SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૩] અંતરંગ છ શત્રુને જીતવા વિષે ૫૫ ભાવાર્થ-કથા સાંભળવાનો રાગી એવો લોભી હમેશાં પુસ્તક શ્રવણ કરવા જાય છે, પરંતુ દાનધર્મની વાત આવે ત્યારે જાણે કૃષ્ણ સર્પથી ડંખાયો હોય તેમ ત્યાંથી તુરત નાસી જાય છે.’’ उत्सृज्य साधुवृत्तं, कुटिलधिया वंचितः परो येन । आत्मैव मूढमतिना, हतसुकृतो वंचितस्तेन ॥४॥ ભાવાર્થ—જેણે સદાચરણનો ત્યાગ કરીને કુટિલ બુદ્ધિથી બીજાને છેતર્યો છે તે મૂઢમતિવાળાએ જેના સુકૃત હણાયા છે એવા પોતાના આત્માને જ છેતર્યો છે, એમ જાણવું.’ द्रव्यानामपि लाभेन, न लोभः परिभूयते । मात्रासमधिकः कुत्र, मात्राहीनेन નીયતે IIII ભાવાર્થ-દ્રવ્યાદિકના લાભથી પણ લોભનો પરાભવ થતો નથી. કેમકે જે માત્રાએ કરીને અધિક હોય, તે ઓછી માત્રાવાળાથી જીતી શકતો નથી.૧, (૪) માન એટલે દુરાગ્રહને છોડવો નહીં, અથવા બીજાના યુક્તિયુક્ત વચનને ગ્રહણ કરવાં નહીં તે. આ માન તત્ત્વ-અતત્ત્વનો વિચાર નહીં કરનારા દુર્યોધન જેવા દુરાગ્રહીને વિશેષે હોય છે. કહ્યું છે કે— दृग्भ्यां विलोकते नोर्ध्वं सप्तांगैश्च प्रतिष्ठितः । " स्तब्धदेहः सदा सोष्मा, मान एव महागजः ॥ १ ॥ ભાવાર્થ—“માન એ મોટા હાથી સમાન છે, કેમકે હાથીની જેમ માની પુરુષ પોતાની દૃષ્ટિ વડે ઊંચું જોતો નથી, સાંગ રાજલક્ષ્મીથી પ્રતિષ્ઠિત રહે છે, તેનું શરીર સ્તબ્ધ થાય છે અને હમેશાં ઉષ્મા સહિત હોય છે, એટલે ફુંફાડા માર્યા કરે છે. આ પ્રમાણે હાથીની ને માનીની સમાનતા છે.’’ આવા માનનો ત્યાગ કરવાથી જ બાહુબળીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, માટે તેનો ત્યાગ કરવો યોગ્ય છે. (૪) મદ એટલે પ્રાપ્ત થયેલા બળ, કુળ, ઐશ્વર્ય, સ્વરૂપ તથા વિદ્યા વગેરે વડે અહંકાર ક૨વો, અથવા કોઈને બળાત્કારે બાંઘવો તે. કહ્યું છે કે एकः सकलजनानां, हृदयेषु कृतास्पदो मदशत्रुः । येनाविष्टशरीरो, न शृणोति न पश्यति स्तब्धः ॥ १ ॥ ભાવાર્થ-મદરૂપી શત્રુ એક છતાં સર્વ જનોના હૃદયમાં નિવાસ કરે છે અને તે મઠ શત્રુ જેના શરીરમાં પેસે છે તે માણસ સ્તબ્ધ થઈને કાંઈ પણ દેખતો નથી, તેમજ સાંભળતો પણ નથી.’’ शौर्यमदो रूपमदः, शृंगारमदः कुलोन्नतिमदश्च । विभवमदो जातिमदः, मदवृक्षा देहिनामेते ॥ २॥ Jain Education International ભાવાર્થ-‘શૌર્યનો મદ, રૂપનો મદ, કામનો મદ, ઉચ્ચ કુળનો મદ, ધનનો મદ અને જાતિનો મદ–એ મનુષ્યોનાં મદરૂપી વૃક્ષો છે.’’ ૧. ‘લોભ’ શબ્દ માત્રાએ કરીને અધિક છે અને લાભ’ શબ્દ માત્રારહિત છે. બીજી રીતે અર્થ કરતાં માત્રાનો અર્થ પરિમાણ અથવા ધન લેવો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy