SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૦] વિવેકીનું કર્તવ્ય ૪૫ રસ્તામાં જતાં કોટવાલે તેને પકડ્યો, અને ચોર ઘારીને બાંધ્યો. કેમકે “ચોરના આચરણ તેવાં જ હોય છે.” પછી પ્રાતઃકાળે સિપાઈઓ તેને પ્રસેનજિત રાજા પાસે લઈ ગયા. રાજાને તેમાં ચોરના લક્ષણ જણાયા નહીં એટલે તેને પૂછ્યું કે-“હે બ્રાહ્મણ! તું કોણ છે? ક્યાં રહે છે? અને શા માટે આ ગામમાં આવ્યો છે?” ત્યારે કપિલે પાછલી સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને રાજાને દયા આવવાથી તેને કહ્યું કે-“હે મહાત્મા! તારી જે ઇચ્છા હોય તે માગ, હું તારી ઇચ્છા પ્રમાણે તને આપીશ.” કપિલ બોલ્યો કે-“હે રાજા! હું વિચાર કરીને પછી માગું.” એમ કહીને તે અશોક વનમાં જઈ વિચાર કરવા લાગ્યો કે-બે માસા સુવર્ણ માગવાથી તો વસ્ત્ર વગેરે કાંઈ થાય નહીં, માટે સો મહોર માગું? સો મહોરથી પણ ઘર ઘરેણાં વગેરે થાય નહીં, ત્યારે હજાર માંગું? હજારથી પણ પુત્રનો વિવાહ વગેરે ઉત્સવો થાય નહીં ત્યારે એક લાખ મહોર માગું? લાખથી પણ દાન, માન પૂર્વક મિત્ર, બાંધવ, ગરીબ વગેરેનો ઉદ્ધાર થઈ શકે નહી, માટે કરોડ માગું? સો કરોડ માગું? હજાર કરોડ માગું?” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને શુભ કર્મનો ઉદય થવાથી આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે. जहा लाहो तहा लोहो, लाहाल्लोहो पवढूइ । दो मासा कणय कज्जं, कोडिए वि न निठ्ठियं ॥४॥ ભાવાર્થ-“જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ થાય છે. લાભથી લોભ વૃદ્ધિ પામે છે; કેમકે બે માસા સુવર્ણનું કામ હતું તે કરોડ સોનામહોરથી પણ પૂરું થયું નહીં. અહો! લોભરૂપી સાગર દુર્ધર છે, તેને પૂર્ણ કરવાને કોઈ પણ શક્તિમાન નથી. હું વિદ્યા માટે અહીં આવ્યો, ઘર તજીને પરદેશમાં પરઘેર આવ્યો. ઇંદ્રદત્ત મને ઘર્માર્થે જ વિદ્યા આપે છે, અને શાલિભદ્ર શેઠ ભોજન આપે છે, તો પણ અલ્પ બુદ્ધિવાળા મેં યૌવનના મદથી દાસી સાથે ગમન કર્યું. મારા નિર્મળ કુળને લંક લગાડ્યું. માટે વિષયોને જ ધિક્કાર છે કે જેથી જીવો આવી રીતે વિડંબના પામે છે.” ઇત્યાદિ વિચાર કરતાં કરતાં તે વિષયોથી વિરક્ત થયો. તેને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે સ્વયંબુદ્ધ થયો. એટલે મસ્તક પરના કેશ પોતાને હાથે ઉખેડીને દેવતાએ આપેલા રજોહરણ, મુખવઝિકા વગેરે મુનિવેશને તેણે ગ્રહણ કર્યો. પછી કપિલ મુનિ પ્રસેનજિત રાજાની પાસે ગયા. રાજાએ પૂછ્યું કે-“આ શું કર્યું?” તેણે “નહીં રાદો તહીં રોહો.” એ ગાથા કહીને પોતાના વિચાર જણાવ્યા. રાજાએ કહ્યું કે-“મારી આજ્ઞા છે, તું સુખેથી સાંસારિક ભોગ ભોગવ અને દુષ્કર વ્રત મૂકી દે.” કપિલ મુનિએ કહ્યું કે-“ગ્રહણ કરેલું વ્રત પ્રાણાંતે પણ હું મૂકીશ નહીં. હું હવે નિગ્રંથ થયો છું. તેથી હે રાજા! તમને ઘર્મલાભ હો.” આ પ્રમાણે કહી કપિલમુનિ ત્યાંથી નીકળીને મમતારહિત, અહંકાર રહિત અને ઇચ્છારહિતપણે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે વ્રતનું પાલન કરતાં કપિલ મુનિને છ માસ વ્યતીત થયા એટલે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીની પાસે અઢાર યોજન વિસ્તારવાળી અતિ ભયંકર અટવી હતી. તેમાં બલભદ્ર વગેરે પાંચસો ચોર વસતા હતા. તેઓ બોઘને યોગ્ય છે એમ જાણીને કપિલ મુનિ તે અટવીમાં ગયા. એટલે પેલા ચોર તેમની પાસે આવ્યા. પલ્લીપતિએ મુનિને કહ્યું કે–“તમને નૃત્ય આવડે છે?” લાભ ઘારીને મુનિ બોલ્યા કે “વાજિંત્ર વગાડનાર વિના નૃત્ય થાય નહીં.” ચોરો બોલ્યા કે-“અમે હાથની તાળીઓ વગાડીશું, તમે નૃત્ય કરો.” એટલે કપિલ મુનિ જતનાપૂર્વક નૃત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy