SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ અનુક્રમે તે નગરનો હેમરથ રાજા મૃત્યુ પામવાથી કુમાર ગુણસુંદર રાજા થયો ત્યારે રાજ્યનું સર્વ કાર્ય કરવામાં સમર્થ એવો પ્રભાકર તેનો મંત્રી થયો. એકદી બીજા કોઈ રાજાએ ગુણસુંદર રાજાને બે ઉત્તમ લક્ષણવાળા અશ્વોની ભેટ મોકલી, પણ તે ઘોડાને વિપરીત શિક્ષા આપેલી હતી. તે વાતને નહીં જાણનારા એવા રાજા તથા પ્રઘાન તે ઘોડા ઉપર ચઢીને પુરની બહાર અશ્વક્રીડા કરવા ગયા. ત્યાં ઘોડાનો વેગ જાણવા માટે તેઓએ ઘોડાને ચાબુકનો પ્રહાર કર્યો. એટલે બન્ને ઘોડા ઘણા વેગથી દોડ્યા. તેમનો વેગ ઓછો કરવા માટે જેમ જેમ તેઓ પ્રયત્ન કરતા, તેમ તેમ તે ઘોડાઓ વિપરીત શીખેલા હોવાથી વધારે દોડતા. એમ કરતાં કરતાં તેઓ બહુ દૂર નીકળી ગયા અને એક ગાઢ અરણ્યમાં આવી પહોંચ્યા. માર્ગે જતાં વિચારવંત મંત્રીએ આમળાના વૃક્ષ ઉપરથી ત્રણ આમળાં લઈ લીધા. છેવટે થાકીને કુમારે તથા મંત્રીએ લગામ ઢીલી મૂકી, એટલે તુરત તે ઘોડા ઊભા રહ્યા. પછી ત્યાંથી પાછા વળતાં રાજાને અત્યંત તૃષા લાગી. તેથી મંત્રીએ એક આમળું આપ્યું. થોડી વારે વળી તૃષા લાગવાથી બીજું આમળું આપ્યું. વળી થોડી વારે ત્રીજું પણ આપ્યું. એમ ત્રણ આમળાં વડે કાળક્ષેપ કર્યો. એટલામાં સૈન્ય આવી પહોંચ્યું. પછી પાણી પી સ્વસ્થ થઈને તેઓ નગરમાં આવ્યા. ગુણસુંદર રાજાનો પુત્ર પાંચ વર્ષનો થયો હતો. તે હમેશાં મંત્રીને ઘેર ક્રીડા કરવા જતો. એક વખત પરીક્ષા કરવા માટે મંત્રીએ તે કુમારને ગુપ્ત રીતે સંતાડી દીધો. ભોજન સમયે રાજાએ સર્વત્ર શોઘ કરાવી, પરંતુ કોઈ પણ સ્થાનેથી તેનો પત્તો લાગ્યો નહીં. રાજા અતિ ક્રોઘયુક્ત થયો. અને સર્વ સેવક પરિવારનાં મુખ પણ ફીક્કા પડી ગયાં. તે વખતે કોઈએ કહ્યું કે-“આજે કુમાર મંત્રીને ઘેર ગયા હતા.” તે સાંભળીને સર્વને મંત્રી ઉપર શંકા થઈ. મંત્રી પણ તે વખતે દરબારમાં ગયો નહોતો. તેની પત્નીએ કહ્યું કે–“હે સ્વામી! કેમ આજે દરબારમાં ગયા નથી?” મંત્રીએ કહ્યું-“હે પ્રિયે! રાજાને મુખ બતાવવા હું શક્તિમાન નથી, કેમકે આજે મેં રાજકુંવરને મારી નાંખ્યો છે.” તે બોલી કે-“હે નાથ! એ શું કર્યું? પણ હવે તમે ખેદ કરશો નહીં. મેં જ ગર્ભના પ્રભાવથી દોહદને લીધે રાજપુત્ર મારી દ્રષ્ટિને વૈરીની જેમ દાહ કરતો હતો તેથી તેને મારી નાંખ્યો છે, એ પ્રમાણે હું રાજાને કહી દઈશ.” એટલામાં તેનો મિત્ર શ્રેષ્ઠી આવ્યો. તેણે બધી વાત સાંભળીને કહ્યું કે-“હું જ રાજાનો કોપ દૂર કરીશ, તમે ફિકર કરશો નહીં.” એવી રીતે કહી મંત્રીને તથા તેની ભાર્યાને આશ્વાસન આપી તે રાજા પાસે ગયો અને કહ્યું કે–“હે દેવ! કુમારના સંબંઘમાં હકીકત વિપરીત બની છે પણ તેમાં મંત્રીનો કાંઈ દોષ નથી.” તેટલામાં મંત્રીની સ્ત્રી પણ આવી. તેણે કહ્યું કે–“મારા દોહદને માટે આ અયોગ્ય કાર્ય મારાથી થયું છે.” ત્યાર પછી મંત્રી પણ આવ્યો અને ભયથી કંપતો હોય તેમ બોલ્યો-“હે રાજ! હું જ અપરાધી છું. સર્વથા મારા પ્રાણ જ લેવા યોગ્ય છે. મારાં કરેલાં અકાર્યને લીધે દુઃખી થવાથી જ મારી સ્ત્રી પોતાનો અપરાઘ જણાવે છે.” આ સર્વ વાત સાંભળીને રાજાએ વિચાર્યું કે-“આ મંત્રી સર્વ પ્રકારે ચતુર, હિતકારી અને આમળાં આપીને મારા પ્રાણનું રક્ષણ કરનાર છે.” એમ વિચારીને સર્વ લોકસમક્ષ મંત્રીને ઉદ્દેશીને કહ્યું કે ૧ લગામ ખેંચવાથી ઊભા રહેવાને બદલે વધારે દોડવાની ટેવ પાડેલી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy