SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૫ આ બેમાંથી એક શ્લોકને પિતાના આગ્રહથી પ્રભાકરે ગ્રહણ કર્યો. કેટલાક વખત પછી તેનો પિતા મરણ પામ્યો. પછી તે શ્લોકની પરીક્ષા કરવા માટે પ્રભાકર દેશાંતરમાં જતાં કોઈક ગામમાં, સિંહ નામનો ક્ષત્રિય રહેતો હતો જે સ્વભાવે કૃતઘી હતો તેને આશરે જઈને તે રહ્યો. તે સિંહની એક અઘમ દાસી હતી. તેને પ્રભાકરે સ્ત્રી તરીકે પોતાના ઘરમાં રાખી. અને લોભનંદી નામના અતિ લોભી અને નિર્દાક્ષિણ્ય જનોમાં મુખ્ય એવા વણિકની સાથે મિત્રાઈ કરી. - એક વખતે તે નગરના રાજાએ સિંહને બોલાવ્યો; તેની સાથે પ્રભાકર પણ રાજસભામાં ગયો. “આ રાજા વિદ્વાન ઉપર પ્રીતિવાળો છે,” એમ જાણીને પ્રભાકર બોલ્યો કે मूर्खा मूखैः समं संगं, गावो गोभिर्मगा मृगैः । सुधीभिः सुधियो यांति, समशीले हि मित्रता ॥१॥ ભાવાર્થ-“મૂર્ખ મૂર્ખની સાથે, ગાયો ગાયોની સાથે, મૃગ મૃગની સાથે અને પંડિતો પંડિતોની સાથે સંગત કરે છે. અર્થાત્ સમાન સ્વભાવવાળાની જ મિત્રતા હોય છે.” તે સાંભળીને રાજા સંતુષ્ટ થયો, અને પ્રભાકરને કેટલુંક ગામ ગરાસ વગેરે ઇનામમાં આપ્યું. તે પ્રભાકરે સિંહને આપી દીધું. એ પ્રમાણે અનેક વખત તેણે સિંહની ઉપર ઉપકાર કર્યો. દાસીને પણ વસ્ત્રાલંકાર વગેરે પુષ્કળ આપ્યું. અને લોભનંદી મિત્રને પણ સમૃદ્ધિવાળો કરી દીઘો. હવે સિંહને એક મોર પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય હતો. તેનું માંસ ખાવાનો દોહદ તેની દાસી જેને પ્રભાકરે સ્ત્રી કરીને રાખી હતી તેને ગર્ભના અનુભાવથી થયો. પ્રભાકરે પિતાના શ્લોકની પરીક્ષા કરવા માટે તે મોરને કોઈ ગુપ્ત સ્થાને રાખીને બીજા મોરના માંસથી તેનો દોહદ પૂર્ણ કર્યો. ભોજન વખતે સિંહે સર્વ ઠેકાણે પોતાનો મોર જોયો; પણ હાથ આવ્યો નહીં. તેથી તેણે ઉદ્ઘોષણા કરાવી કે-“જે મોરના ખબર આપશે તેને સિંહઠાકોર આઠસો સોનામહોર આપશે.” આ પ્રમાણે સાંભળીને પેલી દાસીએ વિચાર્યું કે –“મારા પતિએ મોરને માર્યાના ખબર જો હું સિંહને કહું તો મને ૮૦૦ સોનામહોર મળશે અને પતિ તો પ્રભાકર નહીં તો બીજો પણ થશે.” એમ ઘારીને દ્રવ્યના લોભથી તે સિંહઠાકોર પાસે ગઈ અને કહ્યું કે-“હે રાજા! પ્રભાકરની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. કેમકે સ્વામીનો પ્રિય મોર હોવાથી તેને મારવાની મેં ના પાડ્યા છતાં મારો દોહદ પૂર્ણ કરવા માટે બીજો મોર ન લાવતાં તેણે આપના મોરને મારી નાખ્યો છે. આ પ્રમાણે દાસીનું વચન સાંભળીને ક્રોધ પામેલા સિંહ ઠાકોરે પ્રભાકરને પકડી લાવવા સેવકો મોકલ્યા. પ્રભાકરે પણ તે વૃત્તાંત જાણીને કૃત્રિમ ભય પામી લોભનંદી મિત્રને ઘેર જઈ કહ્યું કે-“હે મિત્ર! મારું રક્ષણ કર, રક્ષણ કર.” લોભનંદી હકીકત સાંભળીને બોલ્યો કે–“તેં શું સિંહઠાકોરનું કાંઈ બગાડ્યું છે?” પ્રભાકર બોલ્યો કે–“રાજાના મોરને પ્રિયાનો દોહદ પૂર્ણ કરવા માટે મેં માર્યો છે. ત્યારે તે અઘમ મિત્ર બોલ્યો કે“સ્વામીનો દ્રોહ કરનાર એવો જે તે તેને નિર્ભય સ્થાન ક્યાંથી મળે? પોતાના ઘરમાં બળતો ઘાસનો પૂળો કોણ નાંખે?” ઇત્યાદિ ઘણા કઠિન વચનો કહ્યા. છતાં પ્રભાકર મિત્રના ઘરમાં પેસવા લાગ્યો, એટલે લોભનંદીએ બૂમ પાડી. તેથી તત્કાળ રાજસેવકોએ આવીને તેને પકડ્યો અને સિંહઠાકોર પાસે લઈ ગયા. સિંહે ભૃકુટિ ચડાવીને કહ્યું કે-“હે અઘમ બ્રાહ્મણ! મારો મોર લાવ. નહીં તો તારા ઇષ્ટદેવનું સ્મરણ કર.” પ્રભાકર દીનતાથી બોલ્યો-“હે દેવ! તમે જ મારા સ્વામી, પિતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy