SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદું ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ કરવા આવ્યો છું” તે સાંભળી ઇંદ્રદત્તે તેને પુત્રની જેમ ખોળામાં બેસાડી ખુશી ખબર પૂછ્યા. પછી તેને જમાડીને કહ્યું કે-“હું તને વિદ્યાભ્યાસ કરાવીશ, પણ તારા ભોજનને માટે શું થશે? કેમ કે મારા ઘરની સ્થિતિ એવી નથી કે હું તને જમાડી શકું.” ત્યારે કપિલ બોલ્યો કે-હું ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ ચલાવીશ.” ઇંદ્રદત્તે કહ્યું કે-“હે વત્સ! ભિક્ષા માટે ભમવાથી વિદ્યાભ્યાસ થઈ શકે નહીં અને ભોજન વિના પણ અભ્યાસ બની શકે નહીં, કેમકે ભોજન વિના મૃદંગ પણ વાગતું નથી. માટે પ્રથમ ભોજન માટે વિચાર કરીએ.” એમ કહીને તે બાળકને લઈ ઇંદ્રદત્ત શાલિભદ્ર નામના કોઈ શેઠને ઘેર ગયો. તેના ઘર પાસે ઊભો રહીને મોટે સ્વરે ગાયત્રી મંત્ર બોલીને, પોતે બ્રાહ્મણ છે, એમ જણાવ્યું. એટલે શાલિભદ્ર શ્રેષ્ઠીએ તેને બોલાવીને પૂછ્યું કે-“હે બ્રાહ્મણ! તમારે શું જોઈએ છે? જે ઇચ્છા હોય તે માગો.” ઇંદ્રદત્તે કહ્યું કે-“આ બ્રાહ્મણનો પુત્ર વિદ્યાનો અર્થ છે તેને હમેશાં આપ ભોજન આપો, એટલે એને હું ભણાવીશ; મારી પાસે ઘન નથી, માટે હું આપની પાસે તેનું હંમેશનું ભોજન માગું છું.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ તેને હમેશાં ભોજન કરાવવાનું અંગીકાર કર્યું. પછી તે દિવસથી કપિલ ઇંદ્રદત્તની પાસે અભ્યાસ કરવા લાગ્યો, અને શાલિભદ્રને ઘેર જમવા જવા લાગ્યો. શાલિભદ્ર શેઠને ઘરે કપિલ જ્યારે જમવા બેસતો, ત્યારે તેને પીરસવા એક દાસી આવતી; તેની સાથે હાસ્ય વિનોદ કરતાં અનુક્રમે તે દાસી ઉપર આસક્ત થયો; અને દાસી પણ તેના પર આસક્ત થઈ. પછી તે બન્ને સ્ત્રીપુરુષની જેમ ક્રીડા કરવા લાગ્યા. “અહો! વિષયને ધિક્કાર છે! કેમકે વિષયમાં આસક્ત થયેલો પુરુષ કાંઈ પણ કૃત્યાકૃત્યને જાણતો નથી.” હવે એ પ્રમાણે ક્રીડા કરતાં તેમને કેટલાક દિવસો વ્યતીત થયા. એકદા તે દાસીએ કપિલને કહ્યું કે-“મારા સ્વામી તરીકે તો તમે જ છો. પરંતુ તમે ઘનરહિત છો, તેથી મારા નિર્વાહ માટે હું બીજા પુરુષને સેવું? પતિબુદ્ધિથી નહીં.” કપિલે તે વાત અંગીકાર કરી નહીં. ત્યાર પછી એક દિવસ તે નગરમાં સર્વ દાસીઓનો કાંઈક ઉત્સવ હતો, ત્યારે તે દાસી પુષ્પની માળા વગેરે લેવા માટે કાંઈ પણ દ્રવ્ય નહીં હોવાથી ઉદાસીમાં પડી; તેને ઉદાસ જોઈને કપિલે પૂછ્યું કે-“હે પ્રિયા! તું આજ ઉદાસ કેમ જણાય છે?” તે બોલી કે-“આજે સર્વ દાસીઓનો ઉત્સવ છે તેથી પુષ્પપત્ર વગેરેની જરૂર છે. જો મારી પાસે પુષ્પમાલાદિ ન હોય તો બીજી દાસીઓમાં મારી મશ્કરી થાય.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને તેના દુઃખે દુઃખી થયેલો કપિલ પણ ઉદાસ થઈ ગયો, અને કાંઈ પણ બોલી શક્યો નહીં. તેને તેવી રીતે ખેદ પામેલો જોઈને દાસી બોલી કે–“હે સ્વામી! તમે ખેદ ન કરો; આ નગરમાં ઘન કરીને એક શ્રેષ્ઠી છે. તેને પ્રાતઃકાળે જે સૌ પ્રથમ જાગૃત કરે તેને તે શ્રેષ્ઠી બે માસા સુવર્ણ આપે છે, માટે તમે ત્યાં જઈને તેને પ્રથમ જગાડશો તો તે તમને બે માસા સોનું આપશે; તે મને આપજો, જેથી મારું અને તમારું કાર્ય થઈ રહેશે.” કપિલે તે અંગીકાર કર્યું. પછી કપિલ તે દિવસની રાત્રે “બીજો કોઈ વહેલો જઈને જગાડશે” એવા ભયથી મધ્યરાત્રિએ જાગ્યો. રાત્રિ ચંદ્રવતી હોવાથી કેટલી રાત્રિ બાકી છે તે જાણ્યા વિના જ તે ચાલ્યો. ૧ મૃદંગ ઉપર આટો પલાળીને ચોંટાડે છે ત્યારે તે બરાબર અવાજ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy