SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ ગયો. ત્યાં પ્રભુએ કહેલી ઘર્મદેશના સાંભળીને બોઘ પામેલા થાવસ્ત્રાપુત્રે ઘેર આવી પોતાની માતાને કહ્યું કે-“મને દીક્ષા અપાવો.” માતાએ સંસારના સુખનો ઘણો લોભ લગાડ્યો, પણ તે લોભાયો નહીં. ત્યારે તેની માતા કૃષ્ણ પાસે ગઈ અને ભેટશું મૂકીને વિનંતિ કરી કે “હે રાજનું! દીક્ષા લેવાને ઇચ્છતા મારા પુત્રને તમે શિખામણ આપો. જો મારો એકનો એક પુત્ર દીક્ષા લેશે તો હું નિરાઘાર થઈને શી રીતે જીવીશ?” કૃષ્ણ તેને ધીરજ આપીને સેના સહિત તેને ઘેર ગયા, અને થાવાપુત્રને કહ્યું કે-“હે વત્સ! તું સંસારના વિલાસોને આનંદથી ભોગવ. અમારી છાયામાં રહેવાથી તારું કાંઈ પણ અહિત થશે નહીં.” તે સાંભળીને થાવાપુત્ર હસીને બોલ્યો કે–“હે રાજન! એક મૃત્યુએ જ મને અનંતી વાર વિટંબના પમાડી છે, તે મારા અહિતને તમે નિવારણ કરો તો તમે મારા ખરા હિતવાંછક છો એમ હું માનું.” કૃષ્ણ કહ્યું કે-“તે તો પરમાનંદની પ્રાપ્તિ થાય ત્યારે જ થાય તેમ છે.” ત્યારે થાવસ્ત્રાપુત્ર બોલ્યો કે “એટલા માટે જ મૃત્યુએ કરેલા અહિતનું નિવારણ કરવા સારુ શ્રી નેમિનાથના ચરણકમળને સેવવા હું ઇચ્છું છું.” આ પ્રમાણે તેની સ્થિરતા જોઈને હર્ષ પામેલા કૃષ્ણ નગરીમાં ઉદ્ઘોષણા કરાવી કે-“આ થાવગ્ગાપુત્રની સાથે જે કોઈ દીક્ષા લેશે તેના કુટુંબનું ભરણપોષણ તથા દીક્ષાનો ઉત્સવ કૃષ્ણ જાતે કરશે.” આવી ઉદ્ઘોષણા થવાથી એક હજાર માણસો દીક્ષા લેવા તૈયાર થયા. તે સર્વની સાથે થાવસ્ત્રાપુત્રનો દીક્ષા મહોત્સવ શ્રીકૃષ્ણ કર્યો. હજાર પુરુષોથી વહન થઈ શકે એવી શિબિકામાં બેસીને હજાર દીક્ષાભિલાષી માણસો સહિત થાવાપુત્ર જિનેશ્વર પાસે આવ્યો, તે વખતે તેની માતાએ પ્રભુને કહ્યું કે-“આ શિષ્યરૂપી ભિક્ષા ગ્રહણ કરો, અને તેને બન્ને પ્રકારની શિક્ષા (શિખામણ) આપો.” પછી તેણે આંખમાં અશ્રુ લાવીને પુત્ર પ્રત્યે કહ્યું કે–“હે પુત્ર! આ ચારિત્ર પાળવામાં કિંચિત્ પ્રમાદ કરીશ નહીં.” પછી થાવગ્ગાપુત્ર હજાર માણસો સહિત પ્રભુ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વનો અભ્યાસ કરી તેઓ એક હજાર શિષ્યના આચાર્ય થયા. એકદા જિનેશ્વરની આજ્ઞા લઈને વિહાર કરતાં કરતાં થાવસ્ત્રાપુત્ર આચાર્ય સેલકપુરે સમવસર્યા. તે પુરમાં પંથક વગેરે પાંચસો મંત્રીઓનો સ્વામી સેલક નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે આચાર્ય પાસે મોટા ઉત્સવપૂર્વક આવીને ઘર્મદેશના સાંભળી. પછી પાંચસો અમાત્ય સહિત તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. હવે સૌગંધિક નામના નગરમાં એક સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો. એકદા ચાર વેદને જાણનાર તથા શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ તથા દેવનું ધ્યાન ઇત્યાદિ ઘર્મના નિયમવાળો અને ગેરુએ રંગેલા વસ્ત્રને ધારણ કરનાર શુક નામનો પરિવ્રાજક એક હજાર શિષ્યો (તાપસી) સહિત ત્યાં આવ્યો. તેનો શૌચમૂલક સાંખ્ય ઘર્મ સાંભળીને સુદર્શને તે ગ્રહણ કર્યો. એકદા વિહાર કરતાં કરતાં થાવસ્ત્રાપુત્ર આચાર્ય તે નગરમાં પધાર્યા. તે વાત સાંભળી સુદર્શને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવીને પૂછ્યું કે–“તમારો શૌચમૂલક ઘર્મ છે કે બીજો ઘર્મ છે?” સૂરિએ કહ્યું કે–“હે શ્રેષ્ઠી! અમારો વિનયમૂલક ઘર્મ છે. તે પણ સાધુ શ્રાવક ભેદે કરીને બે પ્રકારનો છે, અને બીજા તેના શાંત્યાદિ દશ પ્રકાર છે.” ઇત્યાદિ વાક્યોથી પ્રતિબોઘ પામીને સુદર્શને શ્રાવકઘર્મ ગ્રહણ કર્યો અને જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જાણીને અસ્થિમજ્જએ જૈનધર્મ ઉપર પ્રેમવાળો થયો. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy