SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૪] અપ્રમત્તયોગ કર્તવ્ય ૫૯ અન્યદા તેનો પૂર્વગુરુ શુક પરિવ્રાજક હજાર શિષ્યો સહિત તે નગરમાં આવ્યો. ત્યાં સુદર્શનને અન્ય ઘર્મમાં આસક્ત થયેલો જોઈને “અરે રે! કયા પાંખડીથી તે છેતરાયો?” એમ તેણે પૂછ્યું, એટલે શ્રેષ્ઠી બોલ્યો કે–“મારા ગુરુ ચાર જ્ઞાનને ઘારણ કરનારા થાવસ્ત્રાપુત્ર નામના આચાર્ય છે તે અહીં જ છે, તેમણે મને વિનયમૂલક ઘર્મ પમાડ્યો છે.” પછી હજાર શિષ્યોને સાથે લઈને શુક પરિવ્રાજક તે શ્રેષ્ઠીની સાથે સૂરિ પાસે જઈને તેમને પ્રશ્નો પૂછવા લાગ્યો. શકહે ભગવન્! તમારે યાત્રા, યાપનિકા, અવ્યાબાઘા અને પ્રાસક વિહાર છે? સૂરિ–હે શુક!તે સર્વ અમારે છે. શુક–હે ભગવન્! તમારે કઈ યાત્રા છે? સૂરિ–હે શુક! સાધુઓને જ્ઞાનાદિક ત્રણ રત્ન મેળવવામાં યત્ન કરવો, તે યાત્રા હોય છે. શુક–હે ભગવન્!તમારે યાપના શી છે? સૂરિ-હે શુક! યાપના બે પ્રકારની હોય છે—ઇંદ્રિય થાપના અને નોઇંદ્રિય યાપના. તેમાં શુભ અને પ્રશસ્ત માર્ગને અનુસરવાથી પાંચ ઇંદ્રિયો સંબંઘી યાપના અમારે શુભ છે, અને ક્રોધાદિ રહિત અંતઃકરણ હોવાથી નોઈદ્રિય યાપના પણ અમારે પ્રશસ્ત છે. શુક–હે ભગવન્! તમને અવ્યાબાધા શી રીતે છે? સૂરિ-હે શુક! વિવિધ પ્રકારની વ્યાધિઓ અમને પીડા કરતી નથી, તે અવ્યાબાધા છે. શુક-હે આચાર્ય! તમારે પ્રાસુક વિહાર શી રીતે છે? સૂરિ–સ્ત્રી, પશુ અને નપુંસક રહિત વસતીમાં, જીવ રહિત સ્થાને, પાટ પાટલાં વગેરે યાચના વડે ગ્રહણ કરીને અમે વિચારીએ છીએ–રહીએ છીએ, તે અમારે પ્રાસુક વિહાર છે. પછી શુક આચાર્ય “સરિસવયા ભક્ષણ કરવા લાયક છે? કે અભક્ષ્ય છે?” ઇત્યાદિ છઠ્ઠા અંગમાં વર્ણવેલા પ્રશ્નો પૂછ્યા; તેના યોગ્ય ઉત્તર સાંભળીને સુલભબોઘી હોવાથી તે પ્રતિબોઘ પામ્યા, એટલે હજાર શિષ્યો સહિત તેમણે જૈની દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે સૂરિપદ પામ્યા. પછી થાવસ્ત્રાપુત્ર આચાર્ય પોતાનો નિર્વાણ સમય નજીક જાણી હજાર મુનિઓ સહિત શત્રુંજય ગિરિએ પધાર્યા. ત્યાં એક માસનું અનશન ગ્રહણ કરી પ્રાંતે કેવલી થઈને મુક્તિપદ પામ્યા. ત્યાર પછી ચૌદ પૂર્વને જાણનાર શુક આચાર્ય વિહાર કરતાં કરતાં અન્યદા સેલકપુરના ઉદ્યાનમાં સમવસર્યા. તે વાત જાણીને સેલક રાજા પાંચસો મંત્રીઓ સહિત તેમને વાંદવા ગયો. ગુરુને નમી ઘર્મોપદેશ સાંભળીને સેલક રાજા વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયો. ત્યાં પોતાની રાણી સાથે બેસીને પાંચસો મંત્રીઓને તેણે કહ્યું કે “હે પ્રઘાનો! હું સમસ્ત પાપનો નાશ કરનારી પ્રવ્રજ્યા લેવાનો છું, તમે શું કરશો?” તેઓ બોલ્યા-“હે સ્વામિ! અમે પણ સંયમનાં સુખની ઇચ્છાવાળા છીએ, તેથી તમારી સાથે વ્રત ગ્રહણ કરીશું.” ત્યારે રાજાએ કહ્યું કે “જો એમ છે તો તમે પોતપોતાને ઘેર જઈ પોતપોતાના પુત્રને ગૃહનો કાર્યભાર સોંપીને હજાર પુરુષોથી વહન થાય તેવી શિબિકા ઉપર આરૂઢ થઈ અહીં જલદી આવો.” તેઓને એ પ્રમાણે કહીને રાજાએ પોતાના પુત્ર મંડુકકુમારને રાજ્યાભિષેક કર્યો. પછી મંડુક રાજાએ જેનો નિષ્ક્રમણોત્સવ કર્યો છે એવા રાજાએ પાંચસો મંત્રીઓ સહિત શુક આચાર્યની પાસે આવીને ત્રિવિશે ત્રિવિઘે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કર્યું. અનુક્રમે સેલકમુનિને બાર અંગને ઘારણ કરનાર થયેલા જાણીને શુક સૂરિએ તેમને સૂરિપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy