SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૨] ૫૧ શરણભૂત છો માટે આ સેવકનો આ એક અપરાઘ ક્ષમા કરો.” ઇત્યાદિ નમ્ર વચનો કહ્યાં છતાં નીચ પ્રકૃતિવાળા સિંહે તેને મારી નાખવા માટે ભટોને સોંપ્યો. પ્રભાકરની અરજપર કાંઈ પણ ધ્યાન આપ્યું નહીં. પછી પ્રભાકરે મનમાં વિચાર્યું કે-“મારે તો પિતાનું વચન દેવના વચન તુલ્ય થયું. તે વચનનું ઉલ્લંઘન કરવાથી મને તત્કાળ આવું ફળ મળ્યું.” એમ વિચારીને ગુપ્ત રાખેલો મોર સિંહ ઠાકોરને આપ્યો, અને તેની રજા લઈ સ્ત્રી તથા મિત્રને તજી દઈને ત્યાંથી ચાલતો થયો. માર્ગે ચાલતાં પ્રભાકર વિચાર કરવા લાગ્યો કે नृणां मृत्युरपि श्रेयान्, पंडितेन सह ध्रुवम् । न राज्यमपि मूर्खण, लोकद्वयविनाशिना ॥१॥ ભાવાર્થ-“માણસોને પંડિતની સાથે મરવું તે શ્રેષ્ઠ, પણ મૂર્ખની સાથે રહીને રાજ્ય કરવું તે શ્રેષ્ઠ નહીં. કેમકે મૂર્મનો સંગ આ લોકમાં અને પરલોકમાં બન્નેમાં વિનાશ કરનાર છે.” અનુક્રમે ચાલતાં ચાલતાં પ્રભાકર સુંદરપુર નામના નગરમાં ગયો. ત્યાં હેમરથ નામે રાજા હતો. તેને ગુણસુંદર નામે પુત્ર હતો. તે કુમાર નીચ પુરુષોના સંગથી અને વ્યસનથી રહિત હતો. વળી કૃતજ્ઞ, ચતુર અને પ્રિયજન ઉપર પ્રીતિ રાખવાવાળો હતો. તેને નગરની બહાર શસ્ત્ર શાસ્ત્રનો અભ્યાસ કરતાં પ્રભાકરે જોયો. એટલે તેની પાસે જઈને વિનયપૂર્વક તે કુમારને નમ્યો. કુમારે પણ પ્રસન્ન દ્રષ્ટિથી તેની સામું જોઈને તેનો સત્કાર કર્યો. કહ્યું છે કે प्रसन्ना दृङ्मनः शुद्धं, ललिता वाङ् नतं शिरः । सहजार्थिष्वियं पूजा, विनाऽपि विभवं सताम् ॥१॥ ભાવાર્થ-“પ્રસન્ન દૃષ્ટિ, શુદ્ધ મન, સુંદર વાણી અને મસ્તકનું નમાવવું, એ વૈભવ વિના પણ પુરુષોની સહજ અથને વિષે પૂજાની સામગ્રી છે.” પ્રભાકરે પણ કુમારની સ્નેહપૂર્વક વાતચીત જોઈને વિચાર્યું કે अस्याहो विशदा मूर्तिर्मितं च मधुरं वचः । नव्यमौचित्यचातुर्य, कटरे स्वच्छतात्मनः॥१॥ ભાવાર્થ-“અહો! આ કુમારની નિર્મળ મૂર્તિ, પરિમિત અને મઘુર વચન, યોગ્યતા ભરેલી સુંદર ચતુરાઈ અને આત્માની નિર્મળતા કેવી સુંદર છે?” बाल्येऽपि मधुराः केऽपि, द्राक्षावत् केऽपि चूतवत् । विपाकेन कदापीन्द्रवारुणीफलवत् परे ॥२॥ ભાવાર્થ-“કેટલાક દ્રાક્ષની જેમ બાલ્યાવસ્થાથી જ મધુર હોય છે, કેટલાક આમ્રફળની જેમ પરિણામે મઘુર થાય છે, અને કેટલાક તો ઇંદ્રવરણાના ફળની જેમ કદાપિ પણ મધુર થતા નથી.” વળી “યત્રીતિતત્ર ગુના વતિ” “જ્યાં મઘુર આકૃતિ છે, ત્યાં ગુણો પણ વસે છે.” એવી કહેવત છે. ઇત્યાદિ વિચાર કરીને પ્રભાકરે તે કુમારની સેવા સ્વીકારી. કુમારે તેને ગામમાં રહેવા માટે મકાન આપ્યું, તેમાં તે રહ્યો. પછી કૌમારાવસ્થામાંથી જ શ્રેષ્ઠ પ્રકૃતિવાળી અને સ્થિરતા વિનયાદિક ગુણોવાળી કોઈ બ્રાહ્મણની પુત્રીને તે પરણ્યો. અને વસંત નામના કોઈ ગૃહસ્થ સાથે મિત્રાઈ કરી. તે શ્રેષ્ઠી પરોપકાર કરવામાં નિરંતર તત્પર હતો અને તે નગરમાં મુખ્ય ગણાતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy