SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૧] શુદ્ધાશુદ્ઘ વ્રત પાલનનું ફળ ४७ ભાઈ! આ સંસારના દુઃખમાં મને કેમ નાંખો છો? હું દીક્ષા લઈશ.’' મોટા ભાઈએ કહ્યું–“હે ભાઈ! યુવાવસ્થામાં ઇંદ્રિયોનો સમૂહ જીતી શકાતો નથી, અને પરીષહ પણ સહન થઈ શકતા નથી.'' કુંડરિક બોલ્યો કે—‘“હે ભાઈ! નરકનાં દુઃખ કરતાં પરીષહાદિનું દુ:ખ કાંઈ વધારે નથી. માટે હું તો ચારિત્ર અંગીકાર કરીશ.'' કુંડરિકનો આવો આગ્રહ હોવાથી પુંડરિકે તેને રજા આપી, એટલે તેણે મોટા ઉત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી; અને પુંડરિક તો મંત્રીઓના આગ્રહથી ભાવચારિત્ર ધારણ કરીને ઘરમાં જ રહ્યો. કુંડરિક ઋષિ અગિયાર અંગ ભણ્યા, પરંતુ લૂખાં સૂકાં ભોજનથી તથા ઘણું તપ કરવાથી તેના શરીરમાં કેટલાક રોગો ઉત્પન્ન થયા. અન્યદા ગુરુની સાથે વિહાર કરતાં કરતાં કુંડરિક મુનિ પોતાના નગરમાં આવ્યા. પુંડરિક રાજા તેમને વાંદવા ગયો. સર્વ સાધુઓને વાંદ્યા, પરંતુ શરીર કૃશ હોવાથી પોતાના ભાઈને ઓળખ્યા નહીં. તેથી તેણે ગુરુ મહારાજને પોતાના ભાઈ સંબંધી સમાચાર પૂછ્યા. ગુરુએ કુંડરિક મુનિને બતાવીને કહ્યું કે—‘આ જે મારી પાસે બેઠા છે તે જ તમારા ભાઈ છે.’’ રાજા તેમને નમ્યો. પછી તેમનું શરીર રોગગ્રસ્ત જણાવાથી ગુરુની રજા લઈને તેમને રાજા શહેરમાં લઈ ગયો, અને પોતાની વાહનશાળામાં રાખી સારાં સારાં રાજઔષઘો વડે તેમને રોગરહિત કર્યા. ત્યાં રાજ્યસંબંધી સ્વાદિષ્ટ ભોજન કરવાથી તે મુનિ ૨સમાં લોલુપ થઈ ગયા. તેથી ત્યાંથી વિહાર કરવાની ઇચ્છા ન થઈ. એટલે રાજા તેને હમેશાં કહેવા લાગ્યો કે—“હે પૂજ્ય મુનિ! તમે તો અહર્નિશ વિહાર કરનારા છો; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત છો. હવે નીરોગી થવાથી તમે વિહાર કરવા ઉત્સુક થયા હશો. તમને નિગ્રંથને ધન્ય છે. હું અધન્ય છું. કેમકે ભોગરૂપી કાદવમાં ખૂંચ્યો સતો કદર્થના પામું છું.’' ઇત્યાદિ વચનો રાજાએ વારંવાર કહ્યાં. એટલે કુંડરિક મુનિ લા પામી ત્યાંથી વિહાર કરીને ગુરુ પાસે ગયા. એક દિવસ વસંતઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતાં નગરજનોને જોઈને ચારિત્રાવરણીયકર્મના ઉદય વડે કુંડરીક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું. તેથી તે ગુરુની આજ્ઞા લીધા વિના પુંડરીકિણી નગરી પાસેના વનમાં આવ્યા; અને પાત્રાં વગેરે ઉપકરણોને ઝાડની શાખા ઉપર લટકાવીને કોમળ લીલાં ઘાસ ઉપર આળોટવા લાગ્યા. તેને આવી રીતે સંયમથી ભ્રષ્ટ ચિત્તવાળો થયેલો તેની ધાવમાતાએ જોયો. તેથી તેણે નગરમાં જઈને પુંડરિક રાજાને તે વાત કહી. તે સાંભળીને રાજા પરિવાર સહિત તત્કાળ ત્યાં આવ્યો, તે વખતે કુંડરિકને ચિંતાતુર, પ્રમાદી અને ભૂમિ ખોતરતો જોઈને રાજાએ કહ્યું કે–“હે સુખ દુઃખમાં સમાન ભાવવાળા! હે નિઃસ્પૃહ! હે નિગ્રંથ! હે મુનિ! તમે પુણ્યશાળી છો, અને સંયમ પાળવા વડે ધન્ય છો.’ ઇત્યાદિ અનેક પ્રકારે તેની પ્રશંસા કરી તો પણ તે નીચું જ જોઈ રહ્યો; તેમ કાંઈ ઉત્તર પણ આપ્યો નહીં. તેથી રાજાએ તેને સંયમથી ભ્રષ્ટ થયેલો અને સંયમની અનિષ્ટતાવાળો જાણીને પૂછ્યું કે−‘‘હે મુનિ! આ ભાઈના સામે કેમ જોતા નથી? પ્રશસ્ત ઘ્યાનમાં મગ્ન છો કે અપ્રશસ્ત ઘ્યાનમાં? જો અપ્રશસ્ત ઘ્યાનમાં આરૂઢ થયા હો તો તમે પૂર્વે બળાત્કારે મોટું ભાવરાજ્ય ગ્રહણ કર્યું છે, તેના ચિહ્નભૂત પાત્રાદિક મને આપો, અને પરિણામે મહા વિરસ ફળ આપનાર રાજ્યનાં ચિહ્નભૂત આ પટ્ટહસ્તી વગેરે તમે ગ્રહણ કરો.'' આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને કુંડરીક બહુ હર્ષ પામ્યો અને તત્કાળ પટ્ટહસ્તી ઉપર ચડીને નગરમાં ગયો. સાધુમાં શ્રેષ્ઠ એવા પુંડરિકે વિલાપ કરતી રાણીઓ વગેરેને સાપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy