રાણીઓને બોઘ પમાડી છેવટ પાંચસો મુનિ સહિત સિદ્ધાચળ ઉપર પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરીને માસને અંતે પરમાનંદપદને પામ્યા. આચારથી ભ્રષ્ટ થયેલા એવા ગુરુને પણ તજ્યા વિના ક્ષામણાદિ વિથિના મિષથી પંથક સાઘુએ તેને માર્ગ પર આણ્યા, અને છેવટ તે સેલક સૂરિ સિદ્ધાચલ ઉપર સિદ્ધિપદને પામ્યા.” ૧ બહુ વખત જવાથી અત્યંત ઠરી ગયેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy