SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરંગ છ શત્રુને જીતવા વિષે मित्र त्वं यदि नादास्यस्तदा धात्रीफलानि मे । तदा क्वाहं क्व राज्यं च, क्व सुतः क्व परिच्छदः ॥ १ ॥ ભાવાર્થ—“હે મિત્ર! તે દિવસે જો તેં મને આમળાં ન આપ્યાં હોત તો આજ હું ક્યાંથી હોત? મારું રાજ્ય ક્યાંથી હોત? પુત્ર ક્યાંથી થયો હોત? અને આ પરિવાર પણ ક્યાંથી હોત?’’ મંત્રી બોલ્યો કે—‘હે પ્રભો! તમે તો કૃતજ્ઞપણું દેખાડો છો, પરંતુ કુમારની હત્યા કરનારા એવા મને અવશ્ય દંડ આપવો જોઈએ.’” ત્યારે રાજાએ કહ્યું કે‘“તેં મને ત્રણ આમળાં આપ્યાં હતાં, તેમાંથી હજી તો એક વળ્યું.’’ તે સાંભળીને પ્રધાન બોલ્યો કે—‘હે ગુણના સાગર! જ્યારે આપ એમ કહો છો, ત્યારે ત્રણે આમળાંથી સર્યું, તમે પુત્ર સહિત ચિરકાળ રાજ્ય કરો.’’ એમ કહીને રાજપુત્રને લાવી આપ્યો. કુમારને જોઈને સર્વે હર્ષિત થયા. પછી ‘“આમ શા માટે કર્યું?’' એમ રાજાએ પૂછ્યું ત્યારે મંત્રીએ પોતાના પિતાના ઉપદેશથી આરંભીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. રાજા તે સર્વ વૃત્તાંત સાંભળીને પોતાની પ્રશંસા થઈ જાણી જરા લજ્જિત થયો, અને મંત્રીને પોતાના અર્ધા આસન પર બેસાડીને બોલ્યો કે—“હે મિત્ર! મેં અમૂલ્ય એવા ત્રણ આમળામાંથી એક આમળાને પણ પુત્રતુલ્ય ગણ્યું તે યોગ્ય કર્યું નહીં.’’ આ પ્રમાણે કહી અનેક પ્રીતિવાક્યોથી તેનો સત્કાર કર્યો. આ પ્રમાણે પ્રભાકર મંત્રી સારા રાજાનો આશ્રય પામીને ઘણો સુખી થયો અને તેની સાથે રહીને ચિરકાળ રાજ્યનું પ્રતિપાલન કર્યું. વ્યાખ્યાન ૨૨૩] ૫૩ “પ્રભાકરની જેમ સજ્જન અને દુર્જનના સંગનું ફળ પ્રત્યક્ષ જોઈને વિવેકી પ્રાણીઓએ સુખ અને સદ્ગુણની પ્રાપ્તિને માટે નિરંતર સજ્જનનો જ સંગ કરવો.’’ વ્યાખ્યાન ૨૨૩ અંતરંગ છ શત્રુને જીતવા વિષે कामः क्रोधस्तथा लोभो, हर्षो मानो मदस्तथा । પવર્ગમુત્યુનેòવું, તસ્મિચત્તે સુવી મવેત્ ।શા ભાવાર્થ—‘કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદ–એ છ શત્રુના વર્ગનો ત્યાગ કરવો, કેમકે તેમનો ત્યાગ કરવાથી જ મનુષ્ય સુખી થાય છે.'' આ ગાથાનો વિસ્તારાર્થ નીચે પ્રમાણે છે– (૧) કામ એટલે પરસ્ત્રી ઉપર અથવા નહીં પરણેલી (કુમારી) સ્ત્રી ઉપર અતિ આસક્તિ રાખવી તે. આવો કામ રાવણ અને પદ્મનાભ વગેરેની જેમ જીવને વિવેક તથા રાજ્યથી ભ્રષ્ટ કરે છે અને નરકાદિ ગમનનો હેતુ થાય છે. કહ્યું છે કે तावन्महत्त्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति चित्तांतर्न पापः कामपावकः ॥ १॥ ભાવાર્થ-‘જ્યાં સુધી મનુષ્યના ચિત્તમાં દુષ્ટ કામરૂપી અગ્નિ પ્રજ્વલિત થતી નથી, ત્યાં સુધી જ તેની મહત્તા, વિદ્વત્તા, કુલીનપણું અને વિવેકીપણું રહે છે.’’ વળી नान्यः कुतनयादाधिर्व्याधिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी, नान्यः कामुकतोऽन्धलः ॥२॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy