SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૪] અપ્રમત્તયોગ કર્તવ્ય परवसणं अभिनिदइ, निरवेक्खो निद्दओ निरणुतावो । हरिसिज्जइ कयपावो, रुद्दज्झाणोवगयचित्तो॥१॥ ભાવાર્થ-“રૌદ્ર ધ્યાનમાં અવગત ચિત્તવાળો પ્રાણી પરને કષ્ટમાં પડેલ જોઈને ખુશી થાય છે, નિરપેક્ષપણે વર્તે છે, નિર્દય હોય છે, પાપ કરીને પશ્ચાત્તાપ કરતો નથી, પણ પાપ કરીને ઊલટો ખુશી થાય છે.” तुष्यंति भोजनैर्विप्रा, मयूरा घनगर्जितैः । સાધવ પરજ્યા , વૃત્તિ: પરવિપત્તિમિઃ રામાં ભાવાર્થ-“બ્રાહ્મણો ભોજનથી હર્ષ પામે છે, મોર મેઘની ગર્જનાથી હર્ષ પામે છે, સાધુઓ પરના કલ્યાણથી હર્ષ પામે છે અને ખળ પુરુષો બીજાની આપત્તિ જોઈને હર્ષ પામે છે.” જુઓ! વનવાસમાં પાંડવો દુઃખ પામે છે એવું સાંભળીને તથા જોઈને દુર્યોઘન અત્યંત હર્ષ પામ્યો હતો, તથા શ્રીપાલ રાજાને સમુદ્રમાં નાખી દઈને ઘવલશ્રેષ્ઠી પોતાને ઇષ્ટસિદ્ધિ થયેલી માની અતિ હર્ષ પામ્યો હતો. ઉપર કહેલાં છ અંતરંગ શત્રુઓ નિંદ્ય હોવાથી, અપકીર્તિ તથા અનર્થના હેતુભૂત હોવાથી અને પરલોકમાં દુર્ગતિનાં કારણ હોવાથી વિવેકી પુરુષોએ ત્યાગ કરવા યોગ્ય છે. જે વિવેકી મહાત્મા પુરુષ આ છ અંતરંગ શત્રુઓનો ત્યાગ કરે છે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો સતો પણ ઘર્મકાર્ય, સત્કીર્તિ, સુખ અને શોભા વગેરેને પામે છે. વ્યાખ્યાન ૨૨૪ અપ્રમત્તયોગ કર્તવ્ય કર્મયોગે પડવાઈ થયા છતાં પણ જે ફરીથી પોતાના આત્માને તારે છે તે ઘન્ય છે. તે વિષે કહે છે– शिथिलाः संयमे योगे, भूत्वा भूयोऽप्रमादिनः ।। भवंति ते प्रशस्याः स्युर्यथा सेलकसाधवः॥१॥ ભાવાર્થ-જેઓ ચારિત્ર યોગને વિષે શિથિલ થઈને પણ ફરીથી અપ્રમાદી થાય છે, તેઓ સેલક સાઘુની જેમ પ્રશંસા કરવા લાયક છે.” સેલક મુનિનું દ્રષ્ટાંત નવ યોજન વિસ્તારવાળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા, તે વખતે સોળ હજાર રાજાઓ તેમની આજ્ઞા મસ્તક પર ચડાવતા હતા. તેમને પ્રદ્યુમ્ન વગેરે સાડા ત્રણ ક્રોડ પુત્રો હતા. તેમાં શાંબ વગેરે પુત્રો કોઈથી દમન કરાય તેવા નહોતા. તે નગરીમાં એક થાવસ્ત્રાપુત્ર નામે ગૃહસ્થ કુમાર હતો. તેને તેના માબાપે એક દિવસે બત્રીશ કન્યાઓ પરણાવી હતી. તેમની સાથે તે પંચેંદ્રિય સંબંધી વિષયસુખ ભોગવતો હતો. એક દિવસ દશ ઘનુષ ઊંચી કાયાવાળા શ્રી નેમિનાથ તીર્થકર અઢાર હજાર સાઘુના પરિવાર સહિત દ્વારિકાના ઉદ્યાનમાં સમવસર્યા. તે સમાચાર વનપાળના મુખથી સાંભળીને કૌમુદિકી નામની ભેરીથી ઉદ્ઘોષણા કરાવી ચતુરંગ સેના સહિત શ્રીકૃષ્ણ પ્રભુને વાંદવા ગયા. સર્વ પીરજનો સાથે થાવગ્ગાપુત્ર પણ વાંચવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy